CM ભુપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે , કોઈ નવાજૂનીનાં એંધાણ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-23 18:29:41

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજધાની દિલ્હીની મુલાકાતે છે. જેનાથી ગુજરાતના રાજકારણમાં અને તેમાંય સત્તાધારી પક્ષ  ભારતીય જનતા પાર્ટીમાં નવાજૂનીનાં એંધાણ લાગી રહ્યા છે. આજે સવારે સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. જોકે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આ પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતોને લઇને છે અને તે સંપૂર્ણપણે બિનરાજકીય છે. 

CM Bhupendra Patel meets PM Modi in New Delhi | Govt of Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની તમામ અટકળો વચ્ચે આજે દિલ્હીની મુલાકાતે છે. સંભાવના છે કે નવરાત્રી પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય. જોકે એ માહિતી બહાર આવી છે કે , મુખ્યમંત્રીનો આ દિલ્હી પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતને લઇને છે અને તે તદ્દન બિનરાજકીય છે. જોકે , મંત્રીમંડળનું વિસ્તરણ તેમના દિલ્હી પ્રવાસ બાદ તાબડતોડ તો નહિ પરંતુ નવરાત્રી બાદ અને સંભવત દિવાળી પહેલાના સમયગાળામાં થવું જોઈએ તેવી માહિતી પણ સામે આવી રહી છે. વાત કરીએ , ગુજરાતના મંત્રીમંડળની તો , હાલમાં તો મંત્રી બચુ ખાબડ અને ભીખુ પરમારના મંત્રી પદ જઈ શકે છે તેવી સંભાવના છે. આ ઉપરાંત , વર્તમાન મંત્રીમંડળમાં સાતથી આઠ ચહેરા કપાઈને નવા દસેક મંત્રીઓ આવી શકે છે. મંત્રીમંડળનું કુલ કદ ૨૩ થી ૨૫ની આસપાસનું હોઈ શકે તેવું પણ સામે આવી રહ્યું છે. 

ANI on X: "Prime Minister Narendra Modi received by CM Bhupendra Patel in  Surat, Gujarat https://t.co/PLTcRNoP9d" / X

બીજી તરફ , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશપ્રમુખના પદે સી આર પાટીલને પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો છે. હાલમાં નવાપ્રદેશ પ્રમુખને લઇને નિર્ણય અટકી ચુક્યો છે. હવે ગૃહમંત્રી અમિત શાહ આજે પણ ગુજરાત પ્રવાસે છે . આ પહેલા થોડાક સમય પહેલા , પીએમ મોદી શનિવારે જ ભાવનગરની મુલાકાતે આવીને ગયા હતા. 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.