રક્ષામંત્રી રાજનાથ સિંહે ભુજ એરબેઝની લીધી મુલાકાત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-16 13:16:36

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. 

Rajnath Singh | Indian BJP Politician, Biography, & Facts | Britannica

૨૨મી એપ્રીલના દિવસે જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થકી જોરદાર જવાબ આપ્યો હતો . જોકે તે પછી પાકિસ્તાને એસ્કેલેશન અંતર્ગત ભારત પર મિસાઇલથી અને ડ્રોનથી હુમલા કર્યા હતા . આ એસ્કેલેશન અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. ત્યારે હવે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ સૌપ્રથમ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં એરફોર્સ , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે . આ સાથે જ રક્ષામંત્રી ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી શકે છે . 

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ માટે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે , "હું હાલમાં જ નવી દિલ્હીથી ભુજ માટે નીકળ્યો છું . ભુજ એરફોર્સ સ્ટેશન પર હું આપણા હવાઈ યોદ્ધાઓની સાથે મુલાકાત કરીશ . સાથે જ ૨૦૦૧ના ગુજરાત ભૂકંપના મૃતકોની યાદમાં જે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર બનાવવામાં આવ્યું છે તેની પણ મુલાકાત લઈશ. " ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો . આ તંગ સ્થિતિની વ્યાપક અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ થઇ હતી . જેને લઇને બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન નાપાક હુમલાને હવાઈ ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ એક પછી એક હુમલાઓને સતત નિષ્ફળ બનાવ્યા હતા . 

વાત કરીએ ભુજ એરબેઝની તો , ભુજ એરબેઝ ભારતની ખુબ મોટી તાકાત છે . પાકિસ્તાન સરહદથી ૧૬૦ કિલોમીટર દૂર છે. વર્ષ ૧૯૭૧ના ભારત - પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને રનવેને નુકશાન પહોંચાડ્યું હતું પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરીથી બનાવ્યો હતો . આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમયાન પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. 



કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વમાં એક નવી સરકાર આવી ચુકી છે. આ નવી સરકારમાં વિદેશ મંત્રી તરીકે પેહલીવાર ભારતીય મૂળના અનિતા આનંદની નિમણુંક કરવામાં આવી છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીનો પ્રયાસ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવે સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર દરમ્યાન આ માટે સંકેત પણ આપ્યો હતો . તો આવો જાણીએ ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે અને નવી કેનેડિયન સરકારમાં તેમની શું ભૂમિકા હશે?

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?