સી આર પાટીલનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-26 20:02:18

અમરેલીના MLA કૌશિક વેકરીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.  આ અગાઉ તેઓ પાયલ ગોટીના કેસમાં ચર્ચામાં આવ્યા હતા. હવે MLA કૌશિક વેકરીયા અને BJP પ્રદેશપ્રમુખ સી આર પાટીલનો એક ઓડીઓ ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સી આર પાટીલ કૌશિક વેકરિયાને એવું કહેતા લાગી રહ્યા છે કે , કિલ્લો એક સાથે ધ્વસ્ત નથી થતો , પરંતુ ધીરે ધીરે એના કાંગરા ખરતા જાય છે. " સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે , સી આર પાટીલ અને કૌશિક વેકરીયા વચ્ચેનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો છે? 

C.R. Patil Astrology By Chirag Daruwalla

સી આર પાટીલ : "કૌશિક મેં તને ફોન કર્યો ને પછી વ્હોટ્સએપ ફોન કર્યો તે ફોન જ ના ઉપાડ્યો." 

કૌશિક વેકરીયા : "આ લીલીયાનું શોર્ટઆઉટ કરાવી દીધું છે , તમે જે વ્હોટ્સએપ કર્યો હતો તે માટે અધિકારીઓને કહી દેવામાં        આવ્યું છે , આંદોલન બંધ કરી દેવામાં આવ્યું છે. " 

સી આર પાટીલ : "મારે તને કહેવું છે કે તે શું કર્યું છે? " 

કૌશિક વેકરીયા : "સોરી સાહેબ , તમે જે કહ્યું હતું પછી તમે વ્હોટ્સએપ કર્યું કે પછી મેં કહી દીધું છે." 

સી આર પાટીલ : "તમારા કિલ્લાના કાંગરા છે ને , આખો કિલ્લો એક સાથે નથી પડતો ધીમે ધીમે પડે છે." 

કૌશિક વેકરીયા : "હા સર." 

સી આર પાટીલ : "તમારા વિસ્તારમાં એક સમય હતો કે તમારી છાપ સારી હતી.  હવે ધીમે ધીમે બગડતી જાય છે. " 

કૌશિક વેકરીયા : "ના સર." 

સી આર પાટીલ : "ના હું તને કઉં છું ને મારો કોઈ મતલબ નથી , તને જે મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તને ડેમેજ થઈ રહ્યું છે." 

BJP to suspend party workers accused of forging letter against Amreli  Vekariya | Ahmedabad News - The Indian Express

આમ હવે , BJP પ્રદેશઅધ્યક્ષ સી આર પાટીલ અને અમરેલીના MLA કૌશિક વેકરીયા વચ્ચે જે સંવાદ થયો તે ઓડીઓ લીક થવાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.