નોકરી કરતા લોકો માટે દિલ્હી સરકારે લીધો મહત્વનો નિર્ણય! ઓવરટાઈમ કરનાર કર્મચારીને મળશે ઓવરટાઈમના પૈસા!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:37:25

અનેક લોકોની નોકરી એવી હોય છે કે  working hours બાદ પણ કામ કરવું પડતું હોય છે. જો ઓવર ટાઈમ કરવાનું આવે તો કર્મચારીઓના મોઢા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દેશની રાજધાની દિલ્હીથી સમાચાર આવ્યા કે ઓવરટાઈમ કરતા લોકોને હવે પોતાની મહેનતના પૈસા મળવાના છે. જો એક દિવસમાં 8 કલાકથી વધુ કામ કરશો તો તેને ઓવરટાઈમ કહેવાશે અને જો અઠવાડિયામાં તમે 48 કલાકથી વધુ કામ કરશો તો ઓવરટાઈમ માનવામાં આવશે. 


ઓવરટાઈમ કરવાના પણ મળશે રૂપિયા!

દિલ્હીની કેજરીવાલ સરકારે શ્રમ વિભાગ દ્વારા આપવામાં આવેલા  પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારના નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ કર્મચારી ઓવરટાઈમ કરશે તો તેને કલાકના હિસાબે રૂપિયા મળશે. પણ ઓવરટાઈમની સાથે તેની પણ લિમિટ નક્કી કરવામાં આવી છે. એટલે કે એક વ્યક્તિ 12 કલાકથી વધુ કામ નહીં કરી શકે. આ સિવાય કોઈ સતત સાત દિવસ પણ ઓવરટાઈમ નહીં કરી શકે. 


સરકારી કર્મચારીઓ માટે રજાની કરાઈ સુવિધા!

બીજી વસ્તુ એ છે કે અઠવાડિયામાં 60 કલાકથી વધુ કામ નહીં કરી શકે.. કેજરીવાલ સરકારે દિલ્હી સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાની પણ સુવિધા નક્કી કરી છે.. સરકારી કર્મચારીઓને વેકેશનના સમયમાં અલગથી રજાઓ આપવામાં આવશે. આ સિવાય બીજી પણ જોગવાઈ અથવા તો સૂચનો કરવામાં આવ્યા છે. 


આ કર્મચારીઓને જ મળશે ઓવરટાઈમમાં કરાયેલા ફેરફારનો લાભ!

બીજી જોગવાઈની વાત કરીએ તો દિલ્હી સરકારે કહ્યું છે કે જો કર્મચારી કેમિકલ જેવી ફેક્ટરીમાં કામ કરતા હશે તો રેગ્યુલર હેલ્થચેકપ જરૂરી છે. કંપનીમાં કોઈ વ્યક્તિ સાથે દુર્ઘટના થાય તો 12 કલાકની અંદર શ્રમ વિભાગને માહિતી આપવી પડશે. કોઈ પણ ક્ષેત્રમાં જોઈનિંગ લેટર એટલે કે નોકરી મળી છે તેનો લેટર, એક્સપિરિયન્સ લેટર એટલે કે કંપનીમાં કેટલું કામ કર્યું અને કેટલો અનુભવ છે અને સેલેરી સ્લિપ આપવી ફરજિયાત હશે તેવી પણ જોગવાઈ કરી છે... મહત્વની વાત એ છે કે ઓવરટાઈમ વાળી વાત ખાલી સરકારી વ્યક્તિઓ માટે જ છે....



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.