ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સતત વધતો મૃત્યુઆંક, હજી સુધી આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ, પીએમએ શોક વ્યક્ત કરો, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-03 12:19:03

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ઘટનામાં 238 જેટલા  લોકોના મોત થઈ ગયા છે જ્યારે 900 જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે. 650 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પીએમ મોદીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થળ મુલાકાત પણ લીધી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હજી પણ આ મૃત્યુ આંક વધવાની શક્યતા છે. મળતી માહિતી અનુસાર ઘાયલ લોકો માટે લોહી આપવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે.

     

રેલવે મંત્રાલય દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના પરિવારને 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજારની સહાય આપવામાં આવશે. તે સિવાય પીએમઓ ઓફિસ દ્વારા પણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને બે લાખની સહાય આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર આપવામાં આવશે. 


રેલવે મંત્રીના રાજીનામાની કરવામાં આવી માગ!

રેલવે દુર્ઘટના બાદ રાજકીય પાર્ટીઓ તેમજ રાજનેતાઓ દ્વારા શોક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે રેલવે મંત્રીએ શનિવાર સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના  અંગે તપાસ કરવાના આદેશ આપી દીધા હતા. આ ઘટનાને લઈ ઓડિશાના મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.

અનેક કાર્યક્રમોમાં કરાયો ફેરફાર!

દુર્ઘટનાને પગલે અનેક કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ઓડિશા સરકારે એક દિવસ રાજ્ય શોક જાહેર કર્યો છે. તે સિવાય ગોવા-મુબંઈ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી બતાવાના હતા. આ ઘટનાને પગલે આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમને ઉતારી દેવામાં આવી છે. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના ટ્રેન્ડ થઈ રહી છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.