ભક્તો નહીં કરી શકે બાબા બર્ફાનીના દર્શન! આ કારણોસર યાત્રા પર લગાવાઈ રોક, જાણો ક્યારથી ફરી શરૂ થશે યાત્રા


  • Published By :
  • Published Date : 2023-07-07 16:31:53

દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પર પ્રતિબંધ મૂકી દેવાતા ભક્તોમાં નિરાશા જોવા મળી છે. પહેલગામ તેમજ બેઝ કેમ્પ એમ બંને રૂટ પર ભક્તોના આવન જાવન પર રોક મૂકી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે જ્યારથી યાત્રા શરૂ થઈ છે ત્યારથી લઈ હજી સુધી 84 હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

  


ખરાબ હવામાનને કારણે યાત્રા પર લાગી રોક

અમરનાથ યાત્રાનું મહત્વ હિંદુ ધર્મમા રહેલું છે. જમ્મુ કાશ્મીરમાં આવેલું અમરનાથ ધામ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમરનાથ યાત્રાના દર્શને જતા ભક્તો અનેક વખત કહેતા હોય છે કે જો નસીબ હોય તો જ બાબા  બરફાનીના દર્શન થાય. વાત ઘણા અંશે સાચી પણ છે. અનેક વખત અમરનાથ યાત્રાને રદ્દ કરવામાં આવે છે, અનેક વખત ખરાબ હવામાનને કારણે પણ યાત્રા રદ્દ થતી હોય છે. ત્યારે આ વાત સાચી થઈ છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે પણ અનેક વખત યાત્રાને રોકવામાં આવી છે. ત્યારે આગામી આદેશ સુધી ભક્તો દર્શન નહીં કરી શકે. અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેને જણાવ્યું કે જેવી પરિસ્થિતિ સામાન્ય થશે તેવી જ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવશે.


પહેલી જુલાઈથી થયો હતો અમરનાથ યાત્રાનો પ્રારંભ 

આ વખતે અમરનાથ યાત્રાની શરૂઆત પહેલી જુલાઈથી થઈ હતી. યાત્રાને શરૂ થયે થોડા દિવસો જ વિત્યા છે ત્યારે હજારો લોકોએ દર્શનનો લાવો લીધો છે. મળતી માહિતી અનુસાર આ વર્ષની યાત્રામાં હજી સુધી 80 હજારથી વધુ દર્શનાર્થી આવી પહોંચ્યા છે. યાત્રાના ઘણા સમય પહેલેથી જ યાત્રાને લઈ તૈયારી શરૂ થઈ જતી હોય છે. ત્યારે આ વર્ષે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ વાતાવરણે તેમના ઉત્સાહમાં ખલેલ પહોંચાડી છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથની યાત્રા 62 દિવસ ચાલે છે.  




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.