કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4 ટકાનો થશે વધારો, 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2023-07-17 15:13:19

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધારો થવાનો છે, કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલા જાન્યુઆરીથી જુન સુધી અને બીજી જુલાઈથી ડિસેમ્બર સુધીના સમયગાળા માટે હોય છે. વર્ષ 2023ના પહેલા છ મહિનામાં સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેથી તે વધીને 42 ટકા થઈ ગયું હતું. કેન્દ્ર સરકારે ડીએ વધાર્યા બાદ રાજ્ય સરકારે પણ પોતાના રાજ્યોમાં ડીએ વધારે છે. તાજેતરમાં જ અનેક રાજ્યોએ ડીએમાં વધારો કર્યો છે. હવે બીજા છ માસીક માટે કેન્દ્ર સરકાર ડીએ વધારાની જાહેરાત કરવાની છે.


DAમાં 4 ટકા જેટલો થશે વધારો


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધ્ધી ઈન્ડસ્ટ્રીય વર્કર્સના મોંઘવારીમાં વૃધ્ધાના આધાર પર થાય છે. આ જ કારણે આ વખતે પણ મોંઘવારી ભથ્થામાં 4 ટકા જેટલી વૃધ્ધીનું અનુમાન છે. આ સાથે જ ડીએ વધીને 46 ટકા થઈ જશે. કેટલાક મીડિયા રિપોર્ટસ મુજબ સરકાર સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં DA વધારાની જાહેરાત કરી શકે છે.


69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


મોંઘવારી ભથ્થા (DA) સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત (DR)પેન્શનર્સને આપવામાં આવે છે. સત્તાવારા આંકડા મુજબ, દેશમાં 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે. ત્યાં જ, 69.76 લાખ પેન્સનર્સ છે, DAમાં વધારો થવા પર આ તમામ લોકોને ફાયદો થશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.