કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4 ટકાનો થશે વધારો, 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2023-07-17 15:13:19

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધારો થવાનો છે, કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલા જાન્યુઆરીથી જુન સુધી અને બીજી જુલાઈથી ડિસેમ્બર સુધીના સમયગાળા માટે હોય છે. વર્ષ 2023ના પહેલા છ મહિનામાં સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેથી તે વધીને 42 ટકા થઈ ગયું હતું. કેન્દ્ર સરકારે ડીએ વધાર્યા બાદ રાજ્ય સરકારે પણ પોતાના રાજ્યોમાં ડીએ વધારે છે. તાજેતરમાં જ અનેક રાજ્યોએ ડીએમાં વધારો કર્યો છે. હવે બીજા છ માસીક માટે કેન્દ્ર સરકાર ડીએ વધારાની જાહેરાત કરવાની છે.


DAમાં 4 ટકા જેટલો થશે વધારો


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધ્ધી ઈન્ડસ્ટ્રીય વર્કર્સના મોંઘવારીમાં વૃધ્ધાના આધાર પર થાય છે. આ જ કારણે આ વખતે પણ મોંઘવારી ભથ્થામાં 4 ટકા જેટલી વૃધ્ધીનું અનુમાન છે. આ સાથે જ ડીએ વધીને 46 ટકા થઈ જશે. કેટલાક મીડિયા રિપોર્ટસ મુજબ સરકાર સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં DA વધારાની જાહેરાત કરી શકે છે.


69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


મોંઘવારી ભથ્થા (DA) સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત (DR)પેન્શનર્સને આપવામાં આવે છે. સત્તાવારા આંકડા મુજબ, દેશમાં 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે. ત્યાં જ, 69.76 લાખ પેન્સનર્સ છે, DAમાં વધારો થવા પર આ તમામ લોકોને ફાયદો થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.