ગુજરાત જીતવા રાહુલ ગાંધીએ બનાવી આક્રમક રણનીતિ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-25 20:50:36

ગુજરાતમાં કોંગ્રેસે અત્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. એકલા આ ૨૦૨૫ના વર્ષમા તેઓ પાંચમી વાર ગુજરાતની મુલાકાત લઇ ચુક્યા છે.

Rahul Gandhi's Bharat Jodo Yatra in Delhi tomorrow. Traffic cops issue  advisory - BusinessToday

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ૯૯ સીટો મળી છે જયારે સત્તાધારી ભારતીય જનતા પક્ષને ૨૪૦ સીટો મળી છે ત્યારે  , કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહનો માહોલ છે. જયારે , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પછી ૧૮મી લોકસભાના પહેલા સત્રમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી હતી કે , ઇન્ડી અલાયન્સ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તાધારી BJPને હરાવવા જઈ રહી છે. તો હવે , મુખ્યવિપક્ષી પાર્ટી કોંગ્રેસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓની તૈયારીમાં અત્યારથી જ લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસની સંખ્યામાં જબરદસ્ત વધારો કરી નાખ્યો છે.  કોંગ્રેસે એપ્રિલ મહિનામાં રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજયું હતું. જેમાં દેશભરના કોંગ્રેસના કદાવર નેતાઓ ગુજરાત આવ્યા હતા. થોડાક સમય પહેલા જ , ગુજરાત કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ માટે શિબિર જૂનાગઢમાં યોજી હતી. આ છેલ્લા ૬ મહિનામાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી પક્ષમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે . 

The Bharat Jodo Nyay Yatra is a campaign led by Indian National Congress  leader Rahul Gandhi.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની ક્રોનોલોજી પર નજર કરીએ તો , 

૭ - ૮ માર્ચે , શહેર જિલ્લા પ્રમુખો , સંગઠનના હોદ્દેદારો સાથે વન ટુ વન મુલાકાત કરી .

૮-૯ એપ્રિલએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી. 

૧૫-૧૬ એપ્રિલે , અમદાબાદ અને મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો

૨૬ જુલાઈએ આણંદમાં ૩ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 

૧૨મી સપ્ટેમ્બરે જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવામાં આવી 

Congress's Rahul Gandhi led Bharat Jodo Yatra culminates today in Srinagar  - Jammu Kashmir Now | The facts and information about J&K

આમ હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરે તે માટે જબરદસ્ત મહેનત શરુ કરી દીધી છેતો વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓ જીતવા માટે , લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી ૨૦૨૭માં દરેક વિધાનસભા બેઠકની મુલાકાત લઇ શકે છે. આ ઉપરાંત , કાર્યકરનાં ઘરે રોકાશે અને તેમની સાથે આત્મીયતા વધારશે. સંગઠનના તમામ સેલના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. વોર્ડ પ્રમુખથી માંડીને પંચાયત અને પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે . આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ પર વધુ ફોકસ કરવામાં આવશે. એટલુંજ નહિ , બિહારમાં જેમ કોંગ્રેસએ વોટર અધિકાર યાત્રા કાઢી તેમ ગુજરાતમાં પણ કોંગ્રેસ વોટર અધિકાર યાત્રા જેવી જ યાત્રા કાઢી શકે છે. એ જાણીએ કે સૌથી મોટો પડકાર કોંગ્રેસ માટે શું હોઈ શકે છે , તો તે આમ આદમી પાર્ટી છે. વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય પછી સમગ્ર આપમાં ઉત્સાહનો માહોલ છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે. તેઓ પણ દર મહિને ગુજરાત આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પાસે મજબૂત સ્થાનિક ચેહરા છે જેમ કે , ચૈતર વસાવા , ગોપાલ ઇટાલિયા , ઈસુદાન ગઢવી , પ્રવીણ રામ વગેરે . 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.