Dharm - નવરાત્રીના છઠ્ઠા નોરતે થાય છે માતા કાત્યાયનીની પૂજા, આ મંત્રનો જપ કરવાથી માતાજી થાય છે પ્રસન્ન!


  • Published By :
  • Published Date : 2024-10-08 13:16:29

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે... નવરાત્રીના છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.. માતા કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠુ રૂપ છે... ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા કાત્યાયનીની સૌથી પહેલી વખત ઉપાસના મહર્ષિ કાત્યાયને કરી હતી.. મહિષાસુર રાક્ષસને મારવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિઓ ભેગી કરી એક શક્તિ બનાવી... દેવતાઓની શક્તિમાંથી દુર્ગા દેવી પ્રગટ થયા.. તે સમયે  ઋષિ કાત્યાયને તેમની સૌથી પહેલા ઉપાસના કરી હોવાને કારણે તેમને કાત્યાયનીના નામથી ઓળખવામાં આવે છે.... દેવી દુર્ગાનું એક નામ કાત્યાયની પણ છે... 

Mata Katyayani is worshiped on the sixth day of Navratri, know what fruits  are obtained by worshiping her


માતાજી કેમ ઓળખાયા કાત્યાયનીના નામથી?

તે સિવાય બીજા એક ઉલ્લેખ પ્રમાણે કાત્યાયન ઋષિ દેવી દુર્ગાને પુત્રી તરીકે રાખવા ઈચ્છતા હતા.. આ ઈચ્છા પૂરી કરવા ઋષિએ ઘોર તપ કર્યું અને દેવી પ્રસન્ન થયા.. દેવીએ તેમને ઈચ્છીત વરદાન આપ્યું અને થોડા સમય બાદ દેવીએ કાત્યાયન ઋષિને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો.. કાત્યાયનની પુત્રી હોવાને કારણે તેઓ કાત્યાયની માતા તરીકે ઓળખાયા... એવો પણ ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં મળે છે કે શરીરમાં રહેલા 7 ચક્રોમાંથી દેવી કાત્યાયની આજ્ઞા ચક્રમાં રહે છે.. તેમની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર એક્ટિવ થાય છે...


કેવું છે માતાજીનું સ્વરૂપ?

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ તેજસ્વી છે.. દેવીને ચાર હાથ છે.. ઉપરના જમણા હાથમાં માતાજી અભયમુદ્રામાં છે... નીચેના જમણા હાથમાં વરદમુદ્રા છે..તે ઉપરાંત નીચેના ડાબા હાથમાં માતાજીએ તલવાર અને ઉપરના હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે... માતાજી સિંહ પર સવાર છે... માતાજીને પ્રસન્ન કરવાનો આ રહ્યો મંત્ર 


चंद्रहासोज्ज्वल करा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् द्देवी दानवघातिनी॥ 


દેવી કાત્યાયની જેમણે ચંદ્રહાસ તલવાર અને અનેક આયુધો ચાર હાથોમાં ધારણ કર્યા છે, સિંહ ઉપર સવારી કરનાર, રાક્ષસોનો વધ કરનાર, મારા પર કૃપા વરસાવો. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.