નોટબંધી બાદ પણ નકલી નોટો હજુ છે માથામો દુ:ખાવો, આંકડાઓ ચોંકાવી દેશે


  • Published By :
  • Published Date : 2023-01-02 20:38:29

કેન્દ્ર સરકાર દ્વારા 2016માં નોટબંધી બાદ પણ દેશમાં નકલી ભારતીય ચલણનું ચલણ એક પડકાર બન્યો છે. સરકારે 2016માં રૂ. 1000 અને રૂ. 500ની નોટોને બંધ કરી દીધી હતી અને સરકારના નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી નોટોની સમસ્યાને દૂર કરવાનો હતો. જો કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના રિપોર્ટ અનુસાર, 2016 થી, દેશભરમાં કાયદા અમલીકરણ એજન્સીઓએ 245.33 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.


NCRBનો રિપોર્ટ શું કહે છે?


NCRBના આ રિપોર્ટ અનુસાર 2020માં સૌથી વધુ 92.17 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સૌથી ઓછી રકમ 15.92 કરોડ રૂપિયાની 2016માં જપ્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં રૂ. 20.39 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જ્યારે 2019માં રૂ. 34.79 કરોડ, 2018માં રૂ. 26.35 કરોડ અને 2017માં રૂ. 55.71 કરોડ હતી.


RBIની રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મે 2022માં પ્રકાશિતના વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં બેંકો દ્વારા શોધી કાઢવામાં આવેલી રૂ. 500ની નકલી નોટોની સંખ્યા પાછલા વર્ષની સરખામણીએ બમણીથી વધુ વધીને 79,669 થઈ ગઈ છે. વર્ષ 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની 13,604 નકલી નોટો મળી આવી હતી, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 54.6 ટકા વધુ હતી. વર્ષ 2020-21માં ઘટાડા પછી, બેંકો દ્વારા જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની કુલ સંખ્યા અગાઉના નાણાકીય વર્ષમાં 2,08,625થી વધીને 2,30,971 થઈ ગઈ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.