BBC ડોક્યુમેન્ટરી: દિલ્હી હાઈકોર્ટે માનહાનિના કેસમાં BBCને નોટિસ ફટકારી, જવાબ માંગ્યો


  • Published By :
  • Published Date : 2023-05-22 19:33:09

દિલ્હી હાઈકોર્ટે બ્રિટિશિ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને એક ગેર સરકારી સંગઠન (NGO) દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસ મામલે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે BBCની આ ડોક્યુમેન્ટરીમાં ભારત, ભારતના ન્યાયતંત્ર અને PM મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ન્યાયમૂર્તિ સચિન દત્તાએ BBC (બ્રિટન) ઉપરાંત BBC (ભારત)ને પણ નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ગુજરાતના ગેર સરકારી સંગઠન જસ્ટિસ ફોર ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ અંગે તમામને જવાબ આપવા માટે કહ્યું છે. NGO વતી સિનિયર વકીલ હરીશ સાલ્વે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રીએ ભારત અને ન્યાયતંત્ર સહિત સમગ્ર વ્યવસ્થાને બદનામ કરી છે.


રૂ.10,000 કરોડનો માનહાનિનો કેસ 

 

દિલ્હી હાઈકોર્ટે સોમવારે બ્રિટિશ મીડિયા સંસ્થા બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને સમન્સ જારી કર્યા છે. BBC સામે 10,000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ બદનક્ષી સાથે સંબંધિત છે. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, BBCએ તાજેતરમાં ગુજરાત રમખાણો પર બે ભાગની ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી. તેનાથી ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ થશે. આ સમગ્ર મામલાની પ્રતિક્રિયા આપતા સાલ્વેએ કહ્યું છે કે, જો બ્રિટિશ સરકાર સાથે પણ આવું જ કંઈક કરવામાં આવે તો તેમની પ્રતિક્રિયા શું હશે? આ ડોક્યુમેન્ટરી ભારત, તેના વડાપ્રધાન, ન્યાયતંત્ર અને સમગ્ર સિસ્ટમ પર સંપૂર્ણ રીતે કલંક છે. તેમણે BBCને ચેતવણી આપી હતી કે, તે આ મામલે માફી માંગે તો સારું રહેશે. 


આગામી સુનાવણી સપ્ટેમ્બરમાં થશે


NGO વતી હાઈકોર્ટમાં હાજર રહેલા સિનિયર વકીલ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે ડોક્યુમેન્ટ્રી દ્વારા વડાપ્રધાન પર પણ હુમલો કરવામાં આવ્યો છે. વાદી વતી દલીલ કરવામાં આવી કે આડોક્યુમેન્ટ્રી બદનક્ષીભર્યા આક્ષેપો કરે છે અને દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બર નક્કી કરી છે.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે, 17 જાન્યુઆરીએ, BBC (યુકે) દ્વારા 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની ડોક્યુમેન્ટ્રીનો પ્રથમ એપિસોડ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડોક્યુમેન્ટ્રીના બે ભાગ છે. બીજો એપિસોડ આવતા અઠવાડિયે રિલીઝ થવાનો હતો, પરંતુ તે પહેલા ડોક્યુમેન્ટરીની કથાવસ્તુને લઈને હોબાળો થયો હતો. સરકારે ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ તેને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવી હતી.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?