રક્ષામંત્રી રાજનાથ સિંહે ભુજ એરબેઝની લીધી મુલાકાત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-16 13:16:36

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. 

Rajnath Singh | Indian BJP Politician, Biography, & Facts | Britannica

૨૨મી એપ્રીલના દિવસે જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થકી જોરદાર જવાબ આપ્યો હતો . જોકે તે પછી પાકિસ્તાને એસ્કેલેશન અંતર્ગત ભારત પર મિસાઇલથી અને ડ્રોનથી હુમલા કર્યા હતા . આ એસ્કેલેશન અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. ત્યારે હવે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ સૌપ્રથમ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં એરફોર્સ , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે . આ સાથે જ રક્ષામંત્રી ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી શકે છે . 

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ માટે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે , "હું હાલમાં જ નવી દિલ્હીથી ભુજ માટે નીકળ્યો છું . ભુજ એરફોર્સ સ્ટેશન પર હું આપણા હવાઈ યોદ્ધાઓની સાથે મુલાકાત કરીશ . સાથે જ ૨૦૦૧ના ગુજરાત ભૂકંપના મૃતકોની યાદમાં જે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર બનાવવામાં આવ્યું છે તેની પણ મુલાકાત લઈશ. " ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો . આ તંગ સ્થિતિની વ્યાપક અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ થઇ હતી . જેને લઇને બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન નાપાક હુમલાને હવાઈ ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ એક પછી એક હુમલાઓને સતત નિષ્ફળ બનાવ્યા હતા . 

વાત કરીએ ભુજ એરબેઝની તો , ભુજ એરબેઝ ભારતની ખુબ મોટી તાકાત છે . પાકિસ્તાન સરહદથી ૧૬૦ કિલોમીટર દૂર છે. વર્ષ ૧૯૭૧ના ભારત - પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને રનવેને નુકશાન પહોંચાડ્યું હતું પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરીથી બનાવ્યો હતો . આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમયાન પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.