સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ ખુબ મોટું કદમ ઉઠાવશે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-22 16:24:48

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે. 

Seventh-day Adventist Higher Secondary School, 132 Feet Ring Rd, Haripura,  Maninagar East, Hatkeshwar, Ahmedabad, Gujarat | YAYSKOOL

થોડાક સમય અગાઉ , અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૮ના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ના વિદ્યાર્થી પર ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ઝગડો થતા , ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો. જેમાં ધોરણ ૮ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે . જેનાથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે . સેવન્થ ડે સ્કૂલમાં આ જે ઘટના બની તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે . ક્રાઇમ બ્રાન્ચ દ્વારા , શાળાના CCTV ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે . તેના કારણે હકીકત એ બહાર આવી છે કે , પ્રથમ દ્રષ્ટિએ , શાળાની ખુબ મોટી બેદરકારી છે . બે વસ્તુ ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવી છે કે , એ ઘાયલ વિદ્યાર્થી જયારે શાળાની અંદર આવ્યો ત્યારે તેને કોઈ પણ તાત્કાલિક સારવાર કે મદદ શાળાના તંત્ર તરફથી મળી નહોતી. આ ઉપરાંત સેવન્થ ડે સ્કૂલના પ્રશાસન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે , તેમણે આ આખી ઘટનામાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે . હવે ક્રાઇમ બ્રાન્ચ આના આધારે , શાળા પ્રશાસનની સામે કોર્ટની મંજૂરી લઇને ફરિયાદ નોંધશે. જો આ ફરિયાદ નોંધવામાં આવશે આ ઘટનામાં કુલ ૩ ફરિયાદો થઇ જશે. 

Ahmedabad Crime Branch launches new portal 'Tera Tujhko Arpan' for quick  return of lost money | Ahmedabad Crime Branch launches new portal 'Tera  Tujhko Arpan' for quick return of lost money -

૧) એક ફરિયાદ જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી એ બાબતે ફરિયાદ નોંધાઈ છે. 

૨) આ ઉપરાંત બીજી ફરિયાદ શાળા પ્રશાસન દ્વારા ટોળા સામે નોંધાવવામાં આવી છે . 

૩) હવે શાળા પ્રશાસનની વિરુદ્ધમાં આ ફરિયાદ નોંધાય તો , કુલ ત્રણ ફરિયાદ થઈ જશે . 

જ્યારથી , આ ઘટના બની છે ત્યારથી , શાળાનું તંત્ર શાળામાંથી ગાયબ છે . તેમણે શાળામાં ફરકવાની તસ્દી પણ નથી લીધી. હવે આ આખું શાળા પરિસર પોલીસના હવાલે છે . માટે હવે આગળ શું થશે તેને લઇને વાલીઓ પણ ચિંતિત છે. આ ઘટનાની જાણકારી શાળાએ ન તો DEOને આપી છે કે પછી પોલીસ પ્રશાશનને આપી છે.  બીજી બાજુ , વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં થયેલી મારામારી અને તોડફોડ મામલે પોલીસે ૫૦૦થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે.  સ્કૂલના એડમીન મયૂરિકા પટેલે કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલને આ તોડફોડથી ૧૫ લાખનું નુકશાન થયું છે . આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે , ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દોડીને સ્કૂલના કેમ્પસમાં આવ્યો હતો પણ કોઈ ગાર્ડ કે શિક્ષકોએ હાજર હોવા છતાં મદદ નહોતી કરી . અંતે તેનો એક મિત્ર તેને રિક્ષામાં હોસ્પિટલમાં લઇ ગયો હતો.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.