દિલ્હીના MLAsના પગારમાં અધધધ 66% વધારો, ભથ્થા સાથે મળશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-03-13 14:11:20

દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાના ધારાસભ્યોને તોંતિંગ પગારની લ્હાણી કરી છે. ધારાસભ્યોના પગાર-ભથ્થાને લઈ રાષ્ટ્રપતિની મંજુરી મળતા હવે તમામનો પગાર 66 ટકા વધી ગયો છે. હવે  દિલ્હીના ધારાસભ્યોને માસિક 90 હજાર રૂપિયા જેટલો પગાર મળશે. પહેલા દિલ્હીના ધારાસભ્યોની સેલેરી 54 હજાર હતી.  


CM,મંત્રીઓ અને વિ.અધ્યક્ષનો પગાર પણ વધ્યો


દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાને ભથ્થા સહિત કુલ 1.70 લાખ રૂપિયા પ્રતિમાસ મળશે. આ પહેલા તેમને 72 હજાર રૂપિયા મળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી વિધાનસભામાં 4 જુલાઈ 2022ના  રોજ પગાર વધારાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.


પગાર વધારાનો અમલ 14 ફેબ્રુઆરીથી


દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોના પગાર વધારાને લઈ રસપ્રદ બાબત છે કે પગાર વધારાનો અમલ પાછલી તારીખ એટલે કે 14 ફેબ્રુઆરી 2023થી થશે. દિલ્હીના ધારાસભ્યોનો પગાર વધારો 12 વર્ષ બાદ થયો છે.


ભથ્થા સાથે કેટલો પગાર વધારો?


ધારાસભ્યોનો બેઝીક પહેલા 12 હજાર હતો હવે 30 હજાર થઈ ગઈ છે, દૈનિક ભથ્થું 1 હજાર હતું જે હવે 1500 થઈ ગયું છે. સીએમ, મંત્રીઓ વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાનો બેઝિક 18 હજારથી વધીને 60 હજાર થઈ ગઈ છે. તે ઉપરાંત ધારાસભ્યોને એક લાખ રૂપિયાનું ટ્રાવેલ એલાઉન્સ મળશે. દિલ્હીના ધારાસભ્યોને પ્રત્યેક કાર્યકાળમાં લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ ખરીદવા માટે એક લાખ રૂપિયા મળશે.


અન્ય રાજ્યોમાં કેટલો પગાર અને ભથ્થા?


અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં રહેવાનો ખર્ચ ભારતના મોટાભાગના રાજ્યોની તુલનામાં વધુ છે. આવો જાણીએ કે ભાજપ, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષ શાસિત રાજ્યોમાં ધારાસભ્યોને કેટલો ભગાર અને ભથ્થા મળે છે. જેમ  કે ઉત્તરાખંડમાં (રૂ.1.98 લાખ), હિમાચલ પ્રદેશ (1.9 લાખ) હરિયાણા (રૂ.1.55 લાખ), બિહાર (રૂ.1.3 લાખ), રાજસ્થાન (રૂ.1.42 લાખ) અને તેલંગાણા (રૂ.2.5 લાખ) જેટલા પગાર મળે છે. તે ઉપરાંત આ ધારાસભ્યોને ઘરનું ભાડું, ઑફિસનું ભાડું અને સ્ટાફ ખર્ચ, ઑફિસના સાધનો ખરીદવા માટે ભથ્થું, વાહન અને ડ્રાઇવર ભથ્થા જેવા અન્ય ઘણા લાભો પણ મળે છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.