'ધનવાન હોવા છતાં, મોટા ઉદ્યોગપતિઓ વર્લ્ડ કપ માટે મફત પાસ ઇચ્છે છે' :ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા


  • Published By :
  • Published Date : 2023-11-19 14:00:45

ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટકરાશે. ક્રિકેટ ચાહકો આતુરતાથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ચાહકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફાઈનલને લઈને સોશિયલ મીડિયામાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન વિશ્વ કપ મેચને લઈને ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની એક સોશિયલ મીડિયા પોસ્ટને વિવાદ સર્જાયો છે. તેમના ટ્વીટને લઈને અનેક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પોસ્ટ શેર કરતા લખ્યું, "ઉદ્યોગપતિઓને વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે ફ્રી પાસ આપવામાં આવ્યા છે. તેમણે એમ પણ લખ્યું કે, મારા કોઈ પણ બિઝનેસ ફ્રેન્ડએ વર્લ્ડ કપ ફાઈનલની ટિકિટ લેવા માટે પૈસા ચૂકવ્યા નથી, તેઓ બધા 'પાસ' મેળવવામાં સફળ થયા છે. આ કેવી વિડંબના છે કે પૈસાદારો પણ પૈસા ચૂકવવા માંગતા નથી.

"



કોમેન્ટ્સની ભરમાર 


હર્ષ ગોએન્કાના ટ્વીટ બાદ તેમના દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ્સનો ધમધમાટ જોવા મળ્યો હતો. એક યુઝરે તેમને પૂછ્યું કે તેમને આ ફાઈનલ મેચમાં શું મળ્યું? પાસ અથવા ટિકિટ. તેમણે જવાબ આપ્યો, "તેમાંથી એક પણ નહી."


ટિકિટની કિંમતમાં જબદસ્ત ઉછાળો


ફાઇનલ મેચની ટિકિટની કિંમત એક માટે રૂ.1.87 લાખ જેટલી વધી ગઈ છે. ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટ રિ-સેલિંગ સાઇટ viagogo.com પરની કિંમતો દર્શાવે છે કે ટાયર 4ની ટિકિટની કિંમત રૂ.1,87,407 હતી જ્યારે નજીકના ટાયરની ટિકિટની કિંમત રૂ.1,57,421 હતી. સાઇટ પર સૌથી ઓછી કિંમતની ટિકિટની કિંમત રૂ.32,000થી વધુ હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.