કેન્દ્ર સરકારની સુપ્રીમમાં મોટી જાહેરાત, ફાંસીની સજાને બદલે મોતની ઓછી પીડાદાયક પધ્ધતી અપનાવાશે


  • Published By :
  • Published Date : 2023-05-02 14:45:44

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે ફાંસીની સજાને મૃત્યુદંડમાં ફેરવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રએ કહ્યું કે તે આ માટે નિષ્ણાતોની સમિતિની રચના પર પણ વિચાર કરી રહી છે, જે મૃત્યુદંડ આપવાની હાલની વિવિધ પદ્ધતિઓની તપાસ કરશે.


ઉનાળું વેકેશન પછી થશે સુનાવણી


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાણીની આ રજૂઆતની નોંધ લીધી હતી. એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત પેનલ માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે અને તેઓ થોડા સમય પછી આ મુદ્દે વધુ વિગતો આપશે. આ અંગે બેંચે કહ્યું, કે "એટર્ની જનરલે સમિતિમાં નિમણૂકો પર વિચાર કરવાનું કહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, અમે ઉનાળાની રજાઓ પછી તેની સુનાવણી માટે નિશ્ચિત તારીખ આપીશું."


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માગ્યા હતા સુચનો


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 21 માર્ચે કહ્યું હતું કે તે ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવા પર વિચાર કરી શકે છે. આના પર કોર્ટે કેન્દ્રને ફાંસીની સજાની અલગ-અલગ પદ્ધતિઓ પર વધુ સારી માહિતી આપવાની માંગ કરી હતી. આ કેસમાં એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ 2017માં જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે ફાંસીની સજાને બદલે મૃત્યુની કેટલીક ઓછી પીડાદાયક રીત પર વિચાર કરવો જરૂરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.