DCGAએ એર ઈન્ડિયા વિરૂદ્ધ કરી કાર્યવાહી, પાયલટનું લાઈસન્સ કરાયું રદ્દ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:45:19

26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રાએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાની ઘટના બની હતી. પોલીસે શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ પગલા લીધા હતા અને ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. DCGAએ એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.

           

શંકર મિશ્રા સામે કરાઈ હતી કાર્યવાહી 

આજકાલ ફ્લાઈટમાં અનેકો એવી ઘટના બની રહી છે જેને કારણે ચર્ચાઓ થઈ રહી છે. થોડા મહિનાઓ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રા નામના વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. મહિલાએ જ્યારે આ અંગેની ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફરિયાદ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ શંકર મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી.  

First sacked by Wells Fargo, absconding Shankar Mishra finally arrested for  peeing on elderly woman on Air India flight

DCGAએ પાયલટનું લાઈન્સ કર્યું રદ્દ 

થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત શંકર મિશ્રા 4 મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે. પરંતુ DCGAએ પણ કાર્યવાહી કરી છે. એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.