જજ યશવંત વર્માને કરાયા તમામ જવાબદારીમાંથી મુક્ત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-24 21:45:39

તમને યાદ તો હશે જ દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા . જેમના ઘરે હોળીની રાતે આગ લાગી અને જયારે ફાયર બ્રિગેડ તેમના ઘરે આગ ઓલવવા પહોંચી ત્યારે તેમના ઘરેથી કેશના બંડલ મળી આવ્યા હતા . જજ યશવંત વર્માના લીધે રાજ્યસભામાં પણ જબરદસ્ત હોબાળો મચી ગયો હતો . હવે સમાચાર સામે આવી રહ્યા છે કે , દિલ્હી હાઈકૉર્ટે તેમને તમામ ન્યાય બજાવવાની ફરજ માંથી મુક્ત કરી દીધા છે સાથે જ રજા પર જતા રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે . દિલ્હી હાઇકોર્ટના જજ  યશવંત વર્મા કે જેમના ઘરેથી કેશનો ઢગલો જયારે આગ લાગી ત્યારે મળી આવ્યો હતો . તે પછી હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને રજા પર મોકલી દેવાનો આદેશ આપ્યો છે . સાથે જ જ્યાં સુધી તપાસ પુરી નથી થતી ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવાનો આદેશ પણ જજ યશવંત વર્માને આપવામાં આવ્યો છે . આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જે ઈન હાઉસ કમિટી બનાવી છે તેનો પૂરો રિપોર્ટ આવી જાય પછી જ ખબર પડશે કે , તેમની કઈ હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવી જોઈએ. 

नोट कांड में घिरे जज यशवंत वर्मा अदालती सुनवाई से किए गए अलग, CJI के  निर्देश पर एक्शन - justice Yashwant Verma removed from judicial work action  taken on CJI direction ntc -

સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ પણ લગાવવામાં આવી છે જેમાં માંગ કરાઈ છે કે, યશવંત વર્માની વિરુદ્ધમાં આ સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરો . આ મામલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનકરે પોતાની ચેમ્બરમાં મિટિંગ બોલાવી હતી જેમાં મલ્લિકાર્જુન ખરગે અને જે પી નડ્ડા હાજર રહ્યા હતા . વાત કરીએ યશવંત વર્માની તો તે તો એવું જ કહે છે કે , મારા ઘરે આ નોટો કોઈ મૂકી ગયું હતું . આ આખા મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ ત્રણ સદસ્યોની એક ન્યાયિક કમિટી બેસાડી છે જેમાં જસ્ટિસ શીલ નાગુ કે જેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે , જસ્ટિસ જીએસ સધાવાલિયા કે જેઓ હિમાચલ પ્રદેશની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે સાથે જ કર્ણાટક હાઇકોર્ટના એક જજ અનુ શિવરમન આ કમિટીનો હિસ્સો છે . દિલ્હી હાઈકૉર્ટે એ પણ જાહેરાત કરી છે કે , યશવંત વર્મા જેટલા પણ કેસોની સુનાવણી કરી રહ્યા હતા હવેથી તેની સુનાવણી દિલ્હી હાઇકોર્ટના જજ સુબ્રમણ્યમ પ્રસાદ અને બીજા જજ હરીશ વી શંકર કરશે . 

આ આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે જજ યશવંત વર્માના ઘરે કે જે તુઘલક રોડ પર આવેલું છે ત્યાં માર્ચની ૧૪ તારીખે રાતે આગ લાગી હતી. ઘરે માત્ર તેમના વૃદ્ધ માતા અને દીકરી જ હતા . પણ જયારે ફાયરબ્રિગેડ અને પોલીસ પહોંચ્યા ત્યારે તેમના ઘરેથી કેશના બંડલ મળી આવ્યા હતા . તે સમયે જજ યશવંત વર્મા અને તેમના પત્ની ભોપાલમાં હતા . માર્ચની ૨૦ , તારીખે કોલેજિયમ દ્વારા તેમને અલ્હાબાદ હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટના બાર એસોસિયેશન દ્વારા તેનો ઉગ્ર વિરોધ નોંધાયો હતો . 

તો આ વિષયમાં જે પણ અપડેટ હશે અમે તમને આપીશું .



ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.