દિલ્હીમાં હવે AAPની મેયર, શૈલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવ્યા, MCDમાં 15 વર્ષ પછી ભાજપ બહાર


  • Published By :
  • Published Date : 2023-02-22 17:11:28

દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીના લગભગ દોઢ મહિના બાદ 22 ફેબ્રુઆરી એટલે કે આજે થયેલી મેયરની ચૂંટણીમાં આપના કોર્પોર્ટેટર શૈલી ઓબેરોયએ જીતી લીધી છે. તેમણે ભાજપના રેખા ગુપ્તાને હરાવીને આ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શૈલીને 150 અને ભાજપના રેખા ગુપ્તાને 116 મતો મળ્યા હતા. કોંગ્રેસના 9 કોર્પોરેટરોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આજની મેયરની ચૂંટણી શૈલી ઓબેરોય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના કારણે શાંતિપૂર્વક યોજાઈ શકી.


કોણ છે શૈલી ઓબેરોય?


આમ આદમી પાર્ટીની ટિકિટ પર શૈલી ઓબેરોયે દિલ્હીના પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86થી કોર્પોરેટરની ચૂંટણી લડી જીત મેળવી હતી. જો કે તેમણે આ ચૂંટણી માત્ર 86 મતોથી જીતી હતી. તેમણે આ ચૂંટણીમાં ભાજપને દીપાલી કપૂરને હરાવ્યા હતા. 39 વર્ષીય શૈલી ઓબેરોયે જાનકી દેવી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Com અને હિમાચલ યુનિવર્સિટીમાંથી M.Com.ની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે એમફીલ અને પીએચડીની ડીગ્રીઓ મેળવી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેમના ઘણા સંશોધન પત્રો વિવિધ જર્નલમાં પ્રકાશિત થયા છે.   


જીત બાદ શું કહ્યું?


શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા તે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તેમણે 14 વર્ષથી નિગમમાં એકહથ્થું શાસન કરતા ભાજપને ઉખાડી ફેંકી છે. તેમણે જીત બાદ દિલ્હીની જનતા વિશ્વાસ અપાવતા કહ્યું કે તે ગૃહને બંધારણીય રીતે ચલાવશે, તેમણે કહ્યું કે મને આશા છે કે સભ્યો પણ ગૃહની ગરીમા જાળવીને તેનું કામકાજ સારી રીતે ચલાવવામાં સહયોગ આપશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.