દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ PM મોદીને ફરી ગણાવ્યા રાષ્ટ્રપિતા, કોંગ્રેસે માર્યો આવો ટોણો


  • Published By :
  • Published Date : 2022-12-21 21:52:55

મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવા ભારતના 'રાષ્ટ્રપિતા' ગણાવ્યા છે. નાગપુરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે હવે દેશમાં બે 'રાષ્ટ્રપિતા' છે. અમૃતાએ ગયા વર્ષે પણ પીએમ મોદીને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું હતું.


શું કહ્યું અમૃતા ફડણવીસે?

   

અમૃતા ફડણવીસને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે જો પીએમ મોદી રાષ્ટ્રપિતા છે તો મહાત્મા ગાંધી કોણ છે?. આના પર અમૃતાએ જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે અને વડાપ્રધાન મોદી નવા ભારતના પિતા છે. તેમણે કહ્યું કે આપણા બે રાષ્ટ્રપિતા છે, નરેન્દ્ર મોદી નવા ભારતના પિતા છે અને મહાત્મા ગાંધી પહેલાના સમયના રાષ્ટ્રપિતા છે.


કોંગ્રેસે પણ માર્યો જોરદાર ટોણો


તે જ સમયે, કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન યશોમતી ઠાકુરે અમૃતા ફડણવીસની તેમની ટિપ્પણી માટે ખેંચતાણ કરી. ઠાકુરે કહ્યું કે જે લોકો ભાજપ અને આરએસએસની વિચારધારાને અનુસરે છે તેઓ વારંવાર ગાંધીજીને મારવાના પ્રયાસો કરતા રહે છે. તેઓ આવા નિવેદનો આપતા રહે છે કારણ કે તેમના પર ગાંધીજી જેવા મહાન લોકોને જુઠ્ઠું બોલીને અને બદનામ કરીને ઈતિહાસ બદલવાનું ગાંડપણ સવાર થયું છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.