દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થયા ભાવુક! કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું ' આજે મનીષ જીની ખૂબ જ યાદ આવી રહી છે'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 17:05:50

મનીષ સિસોદીયા ઘણા સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જામીન માટે અનેક વખત અરજી કરવામાં આવી છે પરંતુ તેમની અરજીને ખારિજ કરવામાં આવે છે. ત્યારે મનીષ સિસોદીયાને યાદ કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા. કેજરીવાલની આંખો ભરાઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલ શૈક્ષણિક સંસ્થાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું આજે મને મનીષ સિસોદીયાની ઘણી યાદ આવે છે.

 


મનીષ સિસોદિયાને યાદ કરી કેજરીવાલ ભાવુક થયા! 

સ્ટેજ પર સંબોધન કરતી વખતે અનેક વખત નેતાઓ  ભાવુક થઈ જતા હોય છે. અચાનક તેમની આંખો ભરાઈ આવે છે અને તે રડવા લાગે છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને યાદ કરી રડવા લાગ્યા હતા. દરિયાપુર ગામમાં સ્કૂલ ઓફ સ્પેશિયલાઈઝ્ડ એક્સેલન્સના ઉદ્ધાટન પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને કેજરીવાલે યાદ કર્યા હતા. સંબોધન વખતે તેમણે કહ્યું કે આજે મનીષજીની ખૂબ જ યાદ આવી રહી છે. આ બધું તેમનું સપનું હતું. 


ભાજપની સરકાર પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર!

સંબોધન કરતી વખતે કેન્દ્ર સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે શિક્ષણ ક્રાંતિનો અંત આવે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં. તેની શરૂઆત મનીષજી દ્વારા કરવામાં આવી હતી. તેમનું સપનું હતું કે તમામ બાળકોને સારૂં શિક્ષણ મળે. આવા સારા માણસને ભાજપ સરકારે જેલમાં ધકેલી દીધા છે. જો તેમણે સારી શાળાઓ ન બનાવી હોત, યોગ્ય શિક્ષણ ન આપ્યું હોત તો તે આજે જેલમાં ન હોત. આપણે મનીષ સિસોદિયાના સપના પૂરા કરવાના છે. તે બહુ જલ્દી તિહાર જેલમાંથી બહાર આવશે. 



કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.