સી આર પાટીલનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-26 20:02:18

અમરેલીના MLA કૌશિક વેકરીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.  આ અગાઉ તેઓ પાયલ ગોટીના કેસમાં ચર્ચામાં આવ્યા હતા. હવે MLA કૌશિક વેકરીયા અને BJP પ્રદેશપ્રમુખ સી આર પાટીલનો એક ઓડીઓ ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સી આર પાટીલ કૌશિક વેકરિયાને એવું કહેતા લાગી રહ્યા છે કે , કિલ્લો એક સાથે ધ્વસ્ત નથી થતો , પરંતુ ધીરે ધીરે એના કાંગરા ખરતા જાય છે. " સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે , સી આર પાટીલ અને કૌશિક વેકરીયા વચ્ચેનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો છે? 

C.R. Patil Astrology By Chirag Daruwalla

સી આર પાટીલ : "કૌશિક મેં તને ફોન કર્યો ને પછી વ્હોટ્સએપ ફોન કર્યો તે ફોન જ ના ઉપાડ્યો." 

કૌશિક વેકરીયા : "આ લીલીયાનું શોર્ટઆઉટ કરાવી દીધું છે , તમે જે વ્હોટ્સએપ કર્યો હતો તે માટે અધિકારીઓને કહી દેવામાં        આવ્યું છે , આંદોલન બંધ કરી દેવામાં આવ્યું છે. " 

સી આર પાટીલ : "મારે તને કહેવું છે કે તે શું કર્યું છે? " 

કૌશિક વેકરીયા : "સોરી સાહેબ , તમે જે કહ્યું હતું પછી તમે વ્હોટ્સએપ કર્યું કે પછી મેં કહી દીધું છે." 

સી આર પાટીલ : "તમારા કિલ્લાના કાંગરા છે ને , આખો કિલ્લો એક સાથે નથી પડતો ધીમે ધીમે પડે છે." 

કૌશિક વેકરીયા : "હા સર." 

સી આર પાટીલ : "તમારા વિસ્તારમાં એક સમય હતો કે તમારી છાપ સારી હતી.  હવે ધીમે ધીમે બગડતી જાય છે. " 

કૌશિક વેકરીયા : "ના સર." 

સી આર પાટીલ : "ના હું તને કઉં છું ને મારો કોઈ મતલબ નથી , તને જે મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તને ડેમેજ થઈ રહ્યું છે." 

BJP to suspend party workers accused of forging letter against Amreli  Vekariya | Ahmedabad News - The Indian Express

આમ હવે , BJP પ્રદેશઅધ્યક્ષ સી આર પાટીલ અને અમરેલીના MLA કૌશિક વેકરીયા વચ્ચે જે સંવાદ થયો તે ઓડીઓ લીક થવાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.