Dharm : આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ, આ વખતે કયા વાહન પર સવાર થઈ મા જગદંબા પધારશે ધરતી લોક?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 12:27:10

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે જેમાં બે નવરાત્રી પ્રચલિત છે અને બે નવરાત્રીને ગુપ્ત નવરાત્રી માનવામાં આવે છે. આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય છે તે પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોક પર આવે છે... ત્યારે આ વખતે માતાજી ઘોડા પર સવાર થઈ ભૂલોક પર આવશે કારણ કે આ વખતે નવરાત્રી મંગળવારના દિવસથી શરૂ થઈ રહી છે..!


જો નવરાત્રીનો આ દિવસથી થાય પ્રારંભ તો.....  

આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. નવરાત્રીને લઈ મંદિરોમાં વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. નવલા નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરાય છે. નવરાત્રી દરમિયાન માતા સરસ્વતી, માતા લક્ષ્મી તેમજ માતા પાર્વતીની પૂજા કરવાનો મહિમા રહેલો હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે માતાજીનું વાહન સિંહ છે પરંતુ નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસે માતાજી અલગ અલગ વાહન પર બિરાજમાન થઈ ભૂલોક પર આવે છે.. મળતી માહિતી અનુસાર જો નવરાત્રી રવિવાર અથવા તો સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈને આવે છે... 


આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થવાનો છે પ્રારંભ 

જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થાય છે તો માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવે છે. જો બુધવારના દિવસથી નવરાત્રીનો આરંભ થાય છે કો માતાજી હોડીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરૂવાર અથવા તો શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતાજી ભૂલોક પર આવે છે...  ત્યારે આ વખતે ચૈત્ર નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે માટે માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવશે..



(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે) 




મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..