જજ યશવંત વર્માને કરાયા તમામ જવાબદારીમાંથી મુક્ત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-24 21:45:39

તમને યાદ તો હશે જ દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા . જેમના ઘરે હોળીની રાતે આગ લાગી અને જયારે ફાયર બ્રિગેડ તેમના ઘરે આગ ઓલવવા પહોંચી ત્યારે તેમના ઘરેથી કેશના બંડલ મળી આવ્યા હતા . જજ યશવંત વર્માના લીધે રાજ્યસભામાં પણ જબરદસ્ત હોબાળો મચી ગયો હતો . હવે સમાચાર સામે આવી રહ્યા છે કે , દિલ્હી હાઈકૉર્ટે તેમને તમામ ન્યાય બજાવવાની ફરજ માંથી મુક્ત કરી દીધા છે સાથે જ રજા પર જતા રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે . દિલ્હી હાઇકોર્ટના જજ  યશવંત વર્મા કે જેમના ઘરેથી કેશનો ઢગલો જયારે આગ લાગી ત્યારે મળી આવ્યો હતો . તે પછી હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને રજા પર મોકલી દેવાનો આદેશ આપ્યો છે . સાથે જ જ્યાં સુધી તપાસ પુરી નથી થતી ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવાનો આદેશ પણ જજ યશવંત વર્માને આપવામાં આવ્યો છે . આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જે ઈન હાઉસ કમિટી બનાવી છે તેનો પૂરો રિપોર્ટ આવી જાય પછી જ ખબર પડશે કે , તેમની કઈ હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવી જોઈએ. 

नोट कांड में घिरे जज यशवंत वर्मा अदालती सुनवाई से किए गए अलग, CJI के  निर्देश पर एक्शन - justice Yashwant Verma removed from judicial work action  taken on CJI direction ntc -

સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ પણ લગાવવામાં આવી છે જેમાં માંગ કરાઈ છે કે, યશવંત વર્માની વિરુદ્ધમાં આ સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરો . આ મામલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનકરે પોતાની ચેમ્બરમાં મિટિંગ બોલાવી હતી જેમાં મલ્લિકાર્જુન ખરગે અને જે પી નડ્ડા હાજર રહ્યા હતા . વાત કરીએ યશવંત વર્માની તો તે તો એવું જ કહે છે કે , મારા ઘરે આ નોટો કોઈ મૂકી ગયું હતું . આ આખા મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ ત્રણ સદસ્યોની એક ન્યાયિક કમિટી બેસાડી છે જેમાં જસ્ટિસ શીલ નાગુ કે જેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે , જસ્ટિસ જીએસ સધાવાલિયા કે જેઓ હિમાચલ પ્રદેશની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે સાથે જ કર્ણાટક હાઇકોર્ટના એક જજ અનુ શિવરમન આ કમિટીનો હિસ્સો છે . દિલ્હી હાઈકૉર્ટે એ પણ જાહેરાત કરી છે કે , યશવંત વર્મા જેટલા પણ કેસોની સુનાવણી કરી રહ્યા હતા હવેથી તેની સુનાવણી દિલ્હી હાઇકોર્ટના જજ સુબ્રમણ્યમ પ્રસાદ અને બીજા જજ હરીશ વી શંકર કરશે . 

આ આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે જજ યશવંત વર્માના ઘરે કે જે તુઘલક રોડ પર આવેલું છે ત્યાં માર્ચની ૧૪ તારીખે રાતે આગ લાગી હતી. ઘરે માત્ર તેમના વૃદ્ધ માતા અને દીકરી જ હતા . પણ જયારે ફાયરબ્રિગેડ અને પોલીસ પહોંચ્યા ત્યારે તેમના ઘરેથી કેશના બંડલ મળી આવ્યા હતા . તે સમયે જજ યશવંત વર્મા અને તેમના પત્ની ભોપાલમાં હતા . માર્ચની ૨૦ , તારીખે કોલેજિયમ દ્વારા તેમને અલ્હાબાદ હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટના બાર એસોસિયેશન દ્વારા તેનો ઉગ્ર વિરોધ નોંધાયો હતો . 

તો આ વિષયમાં જે પણ અપડેટ હશે અમે તમને આપીશું .



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .