દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ ધમાલ, AAP અને BJPના કોર્પોર્ટેરરોએ તમામ હદ વટાવી


  • Published By :
  • Published Date : 2023-01-06 17:50:27

રાજકારણનું અપરાધીકરણ મોટી ચિંતાનો વિષય બન્યો છે. રાજકારણીઓ પણ ગલીના ગુંડાની જેમ લડે ત્યારે કહેવું કોને? જેમ કે આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ દિલ્હીના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આજે શુક્રવારે મેયરની ચૂંટણીના મતદાન પહેલા દિલ્હી સિવિક સેન્ટરની અંદર આમ આદમી પાર્ટી અને બીજેપીના કાઉન્સિલરો આમને સામને આવી ગયા હતા. 


BJP-AAPના કાઉન્સિલરો વચ્ચે મારામારી


BJPઅને AAPના કોર્પોટેરટરોએ એકબીજા પર લાતો અને ખુરશીઓથી હુમલો કર્યો હતો. પરિસ્થિતી એટલી વિષ્ફોટક બની હતી કે દિલ્હી સિવિક સેન્ટર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું અને જે વસ્તુઓ હાથમાં આવી તેના વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીના કાઉન્સિલરો વચ્ચેની લડાઈ જોઈને દિલ્હીવાસીઓ પણ દંગ રહી ગયા છે. આ દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપના કાઉન્સિલર સત્ય શર્માએ  જણાવ્યું કે, "MCDની બેઠક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. આગામી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.''


કોર્પોરેટર શા માટે બાખડ્યા?


દિલ્હી MCD મેયરની ચૂંટણી યોજાવાનું લગભગ નક્કી જ હતું પરંતું નોમિનેટેડ સભ્યોએ શપથ લેવાનું શરૂ કર્યું કે તરત જ હંગામો શરૂ થયો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટાયેલા સભ્યો સમક્ષ નોમિનેટેડ સભ્યોને શપથ લેવા સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમનો આરોપ છે કે ભાજપ નિયમોમાં ફેરફાર કરીને મેયર પદ હડપ કરવા માંગે છે. તે જ સમયે, ભાજપના સભ્યો તેમની ઇચ્છા મુજબ શપથ લેવા પર અડગ હતા. બંને પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે નેતાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. જેમાં બંને પક્ષના કેટલાક નેતાઓને ઈજાઓ પહોંચી છે. મારામારી માટે બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. ગૃહની બહાર આવેલી આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા બાદ પણ બંને પક્ષના આગેવાનોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.