દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ખતરનાક, AQI 450 વટાવતા ઓડ-ઈવનનો અમલ અને સ્કૂલો બંધ થશે


  • Published By :
  • Published Date : 2022-11-03 19:41:59


રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ બાદ GRAPનું સ્ટેજ-4 શરૂ કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે છે અને આજે પણ સવારે ધુમ્મસ અને ધુમાડાના ગોટેગોટા છે. છેલ્લા કેટલાક દિવસોથી, દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400 હતો, જ્યારે હવે તે 450ને વટાવી ગયો છે. આવી સ્થિતિમાં લોકો ખાસ કરીને વૃદ્ધો અને શાળાએ જતા બાળકોના સ્વાસ્થ્યની પણ ચિંતા વધી છે. આવી સ્થિતિમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. એકવાર GRAP સ્ટેજ 4 લાગુ થઈ જાય પછી ઘણા નવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે.


દિલ્હીમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો


નિષ્ણાંતોએ અગાઉ પણ દિલ્હીમાં પ્રદૂષણનો ખતરા અંગે આગાહી કરી હતી તેમણે કહ્યું હતું કે હજુ ખતરો સમાપ્ત થયો નથી. દિવાળી વહેલી આવી ગઈ છે અને નવેમ્બર આવતાની સાથે જ પરિસ્થિતિ ખતરનાક બની જશે અને એવું થયું. ગયા વર્ષે પણ નવેમ્બરના અંતમાં દિલ્હીમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો હતો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, આ વખતે 1 ઓક્ટોબરથી ગ્રાફ લાગુ છે અને ધીમે ધીમે વધતા પ્રદૂષણ સાથે, ગ્રાપ સ્ટેજ 3 લાગુ કરવામાં આવ્યો હતો અને ગુરુવારે 3જી નવેમ્બરના રોજ, ગ્રાફનો સ્ટેજ 4 પણ અમલમાં આવ્યો હતો.


GRAP સ્ટેજ-4, નવા નિયંત્રણો શું હશે?


ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરી શકાય છે. મતલબ કે એક દિવસ એકી સંખ્યા બહાર આવશે અને બીજા દિવસે બેકી સંખ્યા બહાર આવશે.


ઓફિસમાં 50 ટકા કામ સાથે સરકાર ઘરેથી કામ કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.


શાળા-કોલેજો બંધ રહી શકે છે.


દિલ્હીમાં BS-6 સિવાયના ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ


આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન સિવાય તમામ ઉદ્યોગો બંધ રહેશે.


હાઇવે, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન અને પાઇપલાઇન બાંધકામ બંધ રહેશે.


આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રકો સિવાયની ટ્રકો પર પ્રતિબંધ



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.