રક્ષા મંત્રાલયે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને આપી લીલી ઝંડી, વધશે ભારતની તાકાત


  • Published By :
  • Published Date : 2022-12-23 10:37:10

ભારત સતત પોતાની શક્તિ વધારવાને લઈ આતુર હોય છે. સમયાંતરે આધુનિક શસ્ત્રોનો સમાવેશ કરી રક્ષા ક્ષેત્રે ભારત આગળ વધવા માગે છે. ત્યારે રક્ષામંત્રાલયે સશસ્ત્રો બળોની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. શસ્ત્રોની ખરીદી માટે સંરક્ષણ મંત્રાલયે 85000 કરોડ રુપિયાથી વધુના ખરીદી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 


85000 કરોડના ખરીદ પ્રસ્તાવને મળી મંજૂરી 

ગુરૂવારે રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદ બેઠક મળી હતી. જેમાં શસ્ત્રોને ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. લડાકૂ ક્ષમતાને વધારવા માટે આ શસ્ત્રો ઉપયોગી સાબિત થશે. રક્ષામંત્રાલયના જણાવ્યા અનુસાર 24 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ 24 પ્રોજેક્ટમાં ઈન્ડિયન આર્મીના 6, એરફોર્સના 6, ઈન્ડિયન નેવીના 6 અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના 2 પ્રસ્તાવનો સમાવેશ થાય છે. 


વધશે ભારતની તાકાત 

સીમા વિવાદને લઈ અનેક વખત પાડોસી દેશો સાથે ભારતને વિવાદ થાય છે. ત્યારે હાલ ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ વચ્ચે રક્ષામંત્રાલયે 85 હજાર કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાં લાઈટ ટેન્ક, માઉન્ટન ગન સિસ્ટમ, એફઆઈસીવી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મંજૂરી મળેલા પ્રસ્તાવમાં સૈનિકો માટે આધુનિક સુરક્ષા સ્તરની સાથે બેલેસ્ટિક હેલમેટ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ઉપરાંત વિવિધ પ્રકારની રડારની ખરીદી કરવામાં આવશે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.