Dharm : Maha Shivratri 2024 - મહાશિવરાત્રીના દિવસે કરો પ્રથમ જ્યોતિર્લિંગ Somnathના દર્શન, જાણો શા માટે મહાશિવરાત્રી હોય છે ખાસ?


  • Published By :
  • Published Date : 2024-03-08 12:18:15

 सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।

        उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥

परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।

        सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥

 वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।

        हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥

एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।

        सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥


હિન્દુ ધર્મમાં દરેક ભગવાનની મૂર્તિરૂપે પૂજા થાય છે. શિવજી જ એક માત્ર એવા દેવતા છે એવા ભગવાન છે જેમની પૂજા મૂર્તિ સ્વરૂપે નથી થતી. શિવ લિંગસ્વરૂપે તેમની પૂજા, તેમની આરાધના કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગોના દર્શનનો આપણે ત્યાં વિશેષ મહિમા રહેલો છે. એવું કહેવામાં આવે છે કે જ્યોરિતિર્લિંગના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં તેમજ જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.  

અનેક શિવમંદિરોમાં કરવામાં આવ્યું હોય છે વિશેષ પૂજાનું આયોજન

દરેક મહિનામાં શિવરાત્રી તો આવતી હોય છે પરંતુ મહાશિવરાત્રીનો મહિમા વિશેષ છે. માન્યતા અનુસાર ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ આ દિવસે થયા હતા. શિવ અને શક્તિનું મિલન આ દિવસે થયું હતું. એવું કહેવામાં આવે છે કે શક્તિ વગર શિવ પણ શવ સમાન છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર ભગવાનનો વરઘોડો પણ કાઢવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. 

Image

મહા શિવરાત્રી ઉજવવા પાછળ અલગ અલગ છે માન્યતા! 

બીજી માન્યતા એવી પણ છે કે ભગવાન શંકરે ઝેર પીધું હતું. દેવ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને પી વિશ્વની રક્ષા કરી હતી. આ દિવસે અંધકાર અને અજ્ઞાનને દૂર કરવા અને ચેતનાની નવી ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શંકરની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેવું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવામાં આવે તો ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને આશિર્વાદ આપે છે. શિવમંદિરોમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.  મહાશિવરાત્રી ઉજવવા પાછળ કારણ ગમે તે હોય જો આપણે ભગવાન આગળ શ્રદ્ધાથી, ભાવથી શીશ ઝુકાવીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે!



(અહીંયા અપાયેલી માહિતી ધાર્મિક ગ્રંથોના આધાર પર આધારીત છે)     




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.