CM ભુપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે , કોઈ નવાજૂનીનાં એંધાણ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-23 18:29:41

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજધાની દિલ્હીની મુલાકાતે છે. જેનાથી ગુજરાતના રાજકારણમાં અને તેમાંય સત્તાધારી પક્ષ  ભારતીય જનતા પાર્ટીમાં નવાજૂનીનાં એંધાણ લાગી રહ્યા છે. આજે સવારે સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. જોકે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આ પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતોને લઇને છે અને તે સંપૂર્ણપણે બિનરાજકીય છે. 

CM Bhupendra Patel meets PM Modi in New Delhi | Govt of Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની તમામ અટકળો વચ્ચે આજે દિલ્હીની મુલાકાતે છે. સંભાવના છે કે નવરાત્રી પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય. જોકે એ માહિતી બહાર આવી છે કે , મુખ્યમંત્રીનો આ દિલ્હી પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતને લઇને છે અને તે તદ્દન બિનરાજકીય છે. જોકે , મંત્રીમંડળનું વિસ્તરણ તેમના દિલ્હી પ્રવાસ બાદ તાબડતોડ તો નહિ પરંતુ નવરાત્રી બાદ અને સંભવત દિવાળી પહેલાના સમયગાળામાં થવું જોઈએ તેવી માહિતી પણ સામે આવી રહી છે. વાત કરીએ , ગુજરાતના મંત્રીમંડળની તો , હાલમાં તો મંત્રી બચુ ખાબડ અને ભીખુ પરમારના મંત્રી પદ જઈ શકે છે તેવી સંભાવના છે. આ ઉપરાંત , વર્તમાન મંત્રીમંડળમાં સાતથી આઠ ચહેરા કપાઈને નવા દસેક મંત્રીઓ આવી શકે છે. મંત્રીમંડળનું કુલ કદ ૨૩ થી ૨૫ની આસપાસનું હોઈ શકે તેવું પણ સામે આવી રહ્યું છે. 

ANI on X: "Prime Minister Narendra Modi received by CM Bhupendra Patel in  Surat, Gujarat https://t.co/PLTcRNoP9d" / X

બીજી તરફ , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશપ્રમુખના પદે સી આર પાટીલને પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો છે. હાલમાં નવાપ્રદેશ પ્રમુખને લઇને નિર્ણય અટકી ચુક્યો છે. હવે ગૃહમંત્રી અમિત શાહ આજે પણ ગુજરાત પ્રવાસે છે . આ પહેલા થોડાક સમય પહેલા , પીએમ મોદી શનિવારે જ ભાવનગરની મુલાકાતે આવીને ગયા હતા. 




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.