Dharm : આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ, આ વખતે કયા વાહન પર સવાર થઈ મા જગદંબા પધારશે ધરતી લોક?


  • Published By :
  • Published Date : 2024-04-08 12:27:10

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે જેમાં બે નવરાત્રી પ્રચલિત છે અને બે નવરાત્રીને ગુપ્ત નવરાત્રી માનવામાં આવે છે. આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય છે તે પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોક પર આવે છે... ત્યારે આ વખતે માતાજી ઘોડા પર સવાર થઈ ભૂલોક પર આવશે કારણ કે આ વખતે નવરાત્રી મંગળવારના દિવસથી શરૂ થઈ રહી છે..!


જો નવરાત્રીનો આ દિવસથી થાય પ્રારંભ તો.....  

આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. નવરાત્રીને લઈ મંદિરોમાં વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. નવલા નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરાય છે. નવરાત્રી દરમિયાન માતા સરસ્વતી, માતા લક્ષ્મી તેમજ માતા પાર્વતીની પૂજા કરવાનો મહિમા રહેલો હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે માતાજીનું વાહન સિંહ છે પરંતુ નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસે માતાજી અલગ અલગ વાહન પર બિરાજમાન થઈ ભૂલોક પર આવે છે.. મળતી માહિતી અનુસાર જો નવરાત્રી રવિવાર અથવા તો સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈને આવે છે... 


આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થવાનો છે પ્રારંભ 

જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થાય છે તો માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવે છે. જો બુધવારના દિવસથી નવરાત્રીનો આરંભ થાય છે કો માતાજી હોડીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરૂવાર અથવા તો શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતાજી ભૂલોક પર આવે છે...  ત્યારે આ વખતે ચૈત્ર નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે માટે માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવશે..



(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે) 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .