દિલ્હીમાં વરસાદને કારણે સર્જાઈ તારાજી! યમુના નદીનું વધ્યું જળસ્તર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2023-07-13 13:38:17

દેશમાં જામેલો વરસાદી માહોલ અનેક રાજ્યો માટે આફત લઈને આવ્યું છે. થોડા સમય પહેલા વરસાદને લઈ હિમાચલ પ્રદેશ ચર્ચામાં હતું. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે મેઘરાજા દિલ્હીને ધમરોળી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈ પાણી ભરાઈ ગયા છે. યમુનાનું જળસ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. યમુના નદીમાં પાણી એકદમ ઝડપથી વધતા કેજરીવાલ સરકાર એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીના અનેક રસ્તાઓ એવા છે જે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર નજીક વરસાદી પાણી પહોંચી ગયું હતું.   

દિલ્હીમાં વરસાદે બોલાવી ધબધબાટી

ભારેથી અતિભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોની પરિસ્થિતિ વિકટ બની રહી છે. મેઘમહેર જળપ્રલય લઈને આવી છે. અનેક રાજ્યો એવા છે જ્યાં વરસેલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. થોડા સમય પહેલા મેઘરાજાએ હિમાચલ પ્રદેશની હાલત ખરાબ કરી દીધી હતી. ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે વરસાદે દિલ્હીમાં ધબધબાટી બોલાવી છે. હિમાચલ પ્રદેશ બાદ દિલ્હીનો વારો હોય તેવું લાગી રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે યમુના નદીમાં નવા નીરની આવક તો થઈ છે પરંતુ ભયજનક સપાટીને યમુના નદી વટાવી ચૂકી છે.

  

મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચ્યું વરસાદી પાણી 

પાણીનો સતત વધતો પ્રવાહ દિલ્હી સરકાર માટે આફતરૂપ બન્યું છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. યમુના નદીના કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઉપરાંત એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દિલ્હીની હાલત ખરાબ છે. વરસાદી પાણી મુખ્યમંત્રી કેજરીવાલના ઘર સુધી પહોંચી ગયું છે. વરસાદી સંકટને લઈ સીએમએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. વરસાદી પાણીને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. મહત્વનું છે કે વધતા વરસાદી પાણીના ખતરાને જોતા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. રેલવે સ્ટેશનો પર પણ વરસાદી પાણી જોવા મળ્યા હતા.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .