Dharm : નવરાત્રીના સાતમા દિવસે થાય છે માતા કાલરાત્રિની આરાધના, જાણો કયા મંત્રથી અને કયું નૈવેદ્ય અર્પણ કરવાથી મળે છે માતાજીના આશીર્વાદ?


  • Published By :
  • Published Date : 2024-04-15 13:13:55

કાલરાત્રિ નવ દુર્ગાનું સાતમુ રૂપ છે.. નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ... નવરાત્રી દરમિયાન નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે... એવું માનવામાં આવે છે કે માતાજીના આ સ્વરૂપની આરાધના કરવાથી ભક્તના તમામ કષ્ટોનો નાશ થાય છે. ભક્તના તમામ કષ્ટો માતાજી દૂર કરે છે. માતાજીના આ સ્વરૂપને રૌદ્ર રૂપ માનવામાં આવે છે. માતાજીનું આ રૂપ ભલે રૌદ્ર છે પરંતુ ભક્તો માટે કલ્યાણકારી છે... 


શા માટે માતાજી કહેવાયા કાલરાત્રિ? 

નવરાત્રીના દિવસો દરમિયાન નવ દુર્ગાની આરાધના થાય છે. નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતાની આરાધના કરવામાં આવે છે. માતાજીના આ રૂપને રૌદ્ર રૂપ માનવામાં આવે છે. માતાજીના ઉત્પત્તિની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા માટે આ રૂપ ધારણ કર્યું હતું, દૈત્ય શુંભ, નિશુંભ તેમજ રક્તબીજનો વધ કરવા માટે માતાજીએ આ રૂપ લીધું હતું. રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાને કારણે તેઓ કાલરાત્રિ તરીકે ઓખળવાય છે. 



કયા મંત્રથી કરવો જોઈએ માતાજીનો જાપ? 

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા ગદર્ભ એટલે ગધેડાની સવારી કરે છે. તેઓ ત્રિનેત્રધારી છે, માતાજીને ચારભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ખડગ, બીજા હાથમાં માતાજીએ લોખંડનું શસ્ત્ર ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ અભય મુદ્રા ધારણ કરી છે જ્યારે ચોથા હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે. પ્રત્યેક દેવીને સમર્પિત મંત્ર હોય છે. જો એ મંત્રનો જાપ કરવામાં આવે તો માતાજી જલ્દી પ્રસન્ન થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.. કાલરાત્રિ માતાના મંત્ર આ પ્રમાણે છે - 


एकवेणी जपाकर्णपूरा नग्रा खरास्थिता, 

लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, 

वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयड्करी||



સાતમાં દિવસે આ નૈવેદ્ય કરવો જોઈએ અર્પણ

જો આ મંત્રનું ઉચ્ચારણ શક્ય ના હોય તો માતાના બીજમંત્રનો જાપ કરવો જોઈએ... ઓમ્ એં હ્રીં ક્લીં કાલરાત્રૈ નમ:. નવરાત્રી દરમિયાન માતાજી સમક્ષ દિવસ પ્રમાણે પ્રસાદ, નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. અલગ અલગ પ્રસાદ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના સાતમા નોરતે ગોળનો પ્રસાદ માતાજીને અર્પણ કરવો જોઈએ...


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે) 




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .