સેવન્થ ડે સ્કૂલની ઘટના પર અમદાવાદના આ વિસ્તારોમાં બંધનું એલાન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-21 11:30:16

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે. 

Ahmedabad School Stabbing: Class 10 student killed by junior, mob ransacks  school - The Hindu

આજે ૧૦ વર્ષ અને ૧૩ વર્ષની ઉંમરના બાળકો પુખ્ત થાય તે પહેલા જ ગંભીર ગુનાઓમાં હવે જેલમાં જઈ રહ્યા છે . હવે આપણા બાળકોમાં એ બાળપણ ખતમ થઇ રહ્યું છે. વાત કરીએ , અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલની કે જ્યાં , ધોરણ ૮ના વિદ્યાર્થીએ એક ધારદાર સાધનથી ધોરણ ૧૦ના વિદ્યાર્થીને ઘા માર્યા અને પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે. તો હવે અમદાવાદના આ વિસ્તારમાં ઘટનાના ખુબ ઘેર પ્રત્યાઘાત પડ્યા છે . આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે. 

Teen Fatally Stabbed by Junior Outside Ahmedabad School; Protests Turn  Violent - The CSR Journal

ખોખરા, ઇસનપુર , મણિનગર , કાંકરિયા સહિતની તમામ દુકાનના વેપારીઓ દ્વારા વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ રૂપે બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત , પોલીસની ટિમ અલગ અલગ સ્કૂલોમાં ચેકીંગ માટે પહોંચી છે. DEOની ટિમ પણ સેવન્થ ડે સ્કૂલ પર તપાસ માટે પહોંચી છે . હાલમાં મણિનગર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે . સિંધી સમાજ દ્વારા , આજે 21mi ઓગસ્ટના રોજ મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ અને આસપાસની દુકાનો બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આવો જાણીએ આ આખી ઘટના શું હતી? અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થોડા દિવસ અગાઉ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. આ તકરાર બાદ પણ અવારનવાર આ વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતી હતી. આ પછી ધોરણ-8ના વિદ્યાર્થીએ શાળાની બહાર ધોરણ-10ના વિદ્યાર્થીને ધારદાર વસ્તુથી ઘા માર્યા હતા . આ હુમલા બાદ ઘાયલ થયેલા ધોરણ-10 વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હવે શાળામાં વિદ્યાર્થીના મૃત્યુ સંદર્ભે વાલીઓએ હોબાળો મચાવી દીધો છે.  વિદ્યાર્થીના પરિવાર અને સમાજના સભ્યો શાળામાં ધસી ગયા હતા. મૃતક વિદ્યાર્થીના સગાઓએ શાળામાં પ્રિન્સિપાલ અને શિક્ષકોને માર માર્યો હતો. વાલીઓએ શાળાની પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ હુમલો કરનાર વિદ્યાર્થી પર અગાઉ 2 વાર નાની-મોટી ફરિયાદો શાળામાં થઈ ચૂકી છે.  વિદ્યાર્થીના મૃત્યુ બાદ સ્કૂલની બેદરકારીની હકીકતો સામે આવી હતી . કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે , ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દોડીને સ્કૂલના કેમ્પસમાં આવ્યો હતો પણ કોઈ ગાર્ડ કે શિક્ષકોએ હાજર હોવા છતાં મદદ નહોતી કરી . અંતે તેનો એક મિત્ર તેને રિક્ષામાં હોસ્પિટલમાં લઇ ગયો હતો.  હવે  ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરેલ છે સાથે જ સગીર વિદ્યાર્થીની અટકાયત પણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.  




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.