કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4 ટકાનો થશે વધારો, 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2023-07-17 15:13:19

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધારો થવાનો છે, કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલા જાન્યુઆરીથી જુન સુધી અને બીજી જુલાઈથી ડિસેમ્બર સુધીના સમયગાળા માટે હોય છે. વર્ષ 2023ના પહેલા છ મહિનામાં સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેથી તે વધીને 42 ટકા થઈ ગયું હતું. કેન્દ્ર સરકારે ડીએ વધાર્યા બાદ રાજ્ય સરકારે પણ પોતાના રાજ્યોમાં ડીએ વધારે છે. તાજેતરમાં જ અનેક રાજ્યોએ ડીએમાં વધારો કર્યો છે. હવે બીજા છ માસીક માટે કેન્દ્ર સરકાર ડીએ વધારાની જાહેરાત કરવાની છે.


DAમાં 4 ટકા જેટલો થશે વધારો


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધ્ધી ઈન્ડસ્ટ્રીય વર્કર્સના મોંઘવારીમાં વૃધ્ધાના આધાર પર થાય છે. આ જ કારણે આ વખતે પણ મોંઘવારી ભથ્થામાં 4 ટકા જેટલી વૃધ્ધીનું અનુમાન છે. આ સાથે જ ડીએ વધીને 46 ટકા થઈ જશે. કેટલાક મીડિયા રિપોર્ટસ મુજબ સરકાર સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં DA વધારાની જાહેરાત કરી શકે છે.


69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


મોંઘવારી ભથ્થા (DA) સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત (DR)પેન્શનર્સને આપવામાં આવે છે. સત્તાવારા આંકડા મુજબ, દેશમાં 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે. ત્યાં જ, 69.76 લાખ પેન્સનર્સ છે, DAમાં વધારો થવા પર આ તમામ લોકોને ફાયદો થશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .