'ધનવાન હોવા છતાં, મોટા ઉદ્યોગપતિઓ વર્લ્ડ કપ માટે મફત પાસ ઇચ્છે છે' :ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા


  • Published By :
  • Published Date : 2023-11-19 14:00:45

ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટકરાશે. ક્રિકેટ ચાહકો આતુરતાથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ચાહકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફાઈનલને લઈને સોશિયલ મીડિયામાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન વિશ્વ કપ મેચને લઈને ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની એક સોશિયલ મીડિયા પોસ્ટને વિવાદ સર્જાયો છે. તેમના ટ્વીટને લઈને અનેક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પોસ્ટ શેર કરતા લખ્યું, "ઉદ્યોગપતિઓને વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે ફ્રી પાસ આપવામાં આવ્યા છે. તેમણે એમ પણ લખ્યું કે, મારા કોઈ પણ બિઝનેસ ફ્રેન્ડએ વર્લ્ડ કપ ફાઈનલની ટિકિટ લેવા માટે પૈસા ચૂકવ્યા નથી, તેઓ બધા 'પાસ' મેળવવામાં સફળ થયા છે. આ કેવી વિડંબના છે કે પૈસાદારો પણ પૈસા ચૂકવવા માંગતા નથી.

"



કોમેન્ટ્સની ભરમાર 


હર્ષ ગોએન્કાના ટ્વીટ બાદ તેમના દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ્સનો ધમધમાટ જોવા મળ્યો હતો. એક યુઝરે તેમને પૂછ્યું કે તેમને આ ફાઈનલ મેચમાં શું મળ્યું? પાસ અથવા ટિકિટ. તેમણે જવાબ આપ્યો, "તેમાંથી એક પણ નહી."


ટિકિટની કિંમતમાં જબદસ્ત ઉછાળો


ફાઇનલ મેચની ટિકિટની કિંમત એક માટે રૂ.1.87 લાખ જેટલી વધી ગઈ છે. ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટ રિ-સેલિંગ સાઇટ viagogo.com પરની કિંમતો દર્શાવે છે કે ટાયર 4ની ટિકિટની કિંમત રૂ.1,87,407 હતી જ્યારે નજીકના ટાયરની ટિકિટની કિંમત રૂ.1,57,421 હતી. સાઇટ પર સૌથી ઓછી કિંમતની ટિકિટની કિંમત રૂ.32,000થી વધુ હતી.



શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.