કેન્દ્ર સરકારની સુપ્રીમમાં મોટી જાહેરાત, ફાંસીની સજાને બદલે મોતની ઓછી પીડાદાયક પધ્ધતી અપનાવાશે


  • Published By :
  • Published Date : 2023-05-02 14:45:44

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે ફાંસીની સજાને મૃત્યુદંડમાં ફેરવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રએ કહ્યું કે તે આ માટે નિષ્ણાતોની સમિતિની રચના પર પણ વિચાર કરી રહી છે, જે મૃત્યુદંડ આપવાની હાલની વિવિધ પદ્ધતિઓની તપાસ કરશે.


ઉનાળું વેકેશન પછી થશે સુનાવણી


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાણીની આ રજૂઆતની નોંધ લીધી હતી. એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત પેનલ માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે અને તેઓ થોડા સમય પછી આ મુદ્દે વધુ વિગતો આપશે. આ અંગે બેંચે કહ્યું, કે "એટર્ની જનરલે સમિતિમાં નિમણૂકો પર વિચાર કરવાનું કહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, અમે ઉનાળાની રજાઓ પછી તેની સુનાવણી માટે નિશ્ચિત તારીખ આપીશું."


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માગ્યા હતા સુચનો


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 21 માર્ચે કહ્યું હતું કે તે ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવા પર વિચાર કરી શકે છે. આના પર કોર્ટે કેન્દ્રને ફાંસીની સજાની અલગ-અલગ પદ્ધતિઓ પર વધુ સારી માહિતી આપવાની માંગ કરી હતી. આ કેસમાં એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ 2017માં જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે ફાંસીની સજાને બદલે મૃત્યુની કેટલીક ઓછી પીડાદાયક રીત પર વિચાર કરવો જરૂરી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.