ભક્તો નહીં કરી શકે બાબા બર્ફાનીના દર્શન! આ કારણોસર યાત્રા પર લગાવાઈ રોક, જાણો ક્યારથી ફરી શરૂ થશે યાત્રા


  • Published By :
  • Published Date : 2023-07-07 16:31:53

દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પર પ્રતિબંધ મૂકી દેવાતા ભક્તોમાં નિરાશા જોવા મળી છે. પહેલગામ તેમજ બેઝ કેમ્પ એમ બંને રૂટ પર ભક્તોના આવન જાવન પર રોક મૂકી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે જ્યારથી યાત્રા શરૂ થઈ છે ત્યારથી લઈ હજી સુધી 84 હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

  


ખરાબ હવામાનને કારણે યાત્રા પર લાગી રોક

અમરનાથ યાત્રાનું મહત્વ હિંદુ ધર્મમા રહેલું છે. જમ્મુ કાશ્મીરમાં આવેલું અમરનાથ ધામ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમરનાથ યાત્રાના દર્શને જતા ભક્તો અનેક વખત કહેતા હોય છે કે જો નસીબ હોય તો જ બાબા  બરફાનીના દર્શન થાય. વાત ઘણા અંશે સાચી પણ છે. અનેક વખત અમરનાથ યાત્રાને રદ્દ કરવામાં આવે છે, અનેક વખત ખરાબ હવામાનને કારણે પણ યાત્રા રદ્દ થતી હોય છે. ત્યારે આ વાત સાચી થઈ છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે પણ અનેક વખત યાત્રાને રોકવામાં આવી છે. ત્યારે આગામી આદેશ સુધી ભક્તો દર્શન નહીં કરી શકે. અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેને જણાવ્યું કે જેવી પરિસ્થિતિ સામાન્ય થશે તેવી જ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવશે.


પહેલી જુલાઈથી થયો હતો અમરનાથ યાત્રાનો પ્રારંભ 

આ વખતે અમરનાથ યાત્રાની શરૂઆત પહેલી જુલાઈથી થઈ હતી. યાત્રાને શરૂ થયે થોડા દિવસો જ વિત્યા છે ત્યારે હજારો લોકોએ દર્શનનો લાવો લીધો છે. મળતી માહિતી અનુસાર આ વર્ષની યાત્રામાં હજી સુધી 80 હજારથી વધુ દર્શનાર્થી આવી પહોંચ્યા છે. યાત્રાના ઘણા સમય પહેલેથી જ યાત્રાને લઈ તૈયારી શરૂ થઈ જતી હોય છે. ત્યારે આ વર્ષે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ વાતાવરણે તેમના ઉત્સાહમાં ખલેલ પહોંચાડી છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથની યાત્રા 62 દિવસ ચાલે છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.