દિલ્હી કંઝાવલા કેસમાં નવો ખુલાસો, આરોપીઓને યુવતી કારમાં ફસાઈ હોવાની ખબર હતી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:12:46

દિલ્હીમાં કારથી કથિત ટક્કર બાદ તેની નીચે ફસાઈ જવાથી એક યુવતીને માર્ગે પર સતત ઢસડાવવાની ઘટના સામે એક મોટો ખુલાસો થયો છે. કંઝાવાલા કાંડના આરોપીઓને પોલીસની પુછપરછમાં કબુલ કર્યું છે કે હા તેમને ખબર હતી કે અંજલી તેમની કારની નીચે ફસાઈ ગઈ છે. 


પોલીસ સામે ગનો કબૂલ્યો


આરોપીઓએ તેમના બચાવમાં કહ્યું હતું  કે તેઓ ડરના કારણે તે રાત્રે તેમની ગાડીને માર્ગો પર દોડાવતા રહ્યા. આ દરમિયાન કંઝાવાલા સુધીના રૂટમાં તેમણે અનેક વખત તેમની કારે યૂ-ટર્ન કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું કે તેમને ડર હતો કે જો તેમણે તે યુવતીને ગાડીથી નિકાળી તો તેમની પર હત્યાનો કેસ થઈ જશે. અને કાયદાની આંટીઘુંટીમાં ફસાઈ જશે. તેથી તે કારમાં ફસાયેલી છોકરી નીકળી જાય ત્યાં સુધી રાહ જોતા હતા અને ડ્રાઇવિંગ કરતા હતા. આરોપીઓએ પોલીસને તે પણ જણાવ્યું કે તેમણે પહેલા જે મ્યુઝિક સિસ્ટમ ચાલવાની વાત કહીં હતી તે પમ ખોટી હતી.


નિર્દોષ યુવતીનો ભોગ લીધો


અત્રે ઉલ્લેખનિય છે કે 31 ડિસેમ્બરની રાત્રે 20 વર્ષની અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી, ત્યારે કંઝાવાલા રોડ પર સામેથી આવી રહેલા એક હાઈસ્પિડ કારે તેમને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ, પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.