નોટબંધી મુદ્દે સુપ્રીમ કોર્ટના જજ નાગરત્નાના ચુકાદાની થઈ રહી છે ચર્ચા, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-01-02 13:44:46

મોદી સરકારે નેટબંધીના પગલા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે  4:1ના બહુમતી સાથે કેન્દ્ર સરકારે નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટના એક જજએ તેમનો મત અન્ય ન્યાયાધિશથી અલગ આપ્યો હતો. જસ્ટીસ બીવી નાગરત્નાએ કેન્દ્ર સરકારના અધિકારના મુદ્દે અલગથી મત આપ્યો હતો. રિઝર્વ બેંકના કાયદાની કલમ  26(2) હેઠળ કેન્દ્રએ અધિકારીઓના મુદ્દે ન્યાયમૂર્તિ બી વી નાગરત્નાના મોત અન્ય એક જજ બી આગ ગવઈથી અલગ હતો. આવો અહીં જાણીએ ચુકાદા દરમિયાન જસ્ટીસ બીવી નાગરત્નાના મંતવ્યો શું હતા?


જસ્ટીસ બીવી નાગરત્નાએ શું કહ્યું?


1-જસ્ટીસ બીવી નાગરત્નાએ કહ્યું કે સંસદને નોટબંધી જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી હતી, આ પ્રક્રિયા ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા થવી જોઈતી નહોતી


2-જજે તે પણ સ્પષ્ટ કહ્યું કે આટલો મહત્વનો નિર્ણય સંસદની સંમતી વિના લઈ શકાય નહીં, સંસદમાં ચર્ચા થવી જોઈતી હતી.


3-રિઝર્વ બેંકે સરકારના નિર્ણયને શિરોમાન્ય ગણ્યો અને તે અંગે કોઈ વિચાર પણ કર્યો નહીં, તેની પાસે માત્ર અભિપ્રાય માંગવામાં આવ્યો જેને કેન્દ્રીય બેંકની ભલામણ કહીં શકાય નહીં.


4-ન્યાયમૂર્તિ નાગરત્નાએ કહ્યું કે 500 અને 1000ના નોટોને બંધ કરવાનો નિર્ણય ખોટો અને ગેરકાનુની હતો


5-ન્યાયમૂર્તિ નાગરત્નાએ તે પણ કહ્યું કે 500 અને 1000 રૂપિયાની સિરિઝની નોટ કાયદો બનાવીને જ રદ્દ કરી શકાતું હતું, નોટિફિકેશન દ્વારા નહીં.


જસ્ટીસ બીવી નાગરત્નાનો મત કેટલો મહત્વનો?


જસ્ટીસ બીવી નાગરત્નાએ સુપ્રીમ કોર્ટના તેમના ચાર સાથી ન્યાયાધિશોથી અલગ મત આપ્યો તે બાબત ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા બતાવે છે. સુપ્રીમ કોર્ટના તમામ પાચેય જજએ સર્વ સંમત ચુકાદો આપ્યો હોત  તો કેન્દ્ર સરકારને મોટી રાહત મળી કહીં શકાત. જો કે  જસ્ટીસ નાગરત્નાએ તેમના સ્વતંત્ર નિરિક્ષણો ટાંકીને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને સરકારને નિશાન બનાવવાની તક મળી ગઈ છે. આથી સ્વાભાવિક રીતે જ કેન્દ્ર સરકારને પણ જસ્ટીસ નાગરત્નાનો સ્વતંત્ર મત પચશે નહીં.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.