સી આર પાટીલનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-26 20:02:18

અમરેલીના MLA કૌશિક વેકરીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.  આ અગાઉ તેઓ પાયલ ગોટીના કેસમાં ચર્ચામાં આવ્યા હતા. હવે MLA કૌશિક વેકરીયા અને BJP પ્રદેશપ્રમુખ સી આર પાટીલનો એક ઓડીઓ ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સી આર પાટીલ કૌશિક વેકરિયાને એવું કહેતા લાગી રહ્યા છે કે , કિલ્લો એક સાથે ધ્વસ્ત નથી થતો , પરંતુ ધીરે ધીરે એના કાંગરા ખરતા જાય છે. " સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે , સી આર પાટીલ અને કૌશિક વેકરીયા વચ્ચેનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો છે? 

C.R. Patil Astrology By Chirag Daruwalla

સી આર પાટીલ : "કૌશિક મેં તને ફોન કર્યો ને પછી વ્હોટ્સએપ ફોન કર્યો તે ફોન જ ના ઉપાડ્યો." 

કૌશિક વેકરીયા : "આ લીલીયાનું શોર્ટઆઉટ કરાવી દીધું છે , તમે જે વ્હોટ્સએપ કર્યો હતો તે માટે અધિકારીઓને કહી દેવામાં        આવ્યું છે , આંદોલન બંધ કરી દેવામાં આવ્યું છે. " 

સી આર પાટીલ : "મારે તને કહેવું છે કે તે શું કર્યું છે? " 

કૌશિક વેકરીયા : "સોરી સાહેબ , તમે જે કહ્યું હતું પછી તમે વ્હોટ્સએપ કર્યું કે પછી મેં કહી દીધું છે." 

સી આર પાટીલ : "તમારા કિલ્લાના કાંગરા છે ને , આખો કિલ્લો એક સાથે નથી પડતો ધીમે ધીમે પડે છે." 

કૌશિક વેકરીયા : "હા સર." 

સી આર પાટીલ : "તમારા વિસ્તારમાં એક સમય હતો કે તમારી છાપ સારી હતી.  હવે ધીમે ધીમે બગડતી જાય છે. " 

કૌશિક વેકરીયા : "ના સર." 

સી આર પાટીલ : "ના હું તને કઉં છું ને મારો કોઈ મતલબ નથી , તને જે મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તને ડેમેજ થઈ રહ્યું છે." 

BJP to suspend party workers accused of forging letter against Amreli  Vekariya | Ahmedabad News - The Indian Express

આમ હવે , BJP પ્રદેશઅધ્યક્ષ સી આર પાટીલ અને અમરેલીના MLA કૌશિક વેકરીયા વચ્ચે જે સંવાદ થયો તે ઓડીઓ લીક થવાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.