ગુજરાત જીતવા રાહુલ ગાંધીએ બનાવી આક્રમક રણનીતિ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-25 20:50:36

ગુજરાતમાં કોંગ્રેસે અત્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. એકલા આ ૨૦૨૫ના વર્ષમા તેઓ પાંચમી વાર ગુજરાતની મુલાકાત લઇ ચુક્યા છે.

Rahul Gandhi's Bharat Jodo Yatra in Delhi tomorrow. Traffic cops issue  advisory - BusinessToday

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ૯૯ સીટો મળી છે જયારે સત્તાધારી ભારતીય જનતા પક્ષને ૨૪૦ સીટો મળી છે ત્યારે  , કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહનો માહોલ છે. જયારે , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પછી ૧૮મી લોકસભાના પહેલા સત્રમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી હતી કે , ઇન્ડી અલાયન્સ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તાધારી BJPને હરાવવા જઈ રહી છે. તો હવે , મુખ્યવિપક્ષી પાર્ટી કોંગ્રેસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓની તૈયારીમાં અત્યારથી જ લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસની સંખ્યામાં જબરદસ્ત વધારો કરી નાખ્યો છે.  કોંગ્રેસે એપ્રિલ મહિનામાં રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજયું હતું. જેમાં દેશભરના કોંગ્રેસના કદાવર નેતાઓ ગુજરાત આવ્યા હતા. થોડાક સમય પહેલા જ , ગુજરાત કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ માટે શિબિર જૂનાગઢમાં યોજી હતી. આ છેલ્લા ૬ મહિનામાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી પક્ષમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે . 

The Bharat Jodo Nyay Yatra is a campaign led by Indian National Congress  leader Rahul Gandhi.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની ક્રોનોલોજી પર નજર કરીએ તો , 

૭ - ૮ માર્ચે , શહેર જિલ્લા પ્રમુખો , સંગઠનના હોદ્દેદારો સાથે વન ટુ વન મુલાકાત કરી .

૮-૯ એપ્રિલએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી. 

૧૫-૧૬ એપ્રિલે , અમદાબાદ અને મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો

૨૬ જુલાઈએ આણંદમાં ૩ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 

૧૨મી સપ્ટેમ્બરે જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવામાં આવી 

Congress's Rahul Gandhi led Bharat Jodo Yatra culminates today in Srinagar  - Jammu Kashmir Now | The facts and information about J&K

આમ હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરે તે માટે જબરદસ્ત મહેનત શરુ કરી દીધી છેતો વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓ જીતવા માટે , લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ૨૦૨૭માં દરેક વિધાનસભા બેઠકની મુલાકાત લઇ શકે છે. આ ઉપરાંત , કાર્યકરનાં ઘરે રોકાશે અને તેમની સાથે આત્મીયતા વધારશે. સંગઠનના તમામ સેલના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. વોર્ડ પ્રમુખથી માંડીને પંચાયત અને પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે . આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ પર વધુ ફોકસ કરવામાં આવશે. એટલુંજ નહિ , બિહારમાં જેમ કોંગ્રેસએ વોટર અધિકાર યાત્રા કાઢી તેમ ગુજરાતમાં પણ કોંગ્રેસ વોટર અધિકાર યાત્રા જેવી જ યાત્રા કાઢી શકે છે. એ જાણીએ કે સૌથી મોટો પડકાર કોંગ્રેસ માટે શું હોઈ શકે છે , તો તે આમ આદમી પાર્ટી છે. વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય પછી સમગ્ર આપમાં ઉત્સાહનો માહોલ છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે. તેઓ પણ દર મહિને ગુજરાત આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પાસે મજબૂત સ્થાનિક ચેહરા છે જેમ કે , ચૈતર વસાવા , ગોપાલ ઇટાલિયા , ઈસુદાન ગઢવી , પ્રવીણ રામ વગેરે . 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે