નોટબંધી બાદ પણ નકલી નોટો હજુ છે માથામો દુ:ખાવો, આંકડાઓ ચોંકાવી દેશે


  • Published By :
  • Published Date : 2023-01-02 20:38:29

કેન્દ્ર સરકાર દ્વારા 2016માં નોટબંધી બાદ પણ દેશમાં નકલી ભારતીય ચલણનું ચલણ એક પડકાર બન્યો છે. સરકારે 2016માં રૂ. 1000 અને રૂ. 500ની નોટોને બંધ કરી દીધી હતી અને સરકારના નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી નોટોની સમસ્યાને દૂર કરવાનો હતો. જો કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના રિપોર્ટ અનુસાર, 2016 થી, દેશભરમાં કાયદા અમલીકરણ એજન્સીઓએ 245.33 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.


NCRBનો રિપોર્ટ શું કહે છે?


NCRBના આ રિપોર્ટ અનુસાર 2020માં સૌથી વધુ 92.17 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સૌથી ઓછી રકમ 15.92 કરોડ રૂપિયાની 2016માં જપ્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં રૂ. 20.39 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જ્યારે 2019માં રૂ. 34.79 કરોડ, 2018માં રૂ. 26.35 કરોડ અને 2017માં રૂ. 55.71 કરોડ હતી.


RBIની રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મે 2022માં પ્રકાશિતના વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં બેંકો દ્વારા શોધી કાઢવામાં આવેલી રૂ. 500ની નકલી નોટોની સંખ્યા પાછલા વર્ષની સરખામણીએ બમણીથી વધુ વધીને 79,669 થઈ ગઈ છે. વર્ષ 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની 13,604 નકલી નોટો મળી આવી હતી, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 54.6 ટકા વધુ હતી. વર્ષ 2020-21માં ઘટાડા પછી, બેંકો દ્વારા જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની કુલ સંખ્યા અગાઉના નાણાકીય વર્ષમાં 2,08,625થી વધીને 2,30,971 થઈ ગઈ છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.