દિલ્હીમાં હિંદુ સગીરાની હત્યા મામલે રાજનિતી શરૂ, કપિલ મિશ્રાએ કહ્યું 'દરેક ગલીમાં બની રહી છે કેરાલા સ્ટોરી'


  • Published By :
  • Published Date : 2023-05-29 18:27:34

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં થયેલી દર્દનાક હત્યા મામલે હવે રાજનિતી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં એક સગીર હિંદુ છોકરીની ઘાતકી હત્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ ઘટના અંગે તેમણે કહ્યું હતું કે, આશ્ચર્યજનક અને ભયાનક બાબત એ છે કે રાજધાનીમાં આવી ઘટનાઓ નિર્ભયતાથી કરવામાં આવી રહી છે. એક સગીર હિન્દુ છોકરીને કચડીને મારી નાખવામાં આવી રહી છે. 


દિલ્હીની દરેક ગલીમાં કેરાલા સ્ટોરી


ભાજપના નેતા કપિલ મિશ્રાએ આ નિર્મમ હત્યા મામલે કહ્યું કે દિલ્હીના દરેક ગલી, મોહલ્લામાં કેરલ સ્ટોરી બની રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે દિલ્હીમાં જ 'ધ કેરલ સ્ટોરી' જેવી ઘટનાઓ સામે આવી રહી છે. અત્યારે અમે શ્રદ્ધા માટે ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા કે અન્ય એક હિંદુ સગીર છોકરીની હત્યાએ બધાને ચોંકાવી દીધા છે. દિલ્હી બીજેપી નેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હીમાં આટલી દર્દનાક હત્યા થઈ છે તે ચોંકાવનારું છે. અન્ય એક સગીર હિન્દુ યુવતીને કચડીને મારી નાખવામાં આવી હતી. તેમણે લખ્યું છે કે, સગીરાનો હત્યારો સરફરાઝનો પુત્ર સાહિલ છે. કપિલ મિશ્રાએ આગળ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તે હિંદુ બેટીને બચાવી ન શક્યું, આ ગલીઓમાં આખરે કેટલી કેરાલા સ્ટોરીઓ બનશે, અને ક્યાં સુધી બેટીઓને આ રીતે મારી નાખવામાં આવશે.


શ્રધ્ધા સાથે પણ આજ થયું હતું


મિશ્રાએ શ્રધ્ધા હત્યા કેસને યાદ કરતા કહ્યું કે આ જ દિલ્હીમાં શ્રધ્ધા સાથે પણ આવું જ થયું હતું. હજું સુધી શ્રધ્ધા હત્યારાને પણ ફાંસી થઈ નથી. તે હજું પણ જીવતો છે. આ ન્યાયતંત્રની પણ મોટી નિષ્ફળતા છે. જો શ્રધ્ધાનો હત્યારો ફાંસી પર લટક્યો હોત તો સરફરાઝનો પુત્ર સાહિલની હત્યા કદાચ ન થઈ હોત. નિર્દોષ છોકરીને મારતા પહેલા તે કદાચ બે વખત વિચાર કરત, એવું લાગી રહ્યું છે કે આપણા શહેરના દરેક ગલી-મહોલ્લામાં કેરાલા સ્ટોરી બની રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.