નોટબંધી બાદ પણ નકલી નોટો હજુ છે માથામો દુ:ખાવો, આંકડાઓ ચોંકાવી દેશે


  • Published By :
  • Published Date : 2023-01-02 20:38:29

કેન્દ્ર સરકાર દ્વારા 2016માં નોટબંધી બાદ પણ દેશમાં નકલી ભારતીય ચલણનું ચલણ એક પડકાર બન્યો છે. સરકારે 2016માં રૂ. 1000 અને રૂ. 500ની નોટોને બંધ કરી દીધી હતી અને સરકારના નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી નોટોની સમસ્યાને દૂર કરવાનો હતો. જો કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના રિપોર્ટ અનુસાર, 2016 થી, દેશભરમાં કાયદા અમલીકરણ એજન્સીઓએ 245.33 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.


NCRBનો રિપોર્ટ શું કહે છે?


NCRBના આ રિપોર્ટ અનુસાર 2020માં સૌથી વધુ 92.17 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સૌથી ઓછી રકમ 15.92 કરોડ રૂપિયાની 2016માં જપ્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં રૂ. 20.39 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જ્યારે 2019માં રૂ. 34.79 કરોડ, 2018માં રૂ. 26.35 કરોડ અને 2017માં રૂ. 55.71 કરોડ હતી.


RBIની રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મે 2022માં પ્રકાશિતના વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં બેંકો દ્વારા શોધી કાઢવામાં આવેલી રૂ. 500ની નકલી નોટોની સંખ્યા પાછલા વર્ષની સરખામણીએ બમણીથી વધુ વધીને 79,669 થઈ ગઈ છે. વર્ષ 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની 13,604 નકલી નોટો મળી આવી હતી, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 54.6 ટકા વધુ હતી. વર્ષ 2020-21માં ઘટાડા પછી, બેંકો દ્વારા જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની કુલ સંખ્યા અગાઉના નાણાકીય વર્ષમાં 2,08,625થી વધીને 2,30,971 થઈ ગઈ છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.