બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવા તૈયાર દિલ્હી પોલીસ! જાણો આ મામલે શું કહ્યું દિલ્હી પોલીસે?


  • Published By :
  • Published Date : 2023-07-11 18:39:07

પહેલવાનો ઘણા સમયથી WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણને સજા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. મહિલા પહેલવાનોએ તેમના વિરૂદ્ધ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં  આવે તે માટે ઘણા મહિનાઓ સુધી પહેલવાનોએ ધરણા કર્યા હતા. અનેક વખત ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચ્યો હતો અને કોર્ટના આદેશ બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક આરોપો દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે બ્રિજભૂષણે મહિલા રેસલર્સની છેડતી કરી, કેસ ચાલવો જોઈએ.   


બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ ચાલવો જોઈએ - દિલ્હી પોલીસ 

બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવ્યા છે. તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે તેમણે ઘણા સમય સુધી ધરણા કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભાજપના સાંસદ સામે કેસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દાખલ કરવામાં આવ્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન, છેડતીના આરોપમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. થોડા સમય પહેલા પોલીસે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કહ્યું હતું કે 6 કુસ્તીબાજોની ફરિયાદોની અત્યારસુધીની તપાસના આધારે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવી શકે છે. સિંહ જાતીય સતામણી, છેડતી અને પીછો કરવા જેવા ગુનાઓ માટે કાર્યવાહી અને સજાને પાત્ર છે.   

પહેલવાનોના મામલે કોંગ્રેસ દેખાઈ આક્રામક

દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી વાત પર કોંગ્રેસ આક્રામક દેખાઈ છે. કોંગ્રેસ દ્વારા આ વાતને સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ મામલે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે “कानून और नैतिकता कहती है कि महिलाओं के साथ अत्याचार करने वाले आरोपी को उसके पद से हटाया जाए, निष्पक्ष जांच हो, गिरफ्तारी हो और अदालत में उसे सजा दिलवाई जाए लेकिन बीजेपी सरकार में देश का मान बढ़ाने वाली महिला खिलाड़ियों के साथ अत्याचार करने वाले आरोपी को बचाया क्यों जाता है, मामले को दबाया क्यों जाता है, जांच में मामले को रफा-दफा क्यों किया जाता है?”


આ મામલે અમિત શાહ સાથે કરી હતી બેઠક 

મહત્વનું છે કે આ મામલે કાર્યવાહી કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી રહી હતી. દિલ્હીના જંતર મંતર ખાતે જ્યારે તેઓ ધરણા કરી રહ્યા હતા ત્યારે અનેક રાજકીય પાર્ટીના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા. અમિત શાહ સાથે પણ કુસ્તીબાજોએ બેઠક કરી હતી તે ઉપરાંત અનુરાગ ઠાકોર સાથે પણ તેમણે બેઠક કરી હતી. અનેક સમય વિતી ગયો છે પરંતુ ધીમે ધીમે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે આ મામલે પીએમ મોદી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે?   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.