દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ખતરનાક, AQI 450 વટાવતા ઓડ-ઈવનનો અમલ અને સ્કૂલો બંધ થશે


  • Published By :
  • Published Date : 2022-11-03 19:41:59


રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ બાદ GRAPનું સ્ટેજ-4 શરૂ કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે છે અને આજે પણ સવારે ધુમ્મસ અને ધુમાડાના ગોટેગોટા છે. છેલ્લા કેટલાક દિવસોથી, દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400 હતો, જ્યારે હવે તે 450ને વટાવી ગયો છે. આવી સ્થિતિમાં લોકો ખાસ કરીને વૃદ્ધો અને શાળાએ જતા બાળકોના સ્વાસ્થ્યની પણ ચિંતા વધી છે. આવી સ્થિતિમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. એકવાર GRAP સ્ટેજ 4 લાગુ થઈ જાય પછી ઘણા નવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે.


દિલ્હીમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો


નિષ્ણાંતોએ અગાઉ પણ દિલ્હીમાં પ્રદૂષણનો ખતરા અંગે આગાહી કરી હતી તેમણે કહ્યું હતું કે હજુ ખતરો સમાપ્ત થયો નથી. દિવાળી વહેલી આવી ગઈ છે અને નવેમ્બર આવતાની સાથે જ પરિસ્થિતિ ખતરનાક બની જશે અને એવું થયું. ગયા વર્ષે પણ નવેમ્બરના અંતમાં દિલ્હીમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો હતો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, આ વખતે 1 ઓક્ટોબરથી ગ્રાફ લાગુ છે અને ધીમે ધીમે વધતા પ્રદૂષણ સાથે, ગ્રાપ સ્ટેજ 3 લાગુ કરવામાં આવ્યો હતો અને ગુરુવારે 3જી નવેમ્બરના રોજ, ગ્રાફનો સ્ટેજ 4 પણ અમલમાં આવ્યો હતો.


GRAP સ્ટેજ-4, નવા નિયંત્રણો શું હશે?


ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરી શકાય છે. મતલબ કે એક દિવસ એકી સંખ્યા બહાર આવશે અને બીજા દિવસે બેકી સંખ્યા બહાર આવશે.


ઓફિસમાં 50 ટકા કામ સાથે સરકાર ઘરેથી કામ કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.


શાળા-કોલેજો બંધ રહી શકે છે.


દિલ્હીમાં BS-6 સિવાયના ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ


આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન સિવાય તમામ ઉદ્યોગો બંધ રહેશે.


હાઇવે, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન અને પાઇપલાઇન બાંધકામ બંધ રહેશે.


આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રકો સિવાયની ટ્રકો પર પ્રતિબંધ



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.