ભક્તો નહીં કરી શકે બાબા બર્ફાનીના દર્શન! આ કારણોસર યાત્રા પર લગાવાઈ રોક, જાણો ક્યારથી ફરી શરૂ થશે યાત્રા


  • Published By :
  • Published Date : 2023-07-07 16:31:53

દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પર પ્રતિબંધ મૂકી દેવાતા ભક્તોમાં નિરાશા જોવા મળી છે. પહેલગામ તેમજ બેઝ કેમ્પ એમ બંને રૂટ પર ભક્તોના આવન જાવન પર રોક મૂકી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે જ્યારથી યાત્રા શરૂ થઈ છે ત્યારથી લઈ હજી સુધી 84 હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

  


ખરાબ હવામાનને કારણે યાત્રા પર લાગી રોક

અમરનાથ યાત્રાનું મહત્વ હિંદુ ધર્મમા રહેલું છે. જમ્મુ કાશ્મીરમાં આવેલું અમરનાથ ધામ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમરનાથ યાત્રાના દર્શને જતા ભક્તો અનેક વખત કહેતા હોય છે કે જો નસીબ હોય તો જ બાબા  બરફાનીના દર્શન થાય. વાત ઘણા અંશે સાચી પણ છે. અનેક વખત અમરનાથ યાત્રાને રદ્દ કરવામાં આવે છે, અનેક વખત ખરાબ હવામાનને કારણે પણ યાત્રા રદ્દ થતી હોય છે. ત્યારે આ વાત સાચી થઈ છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે પણ અનેક વખત યાત્રાને રોકવામાં આવી છે. ત્યારે આગામી આદેશ સુધી ભક્તો દર્શન નહીં કરી શકે. અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેને જણાવ્યું કે જેવી પરિસ્થિતિ સામાન્ય થશે તેવી જ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવશે.


પહેલી જુલાઈથી થયો હતો અમરનાથ યાત્રાનો પ્રારંભ 

આ વખતે અમરનાથ યાત્રાની શરૂઆત પહેલી જુલાઈથી થઈ હતી. યાત્રાને શરૂ થયે થોડા દિવસો જ વિત્યા છે ત્યારે હજારો લોકોએ દર્શનનો લાવો લીધો છે. મળતી માહિતી અનુસાર આ વર્ષની યાત્રામાં હજી સુધી 80 હજારથી વધુ દર્શનાર્થી આવી પહોંચ્યા છે. યાત્રાના ઘણા સમય પહેલેથી જ યાત્રાને લઈ તૈયારી શરૂ થઈ જતી હોય છે. ત્યારે આ વર્ષે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ વાતાવરણે તેમના ઉત્સાહમાં ખલેલ પહોંચાડી છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથની યાત્રા 62 દિવસ ચાલે છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.