દિલ્હીના MLAsના પગારમાં અધધધ 66% વધારો, ભથ્થા સાથે મળશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-03-13 14:11:20

દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાના ધારાસભ્યોને તોંતિંગ પગારની લ્હાણી કરી છે. ધારાસભ્યોના પગાર-ભથ્થાને લઈ રાષ્ટ્રપતિની મંજુરી મળતા હવે તમામનો પગાર 66 ટકા વધી ગયો છે. હવે  દિલ્હીના ધારાસભ્યોને માસિક 90 હજાર રૂપિયા જેટલો પગાર મળશે. પહેલા દિલ્હીના ધારાસભ્યોની સેલેરી 54 હજાર હતી.  


CM,મંત્રીઓ અને વિ.અધ્યક્ષનો પગાર પણ વધ્યો


દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાને ભથ્થા સહિત કુલ 1.70 લાખ રૂપિયા પ્રતિમાસ મળશે. આ પહેલા તેમને 72 હજાર રૂપિયા મળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી વિધાનસભામાં 4 જુલાઈ 2022ના  રોજ પગાર વધારાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.


પગાર વધારાનો અમલ 14 ફેબ્રુઆરીથી


દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોના પગાર વધારાને લઈ રસપ્રદ બાબત છે કે પગાર વધારાનો અમલ પાછલી તારીખ એટલે કે 14 ફેબ્રુઆરી 2023થી થશે. દિલ્હીના ધારાસભ્યોનો પગાર વધારો 12 વર્ષ બાદ થયો છે.


ભથ્થા સાથે કેટલો પગાર વધારો?


ધારાસભ્યોનો બેઝીક પહેલા 12 હજાર હતો હવે 30 હજાર થઈ ગઈ છે, દૈનિક ભથ્થું 1 હજાર હતું જે હવે 1500 થઈ ગયું છે. સીએમ, મંત્રીઓ વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાનો બેઝિક 18 હજારથી વધીને 60 હજાર થઈ ગઈ છે. તે ઉપરાંત ધારાસભ્યોને એક લાખ રૂપિયાનું ટ્રાવેલ એલાઉન્સ મળશે. દિલ્હીના ધારાસભ્યોને પ્રત્યેક કાર્યકાળમાં લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ ખરીદવા માટે એક લાખ રૂપિયા મળશે.


અન્ય રાજ્યોમાં કેટલો પગાર અને ભથ્થા?


અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં રહેવાનો ખર્ચ ભારતના મોટાભાગના રાજ્યોની તુલનામાં વધુ છે. આવો જાણીએ કે ભાજપ, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષ શાસિત રાજ્યોમાં ધારાસભ્યોને કેટલો ભગાર અને ભથ્થા મળે છે. જેમ  કે ઉત્તરાખંડમાં (રૂ.1.98 લાખ), હિમાચલ પ્રદેશ (1.9 લાખ) હરિયાણા (રૂ.1.55 લાખ), બિહાર (રૂ.1.3 લાખ), રાજસ્થાન (રૂ.1.42 લાખ) અને તેલંગાણા (રૂ.2.5 લાખ) જેટલા પગાર મળે છે. તે ઉપરાંત આ ધારાસભ્યોને ઘરનું ભાડું, ઑફિસનું ભાડું અને સ્ટાફ ખર્ચ, ઑફિસના સાધનો ખરીદવા માટે ભથ્થું, વાહન અને ડ્રાઇવર ભથ્થા જેવા અન્ય ઘણા લાભો પણ મળે છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.