દિલ્હીના MLAsના પગારમાં અધધધ 66% વધારો, ભથ્થા સાથે મળશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-03-13 14:11:20

દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાના ધારાસભ્યોને તોંતિંગ પગારની લ્હાણી કરી છે. ધારાસભ્યોના પગાર-ભથ્થાને લઈ રાષ્ટ્રપતિની મંજુરી મળતા હવે તમામનો પગાર 66 ટકા વધી ગયો છે. હવે  દિલ્હીના ધારાસભ્યોને માસિક 90 હજાર રૂપિયા જેટલો પગાર મળશે. પહેલા દિલ્હીના ધારાસભ્યોની સેલેરી 54 હજાર હતી.  


CM,મંત્રીઓ અને વિ.અધ્યક્ષનો પગાર પણ વધ્યો


દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાને ભથ્થા સહિત કુલ 1.70 લાખ રૂપિયા પ્રતિમાસ મળશે. આ પહેલા તેમને 72 હજાર રૂપિયા મળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી વિધાનસભામાં 4 જુલાઈ 2022ના  રોજ પગાર વધારાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.


પગાર વધારાનો અમલ 14 ફેબ્રુઆરીથી


દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોના પગાર વધારાને લઈ રસપ્રદ બાબત છે કે પગાર વધારાનો અમલ પાછલી તારીખ એટલે કે 14 ફેબ્રુઆરી 2023થી થશે. દિલ્હીના ધારાસભ્યોનો પગાર વધારો 12 વર્ષ બાદ થયો છે.


ભથ્થા સાથે કેટલો પગાર વધારો?


ધારાસભ્યોનો બેઝીક પહેલા 12 હજાર હતો હવે 30 હજાર થઈ ગઈ છે, દૈનિક ભથ્થું 1 હજાર હતું જે હવે 1500 થઈ ગયું છે. સીએમ, મંત્રીઓ વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાનો બેઝિક 18 હજારથી વધીને 60 હજાર થઈ ગઈ છે. તે ઉપરાંત ધારાસભ્યોને એક લાખ રૂપિયાનું ટ્રાવેલ એલાઉન્સ મળશે. દિલ્હીના ધારાસભ્યોને પ્રત્યેક કાર્યકાળમાં લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ ખરીદવા માટે એક લાખ રૂપિયા મળશે.


અન્ય રાજ્યોમાં કેટલો પગાર અને ભથ્થા?


અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં રહેવાનો ખર્ચ ભારતના મોટાભાગના રાજ્યોની તુલનામાં વધુ છે. આવો જાણીએ કે ભાજપ, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષ શાસિત રાજ્યોમાં ધારાસભ્યોને કેટલો ભગાર અને ભથ્થા મળે છે. જેમ  કે ઉત્તરાખંડમાં (રૂ.1.98 લાખ), હિમાચલ પ્રદેશ (1.9 લાખ) હરિયાણા (રૂ.1.55 લાખ), બિહાર (રૂ.1.3 લાખ), રાજસ્થાન (રૂ.1.42 લાખ) અને તેલંગાણા (રૂ.2.5 લાખ) જેટલા પગાર મળે છે. તે ઉપરાંત આ ધારાસભ્યોને ઘરનું ભાડું, ઑફિસનું ભાડું અને સ્ટાફ ખર્ચ, ઑફિસના સાધનો ખરીદવા માટે ભથ્થું, વાહન અને ડ્રાઇવર ભથ્થા જેવા અન્ય ઘણા લાભો પણ મળે છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.