વિવાદો વચ્ચે પણ પઠાણ ફિલ્મને મળ્યો સારો પ્રતિસાદ, બે દિવસમાં કરી ધૂમ કમાણી


  • Published By :
  • Published Date : 2023-01-27 12:06:56

દેશના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે 25 જાન્યુઆરીના રોજ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના બે દિવસમાં જ પઠાણ ફિલ્મે ધૂમ કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે પણ 65 કરોડની કમાણી કરી છે. માત્ર બે દિવસમાં જ કમાણીનો આંકડો 100 કરોડની આસપાસ પહોંચી ગયો છે.  

Pathaan Movie Release And Review Live Updates | Pathaan Movie Live: 'પઠાણ'  આજે સિનેમાઘરોમાં રિલીઝ, શાહરૂખ ખાન બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ

25 જાન્યુઆરીએ ફિલ્મ થઈ હતી રિલીઝ 

ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદે જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ શાહરુખે પઠાણ ફિલ્મથી કમબેક કર્યું છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મૂવીને વિવાદનો સામનો કરવો પડ્યો છે. બેશરમ રંગ ગીતને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા. તે સિવાય અનેક સ્થળો પર તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ વિરોધના વાદળા વચ્ચે 25 જાન્યુઆરી એટલે કે બુધવારના દિવસે ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી.


બે દિવસમાં ફિલ્મે કરી અંદાજીત 100 કરોડની કમાણી 

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા અનેક જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી હતી પરંતુ અનેક જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે પ્રથમ દિવસે કેજીએફ-2નો રેકોર્ડ તોડી દીધો હતો. પ્રથમ દિવસે ફિલ્મે અંદાજીત 55 કરોડનો કારોબાર કરી લીધો હતો. ફિલ્મ રિલીઝ થઈ એના બીજા દિવસે 26 જાન્યુઆરી હતી. જેનો ફાયદો ફિલ્મને મળી ગયો. બીજા દિવસે પઠાણ ફિલ્મે અંદાજીત 65 કરોડની કમાણી કરી લીધી છે. માત્ર બે દિવસમાં આ ફિલ્મની કમાણી 100 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. 


થિયેટરો બહાર લાગ્યા હાઉસફૂલના બેનર

ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે અનેક સ્થળો પર શાહરૂખ ખાનના કમબેકની ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર કેક કાપવામાં આવી હતી. અનેક રાજ્યોના થિયેટરો બહાર ઘણા વર્ષો બાદ હાઉસફૂલના બેનરો લાગ્યા હતા. આગામી સમયમાં આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.