દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ ધમાલ, AAP અને BJPના કોર્પોર્ટેરરોએ તમામ હદ વટાવી


  • Published By :
  • Published Date : 2023-01-06 17:50:27

રાજકારણનું અપરાધીકરણ મોટી ચિંતાનો વિષય બન્યો છે. રાજકારણીઓ પણ ગલીના ગુંડાની જેમ લડે ત્યારે કહેવું કોને? જેમ કે આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ દિલ્હીના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આજે શુક્રવારે મેયરની ચૂંટણીના મતદાન પહેલા દિલ્હી સિવિક સેન્ટરની અંદર આમ આદમી પાર્ટી અને બીજેપીના કાઉન્સિલરો આમને સામને આવી ગયા હતા. 


BJP-AAPના કાઉન્સિલરો વચ્ચે મારામારી


BJPઅને AAPના કોર્પોટેરટરોએ એકબીજા પર લાતો અને ખુરશીઓથી હુમલો કર્યો હતો. પરિસ્થિતી એટલી વિષ્ફોટક બની હતી કે દિલ્હી સિવિક સેન્ટર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું અને જે વસ્તુઓ હાથમાં આવી તેના વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીના કાઉન્સિલરો વચ્ચેની લડાઈ જોઈને દિલ્હીવાસીઓ પણ દંગ રહી ગયા છે. આ દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપના કાઉન્સિલર સત્ય શર્માએ  જણાવ્યું કે, "MCDની બેઠક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. આગામી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.''


કોર્પોરેટર શા માટે બાખડ્યા?


દિલ્હી MCD મેયરની ચૂંટણી યોજાવાનું લગભગ નક્કી જ હતું પરંતું નોમિનેટેડ સભ્યોએ શપથ લેવાનું શરૂ કર્યું કે તરત જ હંગામો શરૂ થયો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટાયેલા સભ્યો સમક્ષ નોમિનેટેડ સભ્યોને શપથ લેવા સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમનો આરોપ છે કે ભાજપ નિયમોમાં ફેરફાર કરીને મેયર પદ હડપ કરવા માંગે છે. તે જ સમયે, ભાજપના સભ્યો તેમની ઇચ્છા મુજબ શપથ લેવા પર અડગ હતા. બંને પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે નેતાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. જેમાં બંને પક્ષના કેટલાક નેતાઓને ઈજાઓ પહોંચી છે. મારામારી માટે બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. ગૃહની બહાર આવેલી આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા બાદ પણ બંને પક્ષના આગેવાનોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.