વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપનો દિલ્હી MCD ચૂંટણીમાં પરાજય, 15 વર્ષના શાસનનો અંત


  • Published By :
  • Published Date : 2022-12-07 17:25:19

આમ આદમી પાર્ટીએ દિલ્હી કોર્પોરેશન પર કબજો જમાવી દીધો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી આપે બહુમતીથી જીતી લીધી છે. દિલ્હી કોર્પોરેશન પર ભાજપના 15 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર હતી જેમાં અંતે આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ છે. 


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આપનો કબજો


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 250 બેઠકો પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી આમ આદમી પાર્ટીને 134, ભાજપને 104, કોંગ્રેસને 9 અને અન્યને 3 બેઠકો મળી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે.  જોકે, આપને કોર્પોરેશનની ચૂંટણીમાં 42 ટકાની આસપાસ મત મળ્યા છે. જેને વિધાનસભામાં 53 ટકા મત મળ્યા હતા. હવે સવાલ એ થઈ રહ્યો છે 11 ટકા મતદારો ક્યાં સરકી ગયા? 


AAPના નેતાઓએ શું કહ્યું?


આપની ભવ્ય જીત બાદ પાર્ટી હેડક્વાર્ટર પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે "દિલ્હીની જનતાએ 15 વર્ષના ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવીને કેજરીવાલના નેતૃત્વમાં AAP સરકાર બનાવવા માટે બહુમતી આપી છે તે માટે લોકોનો આભાર. અમારા માટે આ મોટી જવાબદારી છે. દિલ્હીની જનતાએ મને દિલ્હીની સફાઈ, ભ્રષ્ટાચાર દૂર કરવા, પાર્કને ઠીક કરવા સહિતની ઘણી જવાબદારીઓ આપી છે. તમારા આ વિશ્વાસને જાળવી રાખવા હું દિવસ-રાત અથાગ પ્રયત્ન કરીશ. હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. હું દિલ્હીના લોકોને આટલા મોટા પરિવર્તન માટે, આટલી મોટી અને શાનદાર જીત માટે અભિનંદન આપવા માંગુ છું."

બીજી તરફ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી એમસીડીમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીની જનતાનો હૃદયપૂર્વક આભાર. આ પહેલા સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે દુનિયાની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને દિલ્હીની જનતાએ કટ્ટર ઈમાનદાર અને કાર્યકારી @ArvindKejriwal જીને જીત અપાવી છે. અમારા માટે આ માત્ર જીત નથી પણ મોટી જવાબદારી છે.


તે જ રીતે, પંજાબના સીએમ ભગવંત માન આ પ્રસંગે ચપટી લેતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે આજના એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે તો ગઈ કાલના એક્ઝિટ પોલને ખોટા સાબિત ન થઈ શકે? ગુજરાતમાં તમને આવતીકાલે ચમત્કાર જોવા મળશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.