દિલ્હીમાં વરસાદને કારણે સર્જાઈ તારાજી! યમુના નદીનું વધ્યું જળસ્તર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બોલાવી બેઠક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-13 13:38:17

દેશમાં જામેલો વરસાદી માહોલ અનેક રાજ્યો માટે આફત લઈને આવ્યું છે. થોડા સમય પહેલા વરસાદને લઈ હિમાચલ પ્રદેશ ચર્ચામાં હતું. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે મેઘરાજા દિલ્હીને ધમરોળી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈ પાણી ભરાઈ ગયા છે. યમુનાનું જળસ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. યમુના નદીમાં પાણી એકદમ ઝડપથી વધતા કેજરીવાલ સરકાર એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીના અનેક રસ્તાઓ એવા છે જે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર નજીક વરસાદી પાણી પહોંચી ગયું હતું.   

દિલ્હીમાં વરસાદે બોલાવી ધબધબાટી

ભારેથી અતિભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોની પરિસ્થિતિ વિકટ બની રહી છે. મેઘમહેર જળપ્રલય લઈને આવી છે. અનેક રાજ્યો એવા છે જ્યાં વરસેલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. થોડા સમય પહેલા મેઘરાજાએ હિમાચલ પ્રદેશની હાલત ખરાબ કરી દીધી હતી. ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે વરસાદે દિલ્હીમાં ધબધબાટી બોલાવી છે. હિમાચલ પ્રદેશ બાદ દિલ્હીનો વારો હોય તેવું લાગી રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે યમુના નદીમાં નવા નીરની આવક તો થઈ છે પરંતુ ભયજનક સપાટીને યમુના નદી વટાવી ચૂકી છે.

  

મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચ્યું વરસાદી પાણી 

પાણીનો સતત વધતો પ્રવાહ દિલ્હી સરકાર માટે આફતરૂપ બન્યું છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. યમુના નદીના કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઉપરાંત એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દિલ્હીની હાલત ખરાબ છે. વરસાદી પાણી મુખ્યમંત્રી કેજરીવાલના ઘર સુધી પહોંચી ગયું છે. વરસાદી સંકટને લઈ સીએમએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. વરસાદી પાણીને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. મહત્વનું છે કે વધતા વરસાદી પાણીના ખતરાને જોતા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. રેલવે સ્ટેશનો પર પણ વરસાદી પાણી જોવા મળ્યા હતા.    



કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.