દિલ્હી કંઝાવલા કેસમાં નવો ખુલાસો, આરોપીઓને યુવતી કારમાં ફસાઈ હોવાની ખબર હતી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:12:46

દિલ્હીમાં કારથી કથિત ટક્કર બાદ તેની નીચે ફસાઈ જવાથી એક યુવતીને માર્ગે પર સતત ઢસડાવવાની ઘટના સામે એક મોટો ખુલાસો થયો છે. કંઝાવાલા કાંડના આરોપીઓને પોલીસની પુછપરછમાં કબુલ કર્યું છે કે હા તેમને ખબર હતી કે અંજલી તેમની કારની નીચે ફસાઈ ગઈ છે. 


પોલીસ સામે ગનો કબૂલ્યો


આરોપીઓએ તેમના બચાવમાં કહ્યું હતું  કે તેઓ ડરના કારણે તે રાત્રે તેમની ગાડીને માર્ગો પર દોડાવતા રહ્યા. આ દરમિયાન કંઝાવાલા સુધીના રૂટમાં તેમણે અનેક વખત તેમની કારે યૂ-ટર્ન કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું કે તેમને ડર હતો કે જો તેમણે તે યુવતીને ગાડીથી નિકાળી તો તેમની પર હત્યાનો કેસ થઈ જશે. અને કાયદાની આંટીઘુંટીમાં ફસાઈ જશે. તેથી તે કારમાં ફસાયેલી છોકરી નીકળી જાય ત્યાં સુધી રાહ જોતા હતા અને ડ્રાઇવિંગ કરતા હતા. આરોપીઓએ પોલીસને તે પણ જણાવ્યું કે તેમણે પહેલા જે મ્યુઝિક સિસ્ટમ ચાલવાની વાત કહીં હતી તે પમ ખોટી હતી.


નિર્દોષ યુવતીનો ભોગ લીધો


અત્રે ઉલ્લેખનિય છે કે 31 ડિસેમ્બરની રાત્રે 20 વર્ષની અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી, ત્યારે કંઝાવાલા રોડ પર સામેથી આવી રહેલા એક હાઈસ્પિડ કારે તેમને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ, પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.