મનીષ સિસોદિયાને કોર્ટે આપ્યો વધુ એક ઝટકો, જ્યુડિશિયલ કસ્ટડી 8 મે સુધી લંબાવી


  • Published By :
  • Published Date : 2023-04-29 16:52:22

દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિન પ્રતિ દિન વધી રહી છે. આજે શનિવારે, સિસોદિયાની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેની કસ્ટડી 8 મે સુધી લંબાવી દીધી છે. 


મનીષ સિસોદિયાને મોટો ઝટકો


મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસીના મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે (28 એપ્રિલ) તેને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.


દિલ્હી હાઈકોર્ટમાં કરશે અરજી


મનીષ સિસોદિયા હવે નીચલી કોર્ટના આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં જશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે તપાસ "નિર્ણાયક" તબક્કામાં છે અને AAPના વરિષ્ઠ નેતાએ નીતિને જાહેર મંજૂરી છે તે બતાવવા માટે ખોટા ઈમેલ બનાવ્યા હતા.


ગુનાના માસ્ટર માઈન્ડ- દિલ્હી કોર્ટ


દિલ્હી કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા આ કેસમાં પ્રથમ નજરે ગુનાહિત કાવતરાના માસ્ટરમાઈન્ડ છે અને તેમણે દિલ્હી સરકારમાં તેમના અને તેમના સહયોગીઓ માટે લગભગ 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચની કથિત ચુકવણી સંબંધિત ગુનાહિત કાવતરામાં "સૌથી મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા" ભજવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ સમયે સિસોદિયાની મુક્તિ તપાસને અસર કરી શકે છે અને તેની પ્રગતિ "ગંભીર રીતે અવરોધિત" થઈ શકે છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.