કેજરીવાલ સરકારમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ બન્યા મંત્રી, રાષ્ટ્રપતિએ સિસોદિયા અને જૈનનું રાજીનામું મંજૂર કર્યું


  • Published By :
  • Published Date : 2023-03-07 18:15:52

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે (7 માર્ચ, 2023) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સલાહ પર AAP ધારાસભ્યો આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા. કેજરીવાલે તેમની કેબિનેટમાં નિમણૂક માટે આ બંને ધારાસભ્યોના નામ ઉપરાજ્યપાલને મોકલ્યા હતા. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ, દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારતા પ્રસન્નતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર તાત્કાલિક અસરથી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.


કોણ છે સૌરભ ભારદ્વાજ અને આતિશી?


સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેમણે દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. કેજરીવાલ સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ તે મંત્રી હતા. જ્યારે કાલકાજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી આતિશી સિસોદિયાની એજ્યુકેશન ટીમના મુખ્ય સભ્ય રહી ચૂક્યા છે. તેમણે પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી. તેને ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


સિસોદિયા અને જૈનના બદલે મળ્યું સ્થાન


AAPના બીજા ક્રમના નેતા મનીષ સિસોદિયાને રવિવારે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈનની ગયા વર્ષે મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે જેલમાં છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.