નોટબંધી બાદ પણ નકલી નોટો હજુ છે માથામો દુ:ખાવો, આંકડાઓ ચોંકાવી દેશે


  • Published By :
  • Published Date : 2023-01-02 20:38:29

કેન્દ્ર સરકાર દ્વારા 2016માં નોટબંધી બાદ પણ દેશમાં નકલી ભારતીય ચલણનું ચલણ એક પડકાર બન્યો છે. સરકારે 2016માં રૂ. 1000 અને રૂ. 500ની નોટોને બંધ કરી દીધી હતી અને સરકારના નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી નોટોની સમસ્યાને દૂર કરવાનો હતો. જો કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના રિપોર્ટ અનુસાર, 2016 થી, દેશભરમાં કાયદા અમલીકરણ એજન્સીઓએ 245.33 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.


NCRBનો રિપોર્ટ શું કહે છે?


NCRBના આ રિપોર્ટ અનુસાર 2020માં સૌથી વધુ 92.17 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સૌથી ઓછી રકમ 15.92 કરોડ રૂપિયાની 2016માં જપ્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં રૂ. 20.39 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જ્યારે 2019માં રૂ. 34.79 કરોડ, 2018માં રૂ. 26.35 કરોડ અને 2017માં રૂ. 55.71 કરોડ હતી.


RBIની રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મે 2022માં પ્રકાશિતના વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં બેંકો દ્વારા શોધી કાઢવામાં આવેલી રૂ. 500ની નકલી નોટોની સંખ્યા પાછલા વર્ષની સરખામણીએ બમણીથી વધુ વધીને 79,669 થઈ ગઈ છે. વર્ષ 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની 13,604 નકલી નોટો મળી આવી હતી, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 54.6 ટકા વધુ હતી. વર્ષ 2020-21માં ઘટાડા પછી, બેંકો દ્વારા જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની કુલ સંખ્યા અગાઉના નાણાકીય વર્ષમાં 2,08,625થી વધીને 2,30,971 થઈ ગઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.