રક્ષામંત્રી રાજનાથ સિંહે ભુજ એરબેઝની લીધી મુલાકાત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-16 13:16:36

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. 

Rajnath Singh | Indian BJP Politician, Biography, & Facts | Britannica

૨૨મી એપ્રીલના દિવસે જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થકી જોરદાર જવાબ આપ્યો હતો . જોકે તે પછી પાકિસ્તાને એસ્કેલેશન અંતર્ગત ભારત પર મિસાઇલથી અને ડ્રોનથી હુમલા કર્યા હતા . આ એસ્કેલેશન અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. ત્યારે હવે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ સૌપ્રથમ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં એરફોર્સ , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે . આ સાથે જ રક્ષામંત્રી ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી શકે છે . 

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ માટે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે , "હું હાલમાં જ નવી દિલ્હીથી ભુજ માટે નીકળ્યો છું . ભુજ એરફોર્સ સ્ટેશન પર હું આપણા હવાઈ યોદ્ધાઓની સાથે મુલાકાત કરીશ . સાથે જ ૨૦૦૧ના ગુજરાત ભૂકંપના મૃતકોની યાદમાં જે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર બનાવવામાં આવ્યું છે તેની પણ મુલાકાત લઈશ. " ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો . આ તંગ સ્થિતિની વ્યાપક અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ થઇ હતી . જેને લઇને બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન નાપાક હુમલાને હવાઈ ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ એક પછી એક હુમલાઓને સતત નિષ્ફળ બનાવ્યા હતા . 

વાત કરીએ ભુજ એરબેઝની તો , ભુજ એરબેઝ ભારતની ખુબ મોટી તાકાત છે . પાકિસ્તાન સરહદથી ૧૬૦ કિલોમીટર દૂર છે. વર્ષ ૧૯૭૧ના ભારત - પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને રનવેને નુકશાન પહોંચાડ્યું હતું પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરીથી બનાવ્યો હતો . આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમયાન પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.