દિલ્હીમાં વરસાદને કારણે સર્જાઈ તારાજી! યમુના નદીનું વધ્યું જળસ્તર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-07-13 13:38:17

દેશમાં જામેલો વરસાદી માહોલ અનેક રાજ્યો માટે આફત લઈને આવ્યું છે. થોડા સમય પહેલા વરસાદને લઈ હિમાચલ પ્રદેશ ચર્ચામાં હતું. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે મેઘરાજા દિલ્હીને ધમરોળી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈ પાણી ભરાઈ ગયા છે. યમુનાનું જળસ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. યમુના નદીમાં પાણી એકદમ ઝડપથી વધતા કેજરીવાલ સરકાર એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીના અનેક રસ્તાઓ એવા છે જે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર નજીક વરસાદી પાણી પહોંચી ગયું હતું.   

દિલ્હીમાં વરસાદે બોલાવી ધબધબાટી

ભારેથી અતિભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોની પરિસ્થિતિ વિકટ બની રહી છે. મેઘમહેર જળપ્રલય લઈને આવી છે. અનેક રાજ્યો એવા છે જ્યાં વરસેલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. થોડા સમય પહેલા મેઘરાજાએ હિમાચલ પ્રદેશની હાલત ખરાબ કરી દીધી હતી. ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે વરસાદે દિલ્હીમાં ધબધબાટી બોલાવી છે. હિમાચલ પ્રદેશ બાદ દિલ્હીનો વારો હોય તેવું લાગી રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે યમુના નદીમાં નવા નીરની આવક તો થઈ છે પરંતુ ભયજનક સપાટીને યમુના નદી વટાવી ચૂકી છે.

  

મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચ્યું વરસાદી પાણી 

પાણીનો સતત વધતો પ્રવાહ દિલ્હી સરકાર માટે આફતરૂપ બન્યું છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. યમુના નદીના કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઉપરાંત એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દિલ્હીની હાલત ખરાબ છે. વરસાદી પાણી મુખ્યમંત્રી કેજરીવાલના ઘર સુધી પહોંચી ગયું છે. વરસાદી સંકટને લઈ સીએમએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. વરસાદી પાણીને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. મહત્વનું છે કે વધતા વરસાદી પાણીના ખતરાને જોતા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. રેલવે સ્ટેશનો પર પણ વરસાદી પાણી જોવા મળ્યા હતા.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.