Dharm : આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ, આ વખતે કયા વાહન પર સવાર થઈ મા જગદંબા પધારશે ધરતી લોક?


  • Published By :
  • Published Date : 2024-04-08 12:27:10

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે જેમાં બે નવરાત્રી પ્રચલિત છે અને બે નવરાત્રીને ગુપ્ત નવરાત્રી માનવામાં આવે છે. આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય છે તે પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોક પર આવે છે... ત્યારે આ વખતે માતાજી ઘોડા પર સવાર થઈ ભૂલોક પર આવશે કારણ કે આ વખતે નવરાત્રી મંગળવારના દિવસથી શરૂ થઈ રહી છે..!


જો નવરાત્રીનો આ દિવસથી થાય પ્રારંભ તો.....  

આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. નવરાત્રીને લઈ મંદિરોમાં વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. નવલા નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરાય છે. નવરાત્રી દરમિયાન માતા સરસ્વતી, માતા લક્ષ્મી તેમજ માતા પાર્વતીની પૂજા કરવાનો મહિમા રહેલો હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે માતાજીનું વાહન સિંહ છે પરંતુ નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસે માતાજી અલગ અલગ વાહન પર બિરાજમાન થઈ ભૂલોક પર આવે છે.. મળતી માહિતી અનુસાર જો નવરાત્રી રવિવાર અથવા તો સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈને આવે છે... 


આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થવાનો છે પ્રારંભ 

જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થાય છે તો માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવે છે. જો બુધવારના દિવસથી નવરાત્રીનો આરંભ થાય છે કો માતાજી હોડીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરૂવાર અથવા તો શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતાજી ભૂલોક પર આવે છે...  ત્યારે આ વખતે ચૈત્ર નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે માટે માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવશે..



(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે) 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.