વિવાદો વચ્ચે પણ પઠાણ ફિલ્મને મળ્યો સારો પ્રતિસાદ, બે દિવસમાં કરી ધૂમ કમાણી


  • Published By :
  • Published Date : 2023-01-27 12:06:56

દેશના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે 25 જાન્યુઆરીના રોજ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના બે દિવસમાં જ પઠાણ ફિલ્મે ધૂમ કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે પણ 65 કરોડની કમાણી કરી છે. માત્ર બે દિવસમાં જ કમાણીનો આંકડો 100 કરોડની આસપાસ પહોંચી ગયો છે.  

Pathaan Movie Release And Review Live Updates | Pathaan Movie Live: 'પઠાણ'  આજે સિનેમાઘરોમાં રિલીઝ, શાહરૂખ ખાન બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ

25 જાન્યુઆરીએ ફિલ્મ થઈ હતી રિલીઝ 

ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદે જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ શાહરુખે પઠાણ ફિલ્મથી કમબેક કર્યું છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મૂવીને વિવાદનો સામનો કરવો પડ્યો છે. બેશરમ રંગ ગીતને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા. તે સિવાય અનેક સ્થળો પર તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ વિરોધના વાદળા વચ્ચે 25 જાન્યુઆરી એટલે કે બુધવારના દિવસે ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી.


બે દિવસમાં ફિલ્મે કરી અંદાજીત 100 કરોડની કમાણી 

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા અનેક જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી હતી પરંતુ અનેક જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે પ્રથમ દિવસે કેજીએફ-2નો રેકોર્ડ તોડી દીધો હતો. પ્રથમ દિવસે ફિલ્મે અંદાજીત 55 કરોડનો કારોબાર કરી લીધો હતો. ફિલ્મ રિલીઝ થઈ એના બીજા દિવસે 26 જાન્યુઆરી હતી. જેનો ફાયદો ફિલ્મને મળી ગયો. બીજા દિવસે પઠાણ ફિલ્મે અંદાજીત 65 કરોડની કમાણી કરી લીધી છે. માત્ર બે દિવસમાં આ ફિલ્મની કમાણી 100 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. 


થિયેટરો બહાર લાગ્યા હાઉસફૂલના બેનર

ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે અનેક સ્થળો પર શાહરૂખ ખાનના કમબેકની ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર કેક કાપવામાં આવી હતી. અનેક રાજ્યોના થિયેટરો બહાર ઘણા વર્ષો બાદ હાઉસફૂલના બેનરો લાગ્યા હતા. આગામી સમયમાં આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.     




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.