વિવાદો વચ્ચે પણ પઠાણ ફિલ્મને મળ્યો સારો પ્રતિસાદ, બે દિવસમાં કરી ધૂમ કમાણી


  • Published By :
  • Published Date : 2023-01-27 12:06:56

દેશના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે 25 જાન્યુઆરીના રોજ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના બે દિવસમાં જ પઠાણ ફિલ્મે ધૂમ કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે પણ 65 કરોડની કમાણી કરી છે. માત્ર બે દિવસમાં જ કમાણીનો આંકડો 100 કરોડની આસપાસ પહોંચી ગયો છે.  

Pathaan Movie Release And Review Live Updates | Pathaan Movie Live: 'પઠાણ'  આજે સિનેમાઘરોમાં રિલીઝ, શાહરૂખ ખાન બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ

25 જાન્યુઆરીએ ફિલ્મ થઈ હતી રિલીઝ 

ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદે જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ શાહરુખે પઠાણ ફિલ્મથી કમબેક કર્યું છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મૂવીને વિવાદનો સામનો કરવો પડ્યો છે. બેશરમ રંગ ગીતને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા. તે સિવાય અનેક સ્થળો પર તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ વિરોધના વાદળા વચ્ચે 25 જાન્યુઆરી એટલે કે બુધવારના દિવસે ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી.


બે દિવસમાં ફિલ્મે કરી અંદાજીત 100 કરોડની કમાણી 

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા અનેક જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી હતી પરંતુ અનેક જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે પ્રથમ દિવસે કેજીએફ-2નો રેકોર્ડ તોડી દીધો હતો. પ્રથમ દિવસે ફિલ્મે અંદાજીત 55 કરોડનો કારોબાર કરી લીધો હતો. ફિલ્મ રિલીઝ થઈ એના બીજા દિવસે 26 જાન્યુઆરી હતી. જેનો ફાયદો ફિલ્મને મળી ગયો. બીજા દિવસે પઠાણ ફિલ્મે અંદાજીત 65 કરોડની કમાણી કરી લીધી છે. માત્ર બે દિવસમાં આ ફિલ્મની કમાણી 100 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. 


થિયેટરો બહાર લાગ્યા હાઉસફૂલના બેનર

ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે અનેક સ્થળો પર શાહરૂખ ખાનના કમબેકની ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર કેક કાપવામાં આવી હતી. અનેક રાજ્યોના થિયેટરો બહાર ઘણા વર્ષો બાદ હાઉસફૂલના બેનરો લાગ્યા હતા. આગામી સમયમાં આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.