સી આર પાટીલનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-26 20:02:18

અમરેલીના MLA કૌશિક વેકરીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.  આ અગાઉ તેઓ પાયલ ગોટીના કેસમાં ચર્ચામાં આવ્યા હતા. હવે MLA કૌશિક વેકરીયા અને BJP પ્રદેશપ્રમુખ સી આર પાટીલનો એક ઓડીઓ ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સી આર પાટીલ કૌશિક વેકરિયાને એવું કહેતા લાગી રહ્યા છે કે , કિલ્લો એક સાથે ધ્વસ્ત નથી થતો , પરંતુ ધીરે ધીરે એના કાંગરા ખરતા જાય છે. " સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે , સી આર પાટીલ અને કૌશિક વેકરીયા વચ્ચેનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો છે? 

C.R. Patil Astrology By Chirag Daruwalla

સી આર પાટીલ : "કૌશિક મેં તને ફોન કર્યો ને પછી વ્હોટ્સએપ ફોન કર્યો તે ફોન જ ના ઉપાડ્યો." 

કૌશિક વેકરીયા : "આ લીલીયાનું શોર્ટઆઉટ કરાવી દીધું છે , તમે જે વ્હોટ્સએપ કર્યો હતો તે માટે અધિકારીઓને કહી દેવામાં        આવ્યું છે , આંદોલન બંધ કરી દેવામાં આવ્યું છે. " 

સી આર પાટીલ : "મારે તને કહેવું છે કે તે શું કર્યું છે? " 

કૌશિક વેકરીયા : "સોરી સાહેબ , તમે જે કહ્યું હતું પછી તમે વ્હોટ્સએપ કર્યું કે પછી મેં કહી દીધું છે." 

સી આર પાટીલ : "તમારા કિલ્લાના કાંગરા છે ને , આખો કિલ્લો એક સાથે નથી પડતો ધીમે ધીમે પડે છે." 

કૌશિક વેકરીયા : "હા સર." 

સી આર પાટીલ : "તમારા વિસ્તારમાં એક સમય હતો કે તમારી છાપ સારી હતી.  હવે ધીમે ધીમે બગડતી જાય છે. " 

કૌશિક વેકરીયા : "ના સર." 

સી આર પાટીલ : "ના હું તને કઉં છું ને મારો કોઈ મતલબ નથી , તને જે મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તને ડેમેજ થઈ રહ્યું છે." 

BJP to suspend party workers accused of forging letter against Amreli  Vekariya | Ahmedabad News - The Indian Express

આમ હવે , BJP પ્રદેશઅધ્યક્ષ સી આર પાટીલ અને અમરેલીના MLA કૌશિક વેકરીયા વચ્ચે જે સંવાદ થયો તે ઓડીઓ લીક થવાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 




દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.