'ધનવાન હોવા છતાં, મોટા ઉદ્યોગપતિઓ વર્લ્ડ કપ માટે મફત પાસ ઇચ્છે છે' :ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા


  • Published By :
  • Published Date : 2023-11-19 14:00:45

ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટકરાશે. ક્રિકેટ ચાહકો આતુરતાથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ચાહકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફાઈનલને લઈને સોશિયલ મીડિયામાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન વિશ્વ કપ મેચને લઈને ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની એક સોશિયલ મીડિયા પોસ્ટને વિવાદ સર્જાયો છે. તેમના ટ્વીટને લઈને અનેક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પોસ્ટ શેર કરતા લખ્યું, "ઉદ્યોગપતિઓને વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે ફ્રી પાસ આપવામાં આવ્યા છે. તેમણે એમ પણ લખ્યું કે, મારા કોઈ પણ બિઝનેસ ફ્રેન્ડએ વર્લ્ડ કપ ફાઈનલની ટિકિટ લેવા માટે પૈસા ચૂકવ્યા નથી, તેઓ બધા 'પાસ' મેળવવામાં સફળ થયા છે. આ કેવી વિડંબના છે કે પૈસાદારો પણ પૈસા ચૂકવવા માંગતા નથી.

"



કોમેન્ટ્સની ભરમાર 


હર્ષ ગોએન્કાના ટ્વીટ બાદ તેમના દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ્સનો ધમધમાટ જોવા મળ્યો હતો. એક યુઝરે તેમને પૂછ્યું કે તેમને આ ફાઈનલ મેચમાં શું મળ્યું? પાસ અથવા ટિકિટ. તેમણે જવાબ આપ્યો, "તેમાંથી એક પણ નહી."


ટિકિટની કિંમતમાં જબદસ્ત ઉછાળો


ફાઇનલ મેચની ટિકિટની કિંમત એક માટે રૂ.1.87 લાખ જેટલી વધી ગઈ છે. ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટ રિ-સેલિંગ સાઇટ viagogo.com પરની કિંમતો દર્શાવે છે કે ટાયર 4ની ટિકિટની કિંમત રૂ.1,87,407 હતી જ્યારે નજીકના ટાયરની ટિકિટની કિંમત રૂ.1,57,421 હતી. સાઇટ પર સૌથી ઓછી કિંમતની ટિકિટની કિંમત રૂ.32,000થી વધુ હતી.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .