દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ PM મોદીને ફરી ગણાવ્યા રાષ્ટ્રપિતા, કોંગ્રેસે માર્યો આવો ટોણો


  • Published By :
  • Published Date : 2022-12-21 21:52:55

મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવા ભારતના 'રાષ્ટ્રપિતા' ગણાવ્યા છે. નાગપુરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે હવે દેશમાં બે 'રાષ્ટ્રપિતા' છે. અમૃતાએ ગયા વર્ષે પણ પીએમ મોદીને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું હતું.


શું કહ્યું અમૃતા ફડણવીસે?

   

અમૃતા ફડણવીસને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે જો પીએમ મોદી રાષ્ટ્રપિતા છે તો મહાત્મા ગાંધી કોણ છે?. આના પર અમૃતાએ જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે અને વડાપ્રધાન મોદી નવા ભારતના પિતા છે. તેમણે કહ્યું કે આપણા બે રાષ્ટ્રપિતા છે, નરેન્દ્ર મોદી નવા ભારતના પિતા છે અને મહાત્મા ગાંધી પહેલાના સમયના રાષ્ટ્રપિતા છે.


કોંગ્રેસે પણ માર્યો જોરદાર ટોણો


તે જ સમયે, કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન યશોમતી ઠાકુરે અમૃતા ફડણવીસની તેમની ટિપ્પણી માટે ખેંચતાણ કરી. ઠાકુરે કહ્યું કે જે લોકો ભાજપ અને આરએસએસની વિચારધારાને અનુસરે છે તેઓ વારંવાર ગાંધીજીને મારવાના પ્રયાસો કરતા રહે છે. તેઓ આવા નિવેદનો આપતા રહે છે કારણ કે તેમના પર ગાંધીજી જેવા મહાન લોકોને જુઠ્ઠું બોલીને અને બદનામ કરીને ઈતિહાસ બદલવાનું ગાંડપણ સવાર થયું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.