DCGAએ એર ઈન્ડિયા વિરૂદ્ધ કરી કાર્યવાહી, પાયલટનું લાઈસન્સ કરાયું રદ્દ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:45:19

26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રાએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાની ઘટના બની હતી. પોલીસે શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ પગલા લીધા હતા અને ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. DCGAએ એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.

           

શંકર મિશ્રા સામે કરાઈ હતી કાર્યવાહી 

આજકાલ ફ્લાઈટમાં અનેકો એવી ઘટના બની રહી છે જેને કારણે ચર્ચાઓ થઈ રહી છે. થોડા મહિનાઓ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રા નામના વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. મહિલાએ જ્યારે આ અંગેની ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફરિયાદ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ શંકર મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી.  

First sacked by Wells Fargo, absconding Shankar Mishra finally arrested for  peeing on elderly woman on Air India flight

DCGAએ પાયલટનું લાઈન્સ કર્યું રદ્દ 

થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત શંકર મિશ્રા 4 મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે. પરંતુ DCGAએ પણ કાર્યવાહી કરી છે. એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.          



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.