ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સતત વધતો મૃત્યુઆંક, હજી સુધી આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ, પીએમએ શોક વ્યક્ત કરો, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-03 12:19:03

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ઘટનામાં 238 જેટલા  લોકોના મોત થઈ ગયા છે જ્યારે 900 જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે. 650 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પીએમ મોદીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થળ મુલાકાત પણ લીધી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હજી પણ આ મૃત્યુ આંક વધવાની શક્યતા છે. મળતી માહિતી અનુસાર ઘાયલ લોકો માટે લોહી આપવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે.

     

રેલવે મંત્રાલય દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના પરિવારને 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજારની સહાય આપવામાં આવશે. તે સિવાય પીએમઓ ઓફિસ દ્વારા પણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને બે લાખની સહાય આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર આપવામાં આવશે. 


રેલવે મંત્રીના રાજીનામાની કરવામાં આવી માગ!

રેલવે દુર્ઘટના બાદ રાજકીય પાર્ટીઓ તેમજ રાજનેતાઓ દ્વારા શોક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે રેલવે મંત્રીએ શનિવાર સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના  અંગે તપાસ કરવાના આદેશ આપી દીધા હતા. આ ઘટનાને લઈ ઓડિશાના મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.

અનેક કાર્યક્રમોમાં કરાયો ફેરફાર!

દુર્ઘટનાને પગલે અનેક કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ઓડિશા સરકારે એક દિવસ રાજ્ય શોક જાહેર કર્યો છે. તે સિવાય ગોવા-મુબંઈ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી બતાવાના હતા. આ ઘટનાને પગલે આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમને ઉતારી દેવામાં આવી છે. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના ટ્રેન્ડ થઈ રહી છે.    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.