દિલ્હીમાં હિંદુ સગીરાની હત્યા મામલે રાજનિતી શરૂ, કપિલ મિશ્રાએ કહ્યું 'દરેક ગલીમાં બની રહી છે કેરાલા સ્ટોરી'


  • Published By :
  • Published Date : 2023-05-29 18:27:34

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં થયેલી દર્દનાક હત્યા મામલે હવે રાજનિતી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં એક સગીર હિંદુ છોકરીની ઘાતકી હત્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ ઘટના અંગે તેમણે કહ્યું હતું કે, આશ્ચર્યજનક અને ભયાનક બાબત એ છે કે રાજધાનીમાં આવી ઘટનાઓ નિર્ભયતાથી કરવામાં આવી રહી છે. એક સગીર હિન્દુ છોકરીને કચડીને મારી નાખવામાં આવી રહી છે. 


દિલ્હીની દરેક ગલીમાં કેરાલા સ્ટોરી


ભાજપના નેતા કપિલ મિશ્રાએ આ નિર્મમ હત્યા મામલે કહ્યું કે દિલ્હીના દરેક ગલી, મોહલ્લામાં કેરલ સ્ટોરી બની રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે દિલ્હીમાં જ 'ધ કેરલ સ્ટોરી' જેવી ઘટનાઓ સામે આવી રહી છે. અત્યારે અમે શ્રદ્ધા માટે ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા કે અન્ય એક હિંદુ સગીર છોકરીની હત્યાએ બધાને ચોંકાવી દીધા છે. દિલ્હી બીજેપી નેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હીમાં આટલી દર્દનાક હત્યા થઈ છે તે ચોંકાવનારું છે. અન્ય એક સગીર હિન્દુ યુવતીને કચડીને મારી નાખવામાં આવી હતી. તેમણે લખ્યું છે કે, સગીરાનો હત્યારો સરફરાઝનો પુત્ર સાહિલ છે. કપિલ મિશ્રાએ આગળ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તે હિંદુ બેટીને બચાવી ન શક્યું, આ ગલીઓમાં આખરે કેટલી કેરાલા સ્ટોરીઓ બનશે, અને ક્યાં સુધી બેટીઓને આ રીતે મારી નાખવામાં આવશે.


શ્રધ્ધા સાથે પણ આજ થયું હતું


મિશ્રાએ શ્રધ્ધા હત્યા કેસને યાદ કરતા કહ્યું કે આ જ દિલ્હીમાં શ્રધ્ધા સાથે પણ આવું જ થયું હતું. હજું સુધી શ્રધ્ધા હત્યારાને પણ ફાંસી થઈ નથી. તે હજું પણ જીવતો છે. આ ન્યાયતંત્રની પણ મોટી નિષ્ફળતા છે. જો શ્રધ્ધાનો હત્યારો ફાંસી પર લટક્યો હોત તો સરફરાઝનો પુત્ર સાહિલની હત્યા કદાચ ન થઈ હોત. નિર્દોષ છોકરીને મારતા પહેલા તે કદાચ બે વખત વિચાર કરત, એવું લાગી રહ્યું છે કે આપણા શહેરના દરેક ગલી-મહોલ્લામાં કેરાલા સ્ટોરી બની રહી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.