કેન્દ્ર સરકારની સુપ્રીમમાં મોટી જાહેરાત, ફાંસીની સજાને બદલે મોતની ઓછી પીડાદાયક પધ્ધતી અપનાવાશે


  • Published By :
  • Published Date : 2023-05-02 14:45:44

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે ફાંસીની સજાને મૃત્યુદંડમાં ફેરવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રએ કહ્યું કે તે આ માટે નિષ્ણાતોની સમિતિની રચના પર પણ વિચાર કરી રહી છે, જે મૃત્યુદંડ આપવાની હાલની વિવિધ પદ્ધતિઓની તપાસ કરશે.


ઉનાળું વેકેશન પછી થશે સુનાવણી


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાણીની આ રજૂઆતની નોંધ લીધી હતી. એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત પેનલ માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે અને તેઓ થોડા સમય પછી આ મુદ્દે વધુ વિગતો આપશે. આ અંગે બેંચે કહ્યું, કે "એટર્ની જનરલે સમિતિમાં નિમણૂકો પર વિચાર કરવાનું કહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, અમે ઉનાળાની રજાઓ પછી તેની સુનાવણી માટે નિશ્ચિત તારીખ આપીશું."


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માગ્યા હતા સુચનો


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 21 માર્ચે કહ્યું હતું કે તે ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવા પર વિચાર કરી શકે છે. આના પર કોર્ટે કેન્દ્રને ફાંસીની સજાની અલગ-અલગ પદ્ધતિઓ પર વધુ સારી માહિતી આપવાની માંગ કરી હતી. આ કેસમાં એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ 2017માં જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે ફાંસીની સજાને બદલે મૃત્યુની કેટલીક ઓછી પીડાદાયક રીત પર વિચાર કરવો જરૂરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.