ભુપેન્દ્રસિંહ ઝાલાના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-26 13:13:52

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે . 

Gujarat High Court Becomes The First To Launch Livestreaming Of Case  Proceedings; Supreme Court To Follow Soon

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે હાલમાં ખબર આવી છે કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજુર કરવામાં આવી છે . ગુજરાત હાઇકોર્ટે ભુપેન્દ્ર સિંહ ઝાલાને શરતોને આધીન જામીન આપ્યા છે . વાત કરીએ , આ શરતોની તો , જેમ કે , રોકાણકારોને નિયમિત નાણાં ચુકવણીની બાહેંધરી આપવામાં આવી છે. પ્રથમ તબક્કે , ભુપેન્દ્રસિંહ ઝાલા  દ્વારા , ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ૫ કરોડ જમા કરવામાં આવ્યા છે. 

Bhupendrasinh Zala, alleged brain behind Gujarat ponzi scheme, arrested:  Police | Latest News India - Hindustan Times

આ ઉપરાંત , રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ સરખા 9 હપ્તામાં જમા કરાવવામાં આવશે. આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં ચૂકવી દેવાશે.આ શરતોને આધીન પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે . હવે ૮ મહિનાથી વધુનો જેલવાસ ભોગવીને , ભુપેન્દ્ર સિંહ ઝાલા બહાર આવશે . વાત કરીએ બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની તો એમનાં પર સેબી કે આરબીઆઈની પરવાનગી વગર, પોન્ઝી સ્કીમ અને એમ એલ એમ એટલે કે મલ્ટિ લેવલ માર્કેટીંગની અલગ અલગ સ્કીમ ચલાવવાનો આરોપ છે, આવી સ્કીમ ચલાવવા પર ભારતમાં પ્રતિબંધ હોવાથી આ ઈકોનોમિક ઓફેન્સમાં ગણાય છે.




As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.