રક્ષા મંત્રાલયે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને આપી લીલી ઝંડી, વધશે ભારતની તાકાત


  • Published By :
  • Published Date : 2022-12-23 10:37:10

ભારત સતત પોતાની શક્તિ વધારવાને લઈ આતુર હોય છે. સમયાંતરે આધુનિક શસ્ત્રોનો સમાવેશ કરી રક્ષા ક્ષેત્રે ભારત આગળ વધવા માગે છે. ત્યારે રક્ષામંત્રાલયે સશસ્ત્રો બળોની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. શસ્ત્રોની ખરીદી માટે સંરક્ષણ મંત્રાલયે 85000 કરોડ રુપિયાથી વધુના ખરીદી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 


85000 કરોડના ખરીદ પ્રસ્તાવને મળી મંજૂરી 

ગુરૂવારે રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદ બેઠક મળી હતી. જેમાં શસ્ત્રોને ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. લડાકૂ ક્ષમતાને વધારવા માટે આ શસ્ત્રો ઉપયોગી સાબિત થશે. રક્ષામંત્રાલયના જણાવ્યા અનુસાર 24 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ 24 પ્રોજેક્ટમાં ઈન્ડિયન આર્મીના 6, એરફોર્સના 6, ઈન્ડિયન નેવીના 6 અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના 2 પ્રસ્તાવનો સમાવેશ થાય છે. 


વધશે ભારતની તાકાત 

સીમા વિવાદને લઈ અનેક વખત પાડોસી દેશો સાથે ભારતને વિવાદ થાય છે. ત્યારે હાલ ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ વચ્ચે રક્ષામંત્રાલયે 85 હજાર કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાં લાઈટ ટેન્ક, માઉન્ટન ગન સિસ્ટમ, એફઆઈસીવી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મંજૂરી મળેલા પ્રસ્તાવમાં સૈનિકો માટે આધુનિક સુરક્ષા સ્તરની સાથે બેલેસ્ટિક હેલમેટ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ઉપરાંત વિવિધ પ્રકારની રડારની ખરીદી કરવામાં આવશે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.