મનીષ સિસોદિયાને કોર્ટે આપ્યો વધુ એક ઝટકો, જ્યુડિશિયલ કસ્ટડી 8 મે સુધી લંબાવી


  • Published By :
  • Published Date : 2023-04-29 16:52:22

દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિન પ્રતિ દિન વધી રહી છે. આજે શનિવારે, સિસોદિયાની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેની કસ્ટડી 8 મે સુધી લંબાવી દીધી છે. 


મનીષ સિસોદિયાને મોટો ઝટકો


મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસીના મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે (28 એપ્રિલ) તેને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.


દિલ્હી હાઈકોર્ટમાં કરશે અરજી


મનીષ સિસોદિયા હવે નીચલી કોર્ટના આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં જશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે તપાસ "નિર્ણાયક" તબક્કામાં છે અને AAPના વરિષ્ઠ નેતાએ નીતિને જાહેર મંજૂરી છે તે બતાવવા માટે ખોટા ઈમેલ બનાવ્યા હતા.


ગુનાના માસ્ટર માઈન્ડ- દિલ્હી કોર્ટ


દિલ્હી કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા આ કેસમાં પ્રથમ નજરે ગુનાહિત કાવતરાના માસ્ટરમાઈન્ડ છે અને તેમણે દિલ્હી સરકારમાં તેમના અને તેમના સહયોગીઓ માટે લગભગ 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચની કથિત ચુકવણી સંબંધિત ગુનાહિત કાવતરામાં "સૌથી મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા" ભજવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ સમયે સિસોદિયાની મુક્તિ તપાસને અસર કરી શકે છે અને તેની પ્રગતિ "ગંભીર રીતે અવરોધિત" થઈ શકે છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.