કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4 ટકાનો થશે વધારો, 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2023-07-17 15:13:19

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધારો થવાનો છે, કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલા જાન્યુઆરીથી જુન સુધી અને બીજી જુલાઈથી ડિસેમ્બર સુધીના સમયગાળા માટે હોય છે. વર્ષ 2023ના પહેલા છ મહિનામાં સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેથી તે વધીને 42 ટકા થઈ ગયું હતું. કેન્દ્ર સરકારે ડીએ વધાર્યા બાદ રાજ્ય સરકારે પણ પોતાના રાજ્યોમાં ડીએ વધારે છે. તાજેતરમાં જ અનેક રાજ્યોએ ડીએમાં વધારો કર્યો છે. હવે બીજા છ માસીક માટે કેન્દ્ર સરકાર ડીએ વધારાની જાહેરાત કરવાની છે.


DAમાં 4 ટકા જેટલો થશે વધારો


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધ્ધી ઈન્ડસ્ટ્રીય વર્કર્સના મોંઘવારીમાં વૃધ્ધાના આધાર પર થાય છે. આ જ કારણે આ વખતે પણ મોંઘવારી ભથ્થામાં 4 ટકા જેટલી વૃધ્ધીનું અનુમાન છે. આ સાથે જ ડીએ વધીને 46 ટકા થઈ જશે. કેટલાક મીડિયા રિપોર્ટસ મુજબ સરકાર સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં DA વધારાની જાહેરાત કરી શકે છે.


69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


મોંઘવારી ભથ્થા (DA) સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત (DR)પેન્શનર્સને આપવામાં આવે છે. સત્તાવારા આંકડા મુજબ, દેશમાં 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે. ત્યાં જ, 69.76 લાખ પેન્સનર્સ છે, DAમાં વધારો થવા પર આ તમામ લોકોને ફાયદો થશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.