Dharm - નવરાત્રીના છઠ્ઠા નોરતે થાય છે માતા કાત્યાયનીની પૂજા, આ મંત્રનો જપ કરવાથી માતાજી થાય છે પ્રસન્ન!


  • Published By :
  • Published Date : 2024-10-08 13:16:29

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે... નવરાત્રીના છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.. માતા કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠુ રૂપ છે... ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા કાત્યાયનીની સૌથી પહેલી વખત ઉપાસના મહર્ષિ કાત્યાયને કરી હતી.. મહિષાસુર રાક્ષસને મારવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિઓ ભેગી કરી એક શક્તિ બનાવી... દેવતાઓની શક્તિમાંથી દુર્ગા દેવી પ્રગટ થયા.. તે સમયે  ઋષિ કાત્યાયને તેમની સૌથી પહેલા ઉપાસના કરી હોવાને કારણે તેમને કાત્યાયનીના નામથી ઓળખવામાં આવે છે.... દેવી દુર્ગાનું એક નામ કાત્યાયની પણ છે... 

Mata Katyayani is worshiped on the sixth day of Navratri, know what fruits  are obtained by worshiping her


માતાજી કેમ ઓળખાયા કાત્યાયનીના નામથી?

તે સિવાય બીજા એક ઉલ્લેખ પ્રમાણે કાત્યાયન ઋષિ દેવી દુર્ગાને પુત્રી તરીકે રાખવા ઈચ્છતા હતા.. આ ઈચ્છા પૂરી કરવા ઋષિએ ઘોર તપ કર્યું અને દેવી પ્રસન્ન થયા.. દેવીએ તેમને ઈચ્છીત વરદાન આપ્યું અને થોડા સમય બાદ દેવીએ કાત્યાયન ઋષિને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો.. કાત્યાયનની પુત્રી હોવાને કારણે તેઓ કાત્યાયની માતા તરીકે ઓળખાયા... એવો પણ ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં મળે છે કે શરીરમાં રહેલા 7 ચક્રોમાંથી દેવી કાત્યાયની આજ્ઞા ચક્રમાં રહે છે.. તેમની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર એક્ટિવ થાય છે...


કેવું છે માતાજીનું સ્વરૂપ?

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ તેજસ્વી છે.. દેવીને ચાર હાથ છે.. ઉપરના જમણા હાથમાં માતાજી અભયમુદ્રામાં છે... નીચેના જમણા હાથમાં વરદમુદ્રા છે..તે ઉપરાંત નીચેના ડાબા હાથમાં માતાજીએ તલવાર અને ઉપરના હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે... માતાજી સિંહ પર સવાર છે... માતાજીને પ્રસન્ન કરવાનો આ રહ્યો મંત્ર 


चंद्रहासोज्ज्वल करा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् द्देवी दानवघातिनी॥ 


દેવી કાત્યાયની જેમણે ચંદ્રહાસ તલવાર અને અનેક આયુધો ચાર હાથોમાં ધારણ કર્યા છે, સિંહ ઉપર સવારી કરનાર, રાક્ષસોનો વધ કરનાર, મારા પર કૃપા વરસાવો. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.