દિલ્હીમાં હવે AAPની મેયર, શૈલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવ્યા, MCDમાં 15 વર્ષ પછી ભાજપ બહાર


  • Published By :
  • Published Date : 2023-02-22 17:11:28

દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીના લગભગ દોઢ મહિના બાદ 22 ફેબ્રુઆરી એટલે કે આજે થયેલી મેયરની ચૂંટણીમાં આપના કોર્પોર્ટેટર શૈલી ઓબેરોયએ જીતી લીધી છે. તેમણે ભાજપના રેખા ગુપ્તાને હરાવીને આ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શૈલીને 150 અને ભાજપના રેખા ગુપ્તાને 116 મતો મળ્યા હતા. કોંગ્રેસના 9 કોર્પોરેટરોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આજની મેયરની ચૂંટણી શૈલી ઓબેરોય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના કારણે શાંતિપૂર્વક યોજાઈ શકી.


કોણ છે શૈલી ઓબેરોય?


આમ આદમી પાર્ટીની ટિકિટ પર શૈલી ઓબેરોયે દિલ્હીના પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86થી કોર્પોરેટરની ચૂંટણી લડી જીત મેળવી હતી. જો કે તેમણે આ ચૂંટણી માત્ર 86 મતોથી જીતી હતી. તેમણે આ ચૂંટણીમાં ભાજપને દીપાલી કપૂરને હરાવ્યા હતા. 39 વર્ષીય શૈલી ઓબેરોયે જાનકી દેવી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Com અને હિમાચલ યુનિવર્સિટીમાંથી M.Com.ની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે એમફીલ અને પીએચડીની ડીગ્રીઓ મેળવી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેમના ઘણા સંશોધન પત્રો વિવિધ જર્નલમાં પ્રકાશિત થયા છે.   


જીત બાદ શું કહ્યું?


શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા તે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તેમણે 14 વર્ષથી નિગમમાં એકહથ્થું શાસન કરતા ભાજપને ઉખાડી ફેંકી છે. તેમણે જીત બાદ દિલ્હીની જનતા વિશ્વાસ અપાવતા કહ્યું કે તે ગૃહને બંધારણીય રીતે ચલાવશે, તેમણે કહ્યું કે મને આશા છે કે સભ્યો પણ ગૃહની ગરીમા જાળવીને તેનું કામકાજ સારી રીતે ચલાવવામાં સહયોગ આપશે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.