કેજરીવાલ સરકારમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ બન્યા મંત્રી, રાષ્ટ્રપતિએ સિસોદિયા અને જૈનનું રાજીનામું મંજૂર કર્યું


  • Published By :
  • Published Date : 2023-03-07 18:15:52

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે (7 માર્ચ, 2023) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સલાહ પર AAP ધારાસભ્યો આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા. કેજરીવાલે તેમની કેબિનેટમાં નિમણૂક માટે આ બંને ધારાસભ્યોના નામ ઉપરાજ્યપાલને મોકલ્યા હતા. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ, દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારતા પ્રસન્નતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર તાત્કાલિક અસરથી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.


કોણ છે સૌરભ ભારદ્વાજ અને આતિશી?


સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેમણે દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. કેજરીવાલ સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ તે મંત્રી હતા. જ્યારે કાલકાજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી આતિશી સિસોદિયાની એજ્યુકેશન ટીમના મુખ્ય સભ્ય રહી ચૂક્યા છે. તેમણે પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી. તેને ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


સિસોદિયા અને જૈનના બદલે મળ્યું સ્થાન


AAPના બીજા ક્રમના નેતા મનીષ સિસોદિયાને રવિવારે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈનની ગયા વર્ષે મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે જેલમાં છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.