રક્ષા મંત્રાલયે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને આપી લીલી ઝંડી, વધશે ભારતની તાકાત


  • Published By :
  • Published Date : 2022-12-23 10:37:10

ભારત સતત પોતાની શક્તિ વધારવાને લઈ આતુર હોય છે. સમયાંતરે આધુનિક શસ્ત્રોનો સમાવેશ કરી રક્ષા ક્ષેત્રે ભારત આગળ વધવા માગે છે. ત્યારે રક્ષામંત્રાલયે સશસ્ત્રો બળોની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. શસ્ત્રોની ખરીદી માટે સંરક્ષણ મંત્રાલયે 85000 કરોડ રુપિયાથી વધુના ખરીદી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 


85000 કરોડના ખરીદ પ્રસ્તાવને મળી મંજૂરી 

ગુરૂવારે રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદ બેઠક મળી હતી. જેમાં શસ્ત્રોને ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. લડાકૂ ક્ષમતાને વધારવા માટે આ શસ્ત્રો ઉપયોગી સાબિત થશે. રક્ષામંત્રાલયના જણાવ્યા અનુસાર 24 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ 24 પ્રોજેક્ટમાં ઈન્ડિયન આર્મીના 6, એરફોર્સના 6, ઈન્ડિયન નેવીના 6 અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના 2 પ્રસ્તાવનો સમાવેશ થાય છે. 


વધશે ભારતની તાકાત 

સીમા વિવાદને લઈ અનેક વખત પાડોસી દેશો સાથે ભારતને વિવાદ થાય છે. ત્યારે હાલ ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ વચ્ચે રક્ષામંત્રાલયે 85 હજાર કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાં લાઈટ ટેન્ક, માઉન્ટન ગન સિસ્ટમ, એફઆઈસીવી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મંજૂરી મળેલા પ્રસ્તાવમાં સૈનિકો માટે આધુનિક સુરક્ષા સ્તરની સાથે બેલેસ્ટિક હેલમેટ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ઉપરાંત વિવિધ પ્રકારની રડારની ખરીદી કરવામાં આવશે.   




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.