બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવા તૈયાર દિલ્હી પોલીસ! જાણો આ મામલે શું કહ્યું દિલ્હી પોલીસે?


  • Published By :
  • Published Date : 2023-07-11 18:39:07

પહેલવાનો ઘણા સમયથી WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણને સજા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. મહિલા પહેલવાનોએ તેમના વિરૂદ્ધ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં  આવે તે માટે ઘણા મહિનાઓ સુધી પહેલવાનોએ ધરણા કર્યા હતા. અનેક વખત ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચ્યો હતો અને કોર્ટના આદેશ બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક આરોપો દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે બ્રિજભૂષણે મહિલા રેસલર્સની છેડતી કરી, કેસ ચાલવો જોઈએ.   


બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ ચાલવો જોઈએ - દિલ્હી પોલીસ 

બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવ્યા છે. તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે તેમણે ઘણા સમય સુધી ધરણા કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભાજપના સાંસદ સામે કેસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દાખલ કરવામાં આવ્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન, છેડતીના આરોપમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. થોડા સમય પહેલા પોલીસે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કહ્યું હતું કે 6 કુસ્તીબાજોની ફરિયાદોની અત્યારસુધીની તપાસના આધારે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવી શકે છે. સિંહ જાતીય સતામણી, છેડતી અને પીછો કરવા જેવા ગુનાઓ માટે કાર્યવાહી અને સજાને પાત્ર છે.   

પહેલવાનોના મામલે કોંગ્રેસ દેખાઈ આક્રામક

દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી વાત પર કોંગ્રેસ આક્રામક દેખાઈ છે. કોંગ્રેસ દ્વારા આ વાતને સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ મામલે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે “कानून और नैतिकता कहती है कि महिलाओं के साथ अत्याचार करने वाले आरोपी को उसके पद से हटाया जाए, निष्पक्ष जांच हो, गिरफ्तारी हो और अदालत में उसे सजा दिलवाई जाए लेकिन बीजेपी सरकार में देश का मान बढ़ाने वाली महिला खिलाड़ियों के साथ अत्याचार करने वाले आरोपी को बचाया क्यों जाता है, मामले को दबाया क्यों जाता है, जांच में मामले को रफा-दफा क्यों किया जाता है?”


આ મામલે અમિત શાહ સાથે કરી હતી બેઠક 

મહત્વનું છે કે આ મામલે કાર્યવાહી કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી રહી હતી. દિલ્હીના જંતર મંતર ખાતે જ્યારે તેઓ ધરણા કરી રહ્યા હતા ત્યારે અનેક રાજકીય પાર્ટીના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા. અમિત શાહ સાથે પણ કુસ્તીબાજોએ બેઠક કરી હતી તે ઉપરાંત અનુરાગ ઠાકોર સાથે પણ તેમણે બેઠક કરી હતી. અનેક સમય વિતી ગયો છે પરંતુ ધીમે ધીમે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે આ મામલે પીએમ મોદી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે?   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.