DCGAએ એર ઈન્ડિયા વિરૂદ્ધ કરી કાર્યવાહી, પાયલટનું લાઈસન્સ કરાયું રદ્દ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:45:19

26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રાએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાની ઘટના બની હતી. પોલીસે શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ પગલા લીધા હતા અને ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. DCGAએ એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.

           

શંકર મિશ્રા સામે કરાઈ હતી કાર્યવાહી 

આજકાલ ફ્લાઈટમાં અનેકો એવી ઘટના બની રહી છે જેને કારણે ચર્ચાઓ થઈ રહી છે. થોડા મહિનાઓ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રા નામના વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. મહિલાએ જ્યારે આ અંગેની ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફરિયાદ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ શંકર મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી.  

First sacked by Wells Fargo, absconding Shankar Mishra finally arrested for  peeing on elderly woman on Air India flight

DCGAએ પાયલટનું લાઈન્સ કર્યું રદ્દ 

થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત શંકર મિશ્રા 4 મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે. પરંતુ DCGAએ પણ કાર્યવાહી કરી છે. એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.          



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.