નોકરી કરતા લોકો માટે દિલ્હી સરકારે લીધો મહત્વનો નિર્ણય! ઓવરટાઈમ કરનાર કર્મચારીને મળશે ઓવરટાઈમના પૈસા!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:37:25

અનેક લોકોની નોકરી એવી હોય છે કે  working hours બાદ પણ કામ કરવું પડતું હોય છે. જો ઓવર ટાઈમ કરવાનું આવે તો કર્મચારીઓના મોઢા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દેશની રાજધાની દિલ્હીથી સમાચાર આવ્યા કે ઓવરટાઈમ કરતા લોકોને હવે પોતાની મહેનતના પૈસા મળવાના છે. જો એક દિવસમાં 8 કલાકથી વધુ કામ કરશો તો તેને ઓવરટાઈમ કહેવાશે અને જો અઠવાડિયામાં તમે 48 કલાકથી વધુ કામ કરશો તો ઓવરટાઈમ માનવામાં આવશે. 


ઓવરટાઈમ કરવાના પણ મળશે રૂપિયા!

દિલ્હીની કેજરીવાલ સરકારે શ્રમ વિભાગ દ્વારા આપવામાં આવેલા  પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારના નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ કર્મચારી ઓવરટાઈમ કરશે તો તેને કલાકના હિસાબે રૂપિયા મળશે. પણ ઓવરટાઈમની સાથે તેની પણ લિમિટ નક્કી કરવામાં આવી છે. એટલે કે એક વ્યક્તિ 12 કલાકથી વધુ કામ નહીં કરી શકે. આ સિવાય કોઈ સતત સાત દિવસ પણ ઓવરટાઈમ નહીં કરી શકે. 


સરકારી કર્મચારીઓ માટે રજાની કરાઈ સુવિધા!

બીજી વસ્તુ એ છે કે અઠવાડિયામાં 60 કલાકથી વધુ કામ નહીં કરી શકે.. કેજરીવાલ સરકારે દિલ્હી સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાની પણ સુવિધા નક્કી કરી છે.. સરકારી કર્મચારીઓને વેકેશનના સમયમાં અલગથી રજાઓ આપવામાં આવશે. આ સિવાય બીજી પણ જોગવાઈ અથવા તો સૂચનો કરવામાં આવ્યા છે. 


આ કર્મચારીઓને જ મળશે ઓવરટાઈમમાં કરાયેલા ફેરફારનો લાભ!

બીજી જોગવાઈની વાત કરીએ તો દિલ્હી સરકારે કહ્યું છે કે જો કર્મચારી કેમિકલ જેવી ફેક્ટરીમાં કામ કરતા હશે તો રેગ્યુલર હેલ્થચેકપ જરૂરી છે. કંપનીમાં કોઈ વ્યક્તિ સાથે દુર્ઘટના થાય તો 12 કલાકની અંદર શ્રમ વિભાગને માહિતી આપવી પડશે. કોઈ પણ ક્ષેત્રમાં જોઈનિંગ લેટર એટલે કે નોકરી મળી છે તેનો લેટર, એક્સપિરિયન્સ લેટર એટલે કે કંપનીમાં કેટલું કામ કર્યું અને કેટલો અનુભવ છે અને સેલેરી સ્લિપ આપવી ફરજિયાત હશે તેવી પણ જોગવાઈ કરી છે... મહત્વની વાત એ છે કે ઓવરટાઈમ વાળી વાત ખાલી સરકારી વ્યક્તિઓ માટે જ છે....



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.