દિલ્હી કંઝાવલા કેસમાં નવો ખુલાસો, આરોપીઓને યુવતી કારમાં ફસાઈ હોવાની ખબર હતી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:12:46

દિલ્હીમાં કારથી કથિત ટક્કર બાદ તેની નીચે ફસાઈ જવાથી એક યુવતીને માર્ગે પર સતત ઢસડાવવાની ઘટના સામે એક મોટો ખુલાસો થયો છે. કંઝાવાલા કાંડના આરોપીઓને પોલીસની પુછપરછમાં કબુલ કર્યું છે કે હા તેમને ખબર હતી કે અંજલી તેમની કારની નીચે ફસાઈ ગઈ છે. 


પોલીસ સામે ગનો કબૂલ્યો


આરોપીઓએ તેમના બચાવમાં કહ્યું હતું  કે તેઓ ડરના કારણે તે રાત્રે તેમની ગાડીને માર્ગો પર દોડાવતા રહ્યા. આ દરમિયાન કંઝાવાલા સુધીના રૂટમાં તેમણે અનેક વખત તેમની કારે યૂ-ટર્ન કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું કે તેમને ડર હતો કે જો તેમણે તે યુવતીને ગાડીથી નિકાળી તો તેમની પર હત્યાનો કેસ થઈ જશે. અને કાયદાની આંટીઘુંટીમાં ફસાઈ જશે. તેથી તે કારમાં ફસાયેલી છોકરી નીકળી જાય ત્યાં સુધી રાહ જોતા હતા અને ડ્રાઇવિંગ કરતા હતા. આરોપીઓએ પોલીસને તે પણ જણાવ્યું કે તેમણે પહેલા જે મ્યુઝિક સિસ્ટમ ચાલવાની વાત કહીં હતી તે પમ ખોટી હતી.


નિર્દોષ યુવતીનો ભોગ લીધો


અત્રે ઉલ્લેખનિય છે કે 31 ડિસેમ્બરની રાત્રે 20 વર્ષની અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી, ત્યારે કંઝાવાલા રોડ પર સામેથી આવી રહેલા એક હાઈસ્પિડ કારે તેમને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ, પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.