દિલ્લીના કેન્દ્રીય મંત્રીએ ધર્મ પરિવર્તન કરતા રાજકારણ ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:25:01

દિલ્લીના સમાજ કલ્યાણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે નાગપુરના બૌદ્ધ મહાસાભામાં પોતાના ધર્મનું પરિવર્તન કરાવ્યું હતું. સમગ્ર મામલા પર ભાજપના નેતાઓએ સવાલોનો વરસાદ કરી દીધો છે. ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ આક્ષેપ કર્યો છે કે દિલ્લીના મંત્રીઓએ હિંદુના ઈષ્ટ દેવોનું અપમાન કર્યું છે. આ સિવાય ભાજપ નેતા કપિલ મિશ્રા અને ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ કાર્યક્રમ પર સવાલો કર્યા છે. 


હું રામ અને કૃષ્ણમાં નહીં માનું: રાજેન્દ્ર પાલ ગૌતમ 


દિલ્લી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે નાગપુરમાં ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આ ધર્માંતરણમાં તેમને હિંદુ દેવી દેવતાઓને નહીં માનવાની શપથ અપાવી છે. સમગ્ર મામલે દિલ્લી ભાજપના નેતાઓએ રાજેન્દ્ર પાલ ગૌતમને રાજકીય રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 


સમગ્ર મામલે રાજેન્દ્ર પાલ ગૌતમે શું પ્રતિક્રિયા આપી?


દિલ્લી ભાજપના નેતાઓના સવાલોના જવાબ આપતા દિલ્લી સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું હતું કે 1956થી અત્યાર સુધી દેશ અને દુનિયામાં બૌદ્ધ ધર્મની દીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી ત્યાં હર વર્ષે લાખો લોકો ભેગા થાય છે. દેશના અનેક રાજ્યોમાં બૌદ્ધ ધર્મની દિક્ષા લેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 


ડૉ. આંબેડકરે ધર્મપરિવર્તન કરી લીધી હતી 22 પ્રતિજ્ઞા


દિલ્લી સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે દિક્ષા લીધી હતી ત્યારે તેમણે 22 પ્રતિજ્ઞા લીધી હતી. આ ધર્મ પરિવર્તનનો ધ્યેય કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. આ પ્રતિજ્ઞાઓ લેવા પાછળનો ઉદ્દેશ્ય છે દેશ મજબૂત થાય અને ભારત જાતિમુક્ત બને. દેશમાં જેમ જેમ દલિતો સાથે થતા અત્યાચારોના બનાવો વધ્યા છે તેથી આવા કાર્યક્રમોની તિવ્રતામાં વધારો થતો જોવા મળ્યો છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે