વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપનો દિલ્હી MCD ચૂંટણીમાં પરાજય, 15 વર્ષના શાસનનો અંત


  • Published By :
  • Published Date : 2022-12-07 17:25:19

આમ આદમી પાર્ટીએ દિલ્હી કોર્પોરેશન પર કબજો જમાવી દીધો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી આપે બહુમતીથી જીતી લીધી છે. દિલ્હી કોર્પોરેશન પર ભાજપના 15 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર હતી જેમાં અંતે આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ છે. 


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આપનો કબજો


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 250 બેઠકો પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી આમ આદમી પાર્ટીને 134, ભાજપને 104, કોંગ્રેસને 9 અને અન્યને 3 બેઠકો મળી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે.  જોકે, આપને કોર્પોરેશનની ચૂંટણીમાં 42 ટકાની આસપાસ મત મળ્યા છે. જેને વિધાનસભામાં 53 ટકા મત મળ્યા હતા. હવે સવાલ એ થઈ રહ્યો છે 11 ટકા મતદારો ક્યાં સરકી ગયા? 


AAPના નેતાઓએ શું કહ્યું?


આપની ભવ્ય જીત બાદ પાર્ટી હેડક્વાર્ટર પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે "દિલ્હીની જનતાએ 15 વર્ષના ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવીને કેજરીવાલના નેતૃત્વમાં AAP સરકાર બનાવવા માટે બહુમતી આપી છે તે માટે લોકોનો આભાર. અમારા માટે આ મોટી જવાબદારી છે. દિલ્હીની જનતાએ મને દિલ્હીની સફાઈ, ભ્રષ્ટાચાર દૂર કરવા, પાર્કને ઠીક કરવા સહિતની ઘણી જવાબદારીઓ આપી છે. તમારા આ વિશ્વાસને જાળવી રાખવા હું દિવસ-રાત અથાગ પ્રયત્ન કરીશ. હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. હું દિલ્હીના લોકોને આટલા મોટા પરિવર્તન માટે, આટલી મોટી અને શાનદાર જીત માટે અભિનંદન આપવા માંગુ છું."

બીજી તરફ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી એમસીડીમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીની જનતાનો હૃદયપૂર્વક આભાર. આ પહેલા સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે દુનિયાની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને દિલ્હીની જનતાએ કટ્ટર ઈમાનદાર અને કાર્યકારી @ArvindKejriwal જીને જીત અપાવી છે. અમારા માટે આ માત્ર જીત નથી પણ મોટી જવાબદારી છે.


તે જ રીતે, પંજાબના સીએમ ભગવંત માન આ પ્રસંગે ચપટી લેતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે આજના એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે તો ગઈ કાલના એક્ઝિટ પોલને ખોટા સાબિત ન થઈ શકે? ગુજરાતમાં તમને આવતીકાલે ચમત્કાર જોવા મળશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.