દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ PM મોદીને ફરી ગણાવ્યા રાષ્ટ્રપિતા, કોંગ્રેસે માર્યો આવો ટોણો


  • Published By :
  • Published Date : 2022-12-21 21:52:55

મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવા ભારતના 'રાષ્ટ્રપિતા' ગણાવ્યા છે. નાગપુરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે હવે દેશમાં બે 'રાષ્ટ્રપિતા' છે. અમૃતાએ ગયા વર્ષે પણ પીએમ મોદીને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું હતું.


શું કહ્યું અમૃતા ફડણવીસે?

   

અમૃતા ફડણવીસને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે જો પીએમ મોદી રાષ્ટ્રપિતા છે તો મહાત્મા ગાંધી કોણ છે?. આના પર અમૃતાએ જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે અને વડાપ્રધાન મોદી નવા ભારતના પિતા છે. તેમણે કહ્યું કે આપણા બે રાષ્ટ્રપિતા છે, નરેન્દ્ર મોદી નવા ભારતના પિતા છે અને મહાત્મા ગાંધી પહેલાના સમયના રાષ્ટ્રપિતા છે.


કોંગ્રેસે પણ માર્યો જોરદાર ટોણો


તે જ સમયે, કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન યશોમતી ઠાકુરે અમૃતા ફડણવીસની તેમની ટિપ્પણી માટે ખેંચતાણ કરી. ઠાકુરે કહ્યું કે જે લોકો ભાજપ અને આરએસએસની વિચારધારાને અનુસરે છે તેઓ વારંવાર ગાંધીજીને મારવાના પ્રયાસો કરતા રહે છે. તેઓ આવા નિવેદનો આપતા રહે છે કારણ કે તેમના પર ગાંધીજી જેવા મહાન લોકોને જુઠ્ઠું બોલીને અને બદનામ કરીને ઈતિહાસ બદલવાનું ગાંડપણ સવાર થયું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે