Dharm : Maha Shivratri 2024 - મહાશિવરાત્રીના દિવસે કરો પ્રથમ જ્યોતિર્લિંગ Somnathના દર્શન, જાણો શા માટે મહાશિવરાત્રી હોય છે ખાસ?


  • Published By :
  • Published Date : 2024-03-08 12:18:15

 सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।

        उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥

परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।

        सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥

 वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।

        हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥

एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।

        सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥


હિન્દુ ધર્મમાં દરેક ભગવાનની મૂર્તિરૂપે પૂજા થાય છે. શિવજી જ એક માત્ર એવા દેવતા છે એવા ભગવાન છે જેમની પૂજા મૂર્તિ સ્વરૂપે નથી થતી. શિવ લિંગસ્વરૂપે તેમની પૂજા, તેમની આરાધના કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગોના દર્શનનો આપણે ત્યાં વિશેષ મહિમા રહેલો છે. એવું કહેવામાં આવે છે કે જ્યોરિતિર્લિંગના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં તેમજ જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.  

અનેક શિવમંદિરોમાં કરવામાં આવ્યું હોય છે વિશેષ પૂજાનું આયોજન

દરેક મહિનામાં શિવરાત્રી તો આવતી હોય છે પરંતુ મહાશિવરાત્રીનો મહિમા વિશેષ છે. માન્યતા અનુસાર ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ આ દિવસે થયા હતા. શિવ અને શક્તિનું મિલન આ દિવસે થયું હતું. એવું કહેવામાં આવે છે કે શક્તિ વગર શિવ પણ શવ સમાન છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર ભગવાનનો વરઘોડો પણ કાઢવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. 

Image

મહા શિવરાત્રી ઉજવવા પાછળ અલગ અલગ છે માન્યતા! 

બીજી માન્યતા એવી પણ છે કે ભગવાન શંકરે ઝેર પીધું હતું. દેવ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને પી વિશ્વની રક્ષા કરી હતી. આ દિવસે અંધકાર અને અજ્ઞાનને દૂર કરવા અને ચેતનાની નવી ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શંકરની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેવું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવામાં આવે તો ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને આશિર્વાદ આપે છે. શિવમંદિરોમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.  મહાશિવરાત્રી ઉજવવા પાછળ કારણ ગમે તે હોય જો આપણે ભગવાન આગળ શ્રદ્ધાથી, ભાવથી શીશ ઝુકાવીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે!



(અહીંયા અપાયેલી માહિતી ધાર્મિક ગ્રંથોના આધાર પર આધારીત છે)     




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી