Dharm : આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ, આ વખતે કયા વાહન પર સવાર થઈ મા જગદંબા પધારશે ધરતી લોક?


  • Published By :
  • Published Date : 2024-04-08 12:27:10

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે જેમાં બે નવરાત્રી પ્રચલિત છે અને બે નવરાત્રીને ગુપ્ત નવરાત્રી માનવામાં આવે છે. આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય છે તે પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોક પર આવે છે... ત્યારે આ વખતે માતાજી ઘોડા પર સવાર થઈ ભૂલોક પર આવશે કારણ કે આ વખતે નવરાત્રી મંગળવારના દિવસથી શરૂ થઈ રહી છે..!


જો નવરાત્રીનો આ દિવસથી થાય પ્રારંભ તો.....  

આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. નવરાત્રીને લઈ મંદિરોમાં વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. નવલા નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરાય છે. નવરાત્રી દરમિયાન માતા સરસ્વતી, માતા લક્ષ્મી તેમજ માતા પાર્વતીની પૂજા કરવાનો મહિમા રહેલો હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે માતાજીનું વાહન સિંહ છે પરંતુ નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસે માતાજી અલગ અલગ વાહન પર બિરાજમાન થઈ ભૂલોક પર આવે છે.. મળતી માહિતી અનુસાર જો નવરાત્રી રવિવાર અથવા તો સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈને આવે છે... 


આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થવાનો છે પ્રારંભ 

જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થાય છે તો માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવે છે. જો બુધવારના દિવસથી નવરાત્રીનો આરંભ થાય છે કો માતાજી હોડીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરૂવાર અથવા તો શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતાજી ભૂલોક પર આવે છે...  ત્યારે આ વખતે ચૈત્ર નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે માટે માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવશે..



(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે) 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.