દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ ધમાલ, AAP અને BJPના કોર્પોર્ટેરરોએ તમામ હદ વટાવી


  • Published By :
  • Published Date : 2023-01-06 17:50:27

રાજકારણનું અપરાધીકરણ મોટી ચિંતાનો વિષય બન્યો છે. રાજકારણીઓ પણ ગલીના ગુંડાની જેમ લડે ત્યારે કહેવું કોને? જેમ કે આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ દિલ્હીના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આજે શુક્રવારે મેયરની ચૂંટણીના મતદાન પહેલા દિલ્હી સિવિક સેન્ટરની અંદર આમ આદમી પાર્ટી અને બીજેપીના કાઉન્સિલરો આમને સામને આવી ગયા હતા. 


BJP-AAPના કાઉન્સિલરો વચ્ચે મારામારી


BJPઅને AAPના કોર્પોટેરટરોએ એકબીજા પર લાતો અને ખુરશીઓથી હુમલો કર્યો હતો. પરિસ્થિતી એટલી વિષ્ફોટક બની હતી કે દિલ્હી સિવિક સેન્ટર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું અને જે વસ્તુઓ હાથમાં આવી તેના વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીના કાઉન્સિલરો વચ્ચેની લડાઈ જોઈને દિલ્હીવાસીઓ પણ દંગ રહી ગયા છે. આ દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપના કાઉન્સિલર સત્ય શર્માએ  જણાવ્યું કે, "MCDની બેઠક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. આગામી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.''


કોર્પોરેટર શા માટે બાખડ્યા?


દિલ્હી MCD મેયરની ચૂંટણી યોજાવાનું લગભગ નક્કી જ હતું પરંતું નોમિનેટેડ સભ્યોએ શપથ લેવાનું શરૂ કર્યું કે તરત જ હંગામો શરૂ થયો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટાયેલા સભ્યો સમક્ષ નોમિનેટેડ સભ્યોને શપથ લેવા સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમનો આરોપ છે કે ભાજપ નિયમોમાં ફેરફાર કરીને મેયર પદ હડપ કરવા માંગે છે. તે જ સમયે, ભાજપના સભ્યો તેમની ઇચ્છા મુજબ શપથ લેવા પર અડગ હતા. બંને પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે નેતાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. જેમાં બંને પક્ષના કેટલાક નેતાઓને ઈજાઓ પહોંચી છે. મારામારી માટે બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. ગૃહની બહાર આવેલી આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા બાદ પણ બંને પક્ષના આગેવાનોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.