રક્ષા મંત્રાલયે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને આપી લીલી ઝંડી, વધશે ભારતની તાકાત


  • Published By :
  • Published Date : 2022-12-23 10:37:10

ભારત સતત પોતાની શક્તિ વધારવાને લઈ આતુર હોય છે. સમયાંતરે આધુનિક શસ્ત્રોનો સમાવેશ કરી રક્ષા ક્ષેત્રે ભારત આગળ વધવા માગે છે. ત્યારે રક્ષામંત્રાલયે સશસ્ત્રો બળોની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. શસ્ત્રોની ખરીદી માટે સંરક્ષણ મંત્રાલયે 85000 કરોડ રુપિયાથી વધુના ખરીદી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 


85000 કરોડના ખરીદ પ્રસ્તાવને મળી મંજૂરી 

ગુરૂવારે રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદ બેઠક મળી હતી. જેમાં શસ્ત્રોને ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. લડાકૂ ક્ષમતાને વધારવા માટે આ શસ્ત્રો ઉપયોગી સાબિત થશે. રક્ષામંત્રાલયના જણાવ્યા અનુસાર 24 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ 24 પ્રોજેક્ટમાં ઈન્ડિયન આર્મીના 6, એરફોર્સના 6, ઈન્ડિયન નેવીના 6 અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના 2 પ્રસ્તાવનો સમાવેશ થાય છે. 


વધશે ભારતની તાકાત 

સીમા વિવાદને લઈ અનેક વખત પાડોસી દેશો સાથે ભારતને વિવાદ થાય છે. ત્યારે હાલ ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ વચ્ચે રક્ષામંત્રાલયે 85 હજાર કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાં લાઈટ ટેન્ક, માઉન્ટન ગન સિસ્ટમ, એફઆઈસીવી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મંજૂરી મળેલા પ્રસ્તાવમાં સૈનિકો માટે આધુનિક સુરક્ષા સ્તરની સાથે બેલેસ્ટિક હેલમેટ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ઉપરાંત વિવિધ પ્રકારની રડારની ખરીદી કરવામાં આવશે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે