ભક્તો નહીં કરી શકે બાબા બર્ફાનીના દર્શન! આ કારણોસર યાત્રા પર લગાવાઈ રોક, જાણો ક્યારથી ફરી શરૂ થશે યાત્રા


  • Published By :
  • Published Date : 2023-07-07 16:31:53

દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પર પ્રતિબંધ મૂકી દેવાતા ભક્તોમાં નિરાશા જોવા મળી છે. પહેલગામ તેમજ બેઝ કેમ્પ એમ બંને રૂટ પર ભક્તોના આવન જાવન પર રોક મૂકી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે જ્યારથી યાત્રા શરૂ થઈ છે ત્યારથી લઈ હજી સુધી 84 હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

  


ખરાબ હવામાનને કારણે યાત્રા પર લાગી રોક

અમરનાથ યાત્રાનું મહત્વ હિંદુ ધર્મમા રહેલું છે. જમ્મુ કાશ્મીરમાં આવેલું અમરનાથ ધામ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમરનાથ યાત્રાના દર્શને જતા ભક્તો અનેક વખત કહેતા હોય છે કે જો નસીબ હોય તો જ બાબા  બરફાનીના દર્શન થાય. વાત ઘણા અંશે સાચી પણ છે. અનેક વખત અમરનાથ યાત્રાને રદ્દ કરવામાં આવે છે, અનેક વખત ખરાબ હવામાનને કારણે પણ યાત્રા રદ્દ થતી હોય છે. ત્યારે આ વાત સાચી થઈ છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે પણ અનેક વખત યાત્રાને રોકવામાં આવી છે. ત્યારે આગામી આદેશ સુધી ભક્તો દર્શન નહીં કરી શકે. અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેને જણાવ્યું કે જેવી પરિસ્થિતિ સામાન્ય થશે તેવી જ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવશે.


પહેલી જુલાઈથી થયો હતો અમરનાથ યાત્રાનો પ્રારંભ 

આ વખતે અમરનાથ યાત્રાની શરૂઆત પહેલી જુલાઈથી થઈ હતી. યાત્રાને શરૂ થયે થોડા દિવસો જ વિત્યા છે ત્યારે હજારો લોકોએ દર્શનનો લાવો લીધો છે. મળતી માહિતી અનુસાર આ વર્ષની યાત્રામાં હજી સુધી 80 હજારથી વધુ દર્શનાર્થી આવી પહોંચ્યા છે. યાત્રાના ઘણા સમય પહેલેથી જ યાત્રાને લઈ તૈયારી શરૂ થઈ જતી હોય છે. ત્યારે આ વર્ષે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ વાતાવરણે તેમના ઉત્સાહમાં ખલેલ પહોંચાડી છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથની યાત્રા 62 દિવસ ચાલે છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.