વિવાદો વચ્ચે પણ પઠાણ ફિલ્મને મળ્યો સારો પ્રતિસાદ, બે દિવસમાં કરી ધૂમ કમાણી


  • Published By :
  • Published Date : 2023-01-27 12:06:56

દેશના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે 25 જાન્યુઆરીના રોજ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના બે દિવસમાં જ પઠાણ ફિલ્મે ધૂમ કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે પણ 65 કરોડની કમાણી કરી છે. માત્ર બે દિવસમાં જ કમાણીનો આંકડો 100 કરોડની આસપાસ પહોંચી ગયો છે.  

Pathaan Movie Release And Review Live Updates | Pathaan Movie Live: 'પઠાણ'  આજે સિનેમાઘરોમાં રિલીઝ, શાહરૂખ ખાન બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ

25 જાન્યુઆરીએ ફિલ્મ થઈ હતી રિલીઝ 

ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદે જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ શાહરુખે પઠાણ ફિલ્મથી કમબેક કર્યું છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મૂવીને વિવાદનો સામનો કરવો પડ્યો છે. બેશરમ રંગ ગીતને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા. તે સિવાય અનેક સ્થળો પર તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ વિરોધના વાદળા વચ્ચે 25 જાન્યુઆરી એટલે કે બુધવારના દિવસે ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી.


બે દિવસમાં ફિલ્મે કરી અંદાજીત 100 કરોડની કમાણી 

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા અનેક જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી હતી પરંતુ અનેક જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે પ્રથમ દિવસે કેજીએફ-2નો રેકોર્ડ તોડી દીધો હતો. પ્રથમ દિવસે ફિલ્મે અંદાજીત 55 કરોડનો કારોબાર કરી લીધો હતો. ફિલ્મ રિલીઝ થઈ એના બીજા દિવસે 26 જાન્યુઆરી હતી. જેનો ફાયદો ફિલ્મને મળી ગયો. બીજા દિવસે પઠાણ ફિલ્મે અંદાજીત 65 કરોડની કમાણી કરી લીધી છે. માત્ર બે દિવસમાં આ ફિલ્મની કમાણી 100 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. 


થિયેટરો બહાર લાગ્યા હાઉસફૂલના બેનર

ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે અનેક સ્થળો પર શાહરૂખ ખાનના કમબેકની ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર કેક કાપવામાં આવી હતી. અનેક રાજ્યોના થિયેટરો બહાર ઘણા વર્ષો બાદ હાઉસફૂલના બેનરો લાગ્યા હતા. આગામી સમયમાં આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી