વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપનો દિલ્હી MCD ચૂંટણીમાં પરાજય, 15 વર્ષના શાસનનો અંત


  • Published By :
  • Published Date : 2022-12-07 17:25:19

આમ આદમી પાર્ટીએ દિલ્હી કોર્પોરેશન પર કબજો જમાવી દીધો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી આપે બહુમતીથી જીતી લીધી છે. દિલ્હી કોર્પોરેશન પર ભાજપના 15 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર હતી જેમાં અંતે આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ છે. 


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આપનો કબજો


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 250 બેઠકો પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી આમ આદમી પાર્ટીને 134, ભાજપને 104, કોંગ્રેસને 9 અને અન્યને 3 બેઠકો મળી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે.  જોકે, આપને કોર્પોરેશનની ચૂંટણીમાં 42 ટકાની આસપાસ મત મળ્યા છે. જેને વિધાનસભામાં 53 ટકા મત મળ્યા હતા. હવે સવાલ એ થઈ રહ્યો છે 11 ટકા મતદારો ક્યાં સરકી ગયા? 


AAPના નેતાઓએ શું કહ્યું?


આપની ભવ્ય જીત બાદ પાર્ટી હેડક્વાર્ટર પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે "દિલ્હીની જનતાએ 15 વર્ષના ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવીને કેજરીવાલના નેતૃત્વમાં AAP સરકાર બનાવવા માટે બહુમતી આપી છે તે માટે લોકોનો આભાર. અમારા માટે આ મોટી જવાબદારી છે. દિલ્હીની જનતાએ મને દિલ્હીની સફાઈ, ભ્રષ્ટાચાર દૂર કરવા, પાર્કને ઠીક કરવા સહિતની ઘણી જવાબદારીઓ આપી છે. તમારા આ વિશ્વાસને જાળવી રાખવા હું દિવસ-રાત અથાગ પ્રયત્ન કરીશ. હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. હું દિલ્હીના લોકોને આટલા મોટા પરિવર્તન માટે, આટલી મોટી અને શાનદાર જીત માટે અભિનંદન આપવા માંગુ છું."

બીજી તરફ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી એમસીડીમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીની જનતાનો હૃદયપૂર્વક આભાર. આ પહેલા સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે દુનિયાની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને દિલ્હીની જનતાએ કટ્ટર ઈમાનદાર અને કાર્યકારી @ArvindKejriwal જીને જીત અપાવી છે. અમારા માટે આ માત્ર જીત નથી પણ મોટી જવાબદારી છે.


તે જ રીતે, પંજાબના સીએમ ભગવંત માન આ પ્રસંગે ચપટી લેતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે આજના એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે તો ગઈ કાલના એક્ઝિટ પોલને ખોટા સાબિત ન થઈ શકે? ગુજરાતમાં તમને આવતીકાલે ચમત્કાર જોવા મળશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે