ડેલ ટેકનોલોજી 6,650 કર્મચારીઓની છટણી કરશે, ખર્ચ ઘટાડવા કંપનીએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-06 19:18:33

વિશ્વની અગ્રણી ટેક કંપનીઓમાં છટણીની પ્રક્રિયા સતત ચાલુ જ છે. હવે ડેલ ટેક્નોલોજીએ તેના 6000થી વધુ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, ડેલ તેના વૈશ્વિક કર્મચારીઓના 5 ટકા ઘટાડવાની યોજના બનાવી રહી છે. જો આમ થશે તો કોમ્પ્યુટર બનાવતી કંપનીના લગભગ 6650 કર્મચારીઓની નોકરી જશે.


કંપનીના CEOએ શેઅર કરી નોટ


કંપનીના કો-ચીફ ઓપરેટિંગ ઓફિસર જેફ ક્લાર્કે તેમના કર્મચારીઓ સાથે શેર કરેલી નોટમાં જણાવ્યું હતું કે બજાર પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. કંપનીમાં છટણી બજારની સ્થિતિ પર આધારિત છે. તેમણે કહ્યું "અમે ભૂતકાળમાં પણ આર્થિક મંદીનો સામનો કર્યો છે અને વધુ મજબૂત બન્યા છીએ. કંપનીએ 2020માં પણ કોવિડ રોગચાળો આવ્યો ત્યારે આવી જ છટણીની જાહેરાત કરી હતી," 


પર્સનલ કમ્પ્યુટરના વેચાણમાં તીવ્ર ઘટાડો


બિઝનેસ વિશ્લેષક IDCએ જણાવ્યું હતું કે પ્રારંભિક ડેટા સૂચવે છે કે 2022 ના ચોથા ક્વાર્ટરમાં પર્સનલ કમ્પ્યુટર શિપમેન્ટમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. IDC મુજબ, ડેલના શિપમેન્ટમાં મોટી કંપનીઓમાં 2021ની સરખામણીમાં 37 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડેલ તેની લગભગ 55 ટકા આવક પર્સનલ કોમ્પ્યુટરના વેચાણમાંથી મેળવે છે. આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં HPએ પણ ત્રણ વર્ષ દરમિયાન 6 હજાર લોકોને હટાવવાની જાહેરાત કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.