સેવન્થ ડે સ્કૂલની ઘટના પર અમદાવાદના આ વિસ્તારોમાં બંધનું એલાન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-21 11:30:16

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે. 

Ahmedabad School Stabbing: Class 10 student killed by junior, mob ransacks  school - The Hindu

આજે ૧૦ વર્ષ અને ૧૩ વર્ષની ઉંમરના બાળકો પુખ્ત થાય તે પહેલા જ ગંભીર ગુનાઓમાં હવે જેલમાં જઈ રહ્યા છે . હવે આપણા બાળકોમાં એ બાળપણ ખતમ થઇ રહ્યું છે. વાત કરીએ , અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલની કે જ્યાં , ધોરણ ૮ના વિદ્યાર્થીએ એક ધારદાર સાધનથી ધોરણ ૧૦ના વિદ્યાર્થીને ઘા માર્યા અને પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે. તો હવે અમદાવાદના આ વિસ્તારમાં ઘટનાના ખુબ ઘેર પ્રત્યાઘાત પડ્યા છે . આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે. 

Teen Fatally Stabbed by Junior Outside Ahmedabad School; Protests Turn  Violent - The CSR Journal

ખોખરા, ઇસનપુર , મણિનગર , કાંકરિયા સહિતની તમામ દુકાનના વેપારીઓ દ્વારા વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ રૂપે બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત , પોલીસની ટિમ અલગ અલગ સ્કૂલોમાં ચેકીંગ માટે પહોંચી છે. DEOની ટિમ પણ સેવન્થ ડે સ્કૂલ પર તપાસ માટે પહોંચી છે . હાલમાં મણિનગર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે . સિંધી સમાજ દ્વારા , આજે 21mi ઓગસ્ટના રોજ મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ અને આસપાસની દુકાનો બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આવો જાણીએ આ આખી ઘટના શું હતી? અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થોડા દિવસ અગાઉ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. આ તકરાર બાદ પણ અવારનવાર આ વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતી હતી. આ પછી ધોરણ-8ના વિદ્યાર્થીએ શાળાની બહાર ધોરણ-10ના વિદ્યાર્થીને ધારદાર વસ્તુથી ઘા માર્યા હતા . આ હુમલા બાદ ઘાયલ થયેલા ધોરણ-10 વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હવે શાળામાં વિદ્યાર્થીના મૃત્યુ સંદર્ભે વાલીઓએ હોબાળો મચાવી દીધો છે.  વિદ્યાર્થીના પરિવાર અને સમાજના સભ્યો શાળામાં ધસી ગયા હતા. મૃતક વિદ્યાર્થીના સગાઓએ શાળામાં પ્રિન્સિપાલ અને શિક્ષકોને માર માર્યો હતો. વાલીઓએ શાળાની પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ હુમલો કરનાર વિદ્યાર્થી પર અગાઉ 2 વાર નાની-મોટી ફરિયાદો શાળામાં થઈ ચૂકી છે.  વિદ્યાર્થીના મૃત્યુ બાદ સ્કૂલની બેદરકારીની હકીકતો સામે આવી હતી . કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે , ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દોડીને સ્કૂલના કેમ્પસમાં આવ્યો હતો પણ કોઈ ગાર્ડ કે શિક્ષકોએ હાજર હોવા છતાં મદદ નહોતી કરી . અંતે તેનો એક મિત્ર તેને રિક્ષામાં હોસ્પિટલમાં લઇ ગયો હતો.  હવે  ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરેલ છે સાથે જ સગીર વિદ્યાર્થીની અટકાયત પણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.  




ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.