CM ભુપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે , કોઈ નવાજૂનીનાં એંધાણ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-23 18:29:41

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજધાની દિલ્હીની મુલાકાતે છે. જેનાથી ગુજરાતના રાજકારણમાં અને તેમાંય સત્તાધારી પક્ષ  ભારતીય જનતા પાર્ટીમાં નવાજૂનીનાં એંધાણ લાગી રહ્યા છે. આજે સવારે સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. જોકે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આ પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતોને લઇને છે અને તે સંપૂર્ણપણે બિનરાજકીય છે. 

CM Bhupendra Patel meets PM Modi in New Delhi | Govt of Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની તમામ અટકળો વચ્ચે આજે દિલ્હીની મુલાકાતે છે. સંભાવના છે કે નવરાત્રી પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય. જોકે એ માહિતી બહાર આવી છે કે , મુખ્યમંત્રીનો આ દિલ્હી પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતને લઇને છે અને તે તદ્દન બિનરાજકીય છે. જોકે , મંત્રીમંડળનું વિસ્તરણ તેમના દિલ્હી પ્રવાસ બાદ તાબડતોડ તો નહિ પરંતુ નવરાત્રી બાદ અને સંભવત દિવાળી પહેલાના સમયગાળામાં થવું જોઈએ તેવી માહિતી પણ સામે આવી રહી છે. વાત કરીએ , ગુજરાતના મંત્રીમંડળની તો , હાલમાં તો મંત્રી બચુ ખાબડ અને ભીખુ પરમારના મંત્રી પદ જઈ શકે છે તેવી સંભાવના છે. આ ઉપરાંત , વર્તમાન મંત્રીમંડળમાં સાતથી આઠ ચહેરા કપાઈને નવા દસેક મંત્રીઓ આવી શકે છે. મંત્રીમંડળનું કુલ કદ ૨૩ થી ૨૫ની આસપાસનું હોઈ શકે તેવું પણ સામે આવી રહ્યું છે. 

ANI on X: "Prime Minister Narendra Modi received by CM Bhupendra Patel in  Surat, Gujarat https://t.co/PLTcRNoP9d" / X

બીજી તરફ , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશપ્રમુખના પદે સી આર પાટીલને પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો છે. હાલમાં નવાપ્રદેશ પ્રમુખને લઇને નિર્ણય અટકી ચુક્યો છે. હવે ગૃહમંત્રી અમિત શાહ આજે પણ ગુજરાત પ્રવાસે છે . આ પહેલા થોડાક સમય પહેલા , પીએમ મોદી શનિવારે જ ભાવનગરની મુલાકાતે આવીને ગયા હતા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.