DCGAએ એર ઈન્ડિયા વિરૂદ્ધ કરી કાર્યવાહી, પાયલટનું લાઈસન્સ કરાયું રદ્દ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:45:19

26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રાએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાની ઘટના બની હતી. પોલીસે શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ પગલા લીધા હતા અને ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. DCGAએ એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.

           

શંકર મિશ્રા સામે કરાઈ હતી કાર્યવાહી 

આજકાલ ફ્લાઈટમાં અનેકો એવી ઘટના બની રહી છે જેને કારણે ચર્ચાઓ થઈ રહી છે. થોડા મહિનાઓ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રા નામના વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. મહિલાએ જ્યારે આ અંગેની ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફરિયાદ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ શંકર મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી.  

First sacked by Wells Fargo, absconding Shankar Mishra finally arrested for  peeing on elderly woman on Air India flight

DCGAએ પાયલટનું લાઈન્સ કર્યું રદ્દ 

થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત શંકર મિશ્રા 4 મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે. પરંતુ DCGAએ પણ કાર્યવાહી કરી છે. એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.