દિલ્હી કંઝાવલા કેસમાં નવો ખુલાસો, આરોપીઓને યુવતી કારમાં ફસાઈ હોવાની ખબર હતી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:12:46

દિલ્હીમાં કારથી કથિત ટક્કર બાદ તેની નીચે ફસાઈ જવાથી એક યુવતીને માર્ગે પર સતત ઢસડાવવાની ઘટના સામે એક મોટો ખુલાસો થયો છે. કંઝાવાલા કાંડના આરોપીઓને પોલીસની પુછપરછમાં કબુલ કર્યું છે કે હા તેમને ખબર હતી કે અંજલી તેમની કારની નીચે ફસાઈ ગઈ છે. 


પોલીસ સામે ગનો કબૂલ્યો


આરોપીઓએ તેમના બચાવમાં કહ્યું હતું  કે તેઓ ડરના કારણે તે રાત્રે તેમની ગાડીને માર્ગો પર દોડાવતા રહ્યા. આ દરમિયાન કંઝાવાલા સુધીના રૂટમાં તેમણે અનેક વખત તેમની કારે યૂ-ટર્ન કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું કે તેમને ડર હતો કે જો તેમણે તે યુવતીને ગાડીથી નિકાળી તો તેમની પર હત્યાનો કેસ થઈ જશે. અને કાયદાની આંટીઘુંટીમાં ફસાઈ જશે. તેથી તે કારમાં ફસાયેલી છોકરી નીકળી જાય ત્યાં સુધી રાહ જોતા હતા અને ડ્રાઇવિંગ કરતા હતા. આરોપીઓએ પોલીસને તે પણ જણાવ્યું કે તેમણે પહેલા જે મ્યુઝિક સિસ્ટમ ચાલવાની વાત કહીં હતી તે પમ ખોટી હતી.


નિર્દોષ યુવતીનો ભોગ લીધો


અત્રે ઉલ્લેખનિય છે કે 31 ડિસેમ્બરની રાત્રે 20 વર્ષની અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી, ત્યારે કંઝાવાલા રોડ પર સામેથી આવી રહેલા એક હાઈસ્પિડ કારે તેમને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ, પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.