દિલ્હીમાં હિંદુ સગીરાની હત્યા મામલે રાજનિતી શરૂ, કપિલ મિશ્રાએ કહ્યું 'દરેક ગલીમાં બની રહી છે કેરાલા સ્ટોરી'


  • Published By :
  • Published Date : 2023-05-29 18:27:34

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં થયેલી દર્દનાક હત્યા મામલે હવે રાજનિતી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં એક સગીર હિંદુ છોકરીની ઘાતકી હત્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ ઘટના અંગે તેમણે કહ્યું હતું કે, આશ્ચર્યજનક અને ભયાનક બાબત એ છે કે રાજધાનીમાં આવી ઘટનાઓ નિર્ભયતાથી કરવામાં આવી રહી છે. એક સગીર હિન્દુ છોકરીને કચડીને મારી નાખવામાં આવી રહી છે. 


દિલ્હીની દરેક ગલીમાં કેરાલા સ્ટોરી


ભાજપના નેતા કપિલ મિશ્રાએ આ નિર્મમ હત્યા મામલે કહ્યું કે દિલ્હીના દરેક ગલી, મોહલ્લામાં કેરલ સ્ટોરી બની રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે દિલ્હીમાં જ 'ધ કેરલ સ્ટોરી' જેવી ઘટનાઓ સામે આવી રહી છે. અત્યારે અમે શ્રદ્ધા માટે ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા કે અન્ય એક હિંદુ સગીર છોકરીની હત્યાએ બધાને ચોંકાવી દીધા છે. દિલ્હી બીજેપી નેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હીમાં આટલી દર્દનાક હત્યા થઈ છે તે ચોંકાવનારું છે. અન્ય એક સગીર હિન્દુ યુવતીને કચડીને મારી નાખવામાં આવી હતી. તેમણે લખ્યું છે કે, સગીરાનો હત્યારો સરફરાઝનો પુત્ર સાહિલ છે. કપિલ મિશ્રાએ આગળ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તે હિંદુ બેટીને બચાવી ન શક્યું, આ ગલીઓમાં આખરે કેટલી કેરાલા સ્ટોરીઓ બનશે, અને ક્યાં સુધી બેટીઓને આ રીતે મારી નાખવામાં આવશે.


શ્રધ્ધા સાથે પણ આજ થયું હતું


મિશ્રાએ શ્રધ્ધા હત્યા કેસને યાદ કરતા કહ્યું કે આ જ દિલ્હીમાં શ્રધ્ધા સાથે પણ આવું જ થયું હતું. હજું સુધી શ્રધ્ધા હત્યારાને પણ ફાંસી થઈ નથી. તે હજું પણ જીવતો છે. આ ન્યાયતંત્રની પણ મોટી નિષ્ફળતા છે. જો શ્રધ્ધાનો હત્યારો ફાંસી પર લટક્યો હોત તો સરફરાઝનો પુત્ર સાહિલની હત્યા કદાચ ન થઈ હોત. નિર્દોષ છોકરીને મારતા પહેલા તે કદાચ બે વખત વિચાર કરત, એવું લાગી રહ્યું છે કે આપણા શહેરના દરેક ગલી-મહોલ્લામાં કેરાલા સ્ટોરી બની રહી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.