રાજ્યના નવા પોલીસ વડાના પદ માટે 5 IPS અધિકારીઓ છે રેસમાં, જાણો કોના નામ છે ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2023-01-28 17:36:34

ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે નવા પોલીસ વડા માટે કેન્દ્ર સરકારને 6 સિનિયર પોલીસ અધિકારીઓના નામની યાદી મોકલી છે.  આ પેનલમાંથી ગુજરાતના આગામી DGPનું નામ ફાઇનલ કરવામાં આવશે. 


કોણ છે પોલીસ વડાની રેસમાં 


ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે ત્યારે  તેમના અનુગામી તરીકે અતુલ કરવાલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. અતુલ કરવાલ હાલ DG NDRF તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત DGP ટ્રેનિંગ તરીકે કાર્યરત વિકાસ સહાય પણ DGP બનવાની રેસમાં છે. સિનિયોરીટી પ્રમાણે CBIના સ્પેશિયલ ડિરેક્ટર પ્રવીણ સિંહા,  CID ક્રાઈમ વૂમન સેલના DG અનિલ પ્રથમ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની પણ ચર્ચા ચાલી રહી છે.


આશિષ ભાટિયાને મળ્યું હતું એક્સટેન્શન


ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનુ એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના એક્સેન્ટેશનના કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.