કેજરીવાલ સરકારમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ બન્યા મંત્રી, રાષ્ટ્રપતિએ સિસોદિયા અને જૈનનું રાજીનામું મંજૂર કર્યું


  • Published By :
  • Published Date : 2023-03-07 18:15:52

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે (7 માર્ચ, 2023) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સલાહ પર AAP ધારાસભ્યો આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા. કેજરીવાલે તેમની કેબિનેટમાં નિમણૂક માટે આ બંને ધારાસભ્યોના નામ ઉપરાજ્યપાલને મોકલ્યા હતા. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ, દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારતા પ્રસન્નતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર તાત્કાલિક અસરથી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.


કોણ છે સૌરભ ભારદ્વાજ અને આતિશી?


સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેમણે દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. કેજરીવાલ સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ તે મંત્રી હતા. જ્યારે કાલકાજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી આતિશી સિસોદિયાની એજ્યુકેશન ટીમના મુખ્ય સભ્ય રહી ચૂક્યા છે. તેમણે પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી. તેને ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


સિસોદિયા અને જૈનના બદલે મળ્યું સ્થાન


AAPના બીજા ક્રમના નેતા મનીષ સિસોદિયાને રવિવારે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈનની ગયા વર્ષે મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે જેલમાં છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.