દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થયા ભાવુક! કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું ' આજે મનીષ જીની ખૂબ જ યાદ આવી રહી છે'


  • Published By :
  • Published Date : 2023-06-07 17:05:50

મનીષ સિસોદીયા ઘણા સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જામીન માટે અનેક વખત અરજી કરવામાં આવી છે પરંતુ તેમની અરજીને ખારિજ કરવામાં આવે છે. ત્યારે મનીષ સિસોદીયાને યાદ કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા. કેજરીવાલની આંખો ભરાઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલ શૈક્ષણિક સંસ્થાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું આજે મને મનીષ સિસોદીયાની ઘણી યાદ આવે છે.

 


મનીષ સિસોદિયાને યાદ કરી કેજરીવાલ ભાવુક થયા! 

સ્ટેજ પર સંબોધન કરતી વખતે અનેક વખત નેતાઓ  ભાવુક થઈ જતા હોય છે. અચાનક તેમની આંખો ભરાઈ આવે છે અને તે રડવા લાગે છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને યાદ કરી રડવા લાગ્યા હતા. દરિયાપુર ગામમાં સ્કૂલ ઓફ સ્પેશિયલાઈઝ્ડ એક્સેલન્સના ઉદ્ધાટન પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને કેજરીવાલે યાદ કર્યા હતા. સંબોધન વખતે તેમણે કહ્યું કે આજે મનીષજીની ખૂબ જ યાદ આવી રહી છે. આ બધું તેમનું સપનું હતું. 


ભાજપની સરકાર પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર!

સંબોધન કરતી વખતે કેન્દ્ર સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે શિક્ષણ ક્રાંતિનો અંત આવે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં. તેની શરૂઆત મનીષજી દ્વારા કરવામાં આવી હતી. તેમનું સપનું હતું કે તમામ બાળકોને સારૂં શિક્ષણ મળે. આવા સારા માણસને ભાજપ સરકારે જેલમાં ધકેલી દીધા છે. જો તેમણે સારી શાળાઓ ન બનાવી હોત, યોગ્ય શિક્ષણ ન આપ્યું હોત તો તે આજે જેલમાં ન હોત. આપણે મનીષ સિસોદિયાના સપના પૂરા કરવાના છે. તે બહુ જલ્દી તિહાર જેલમાંથી બહાર આવશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.