Dharm - નવરાત્રીના પાંચમા દિવસે થાય છે માતા સ્કંદમાતાની આરાધના, જાણો કયા મંત્રનો જાપ કરવાથી માતા થાય છે પ્રસન્ન?


  • Published By :
  • Published Date : 2024-10-07 13:37:46

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાના નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની તો બીજા નોરતે માતા બ્રદ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની તો ચોથા નોરતે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવી. આજે આસો નવરાત્રીનો પાંચમો દિવસ છે પાંચમા નોરતે નવદુર્ગાના પાંચમા સ્વરૂપ એવા સ્કંદમાતાની પૂજા કરવામા આવે છે. સ્કંદ એટલે ભગવાન કાર્તિકેય.. સ્કંદ ભગવાનના માતા હોવાને કારણે તેઓ સ્કંદ માતા તરીકે ઓળખાય છે... 

Goddess Skandamata will rain immense blessings on the fifth day, the desire  will be fulfilled with a simple remedy! | ચૈત્રી નોરતા: પાંચમા નોરતે અપાર  વાત્સલ્ય વરસાવશે દેવી સ્કંદમાતા અને ...



પાંચમાં નોરતે થાય છે  સ્કંદમાતાની પૂજા   

હિંદુ ધર્મ ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીના દરેક સ્વરૂપને સ્ત્રીના જીવનના અલગ અલગ તબક્કાને દર્શાવે છે.. નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી આ રૂપ ધારણ કરી ભક્તો રૂપી સંતાનનું રક્ષણ કરે છે. એવી માન્યતા છે કે જ્યારે દેવરાજ ઈન્દ્રએ ભગવાન કાર્તિકેયને હેરાન કર્યા ત્યારે માતાજીએ સિંહ પર સવારી કરી ભગવાન કાર્તિકેયને પોતાના ખોળામાં લીધા હતા.જેને કારણે ભગવાન ઈન્દ્ર ડરી ગયા અને માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા. 


બીજી એક કથા અનુસાર જ્યારે રાક્ષસ તારકાસુરનો અત્યાચાર ચરમસીમાએ પહોંચ્યો ત્યારે તેનો વધ કરવા માટે ભગવાન કાર્તિકેયને યુદ્ધની તાલીમ માતા પાર્વતીએ આપી હતી. અને તે બાદ કાર્તિક ભગવાને તારકાસુરનો વધ કર્યો હતો. રાક્ષસોનો સંહાર કરવા માટે કાર્તિકેય ભગવાનનો જન્મ થયો હતો તેવો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળી આવે છે... 




કેવું છે માતાજીનું સ્વરૂપ? 

એવું માનવામાં આવે છે કે સ્કંદમાતાની ઉપાસના કરવાથી ભક્તને સંતાન પ્રાપ્તિ થાય છે. માતાજીના સ્વરૂપની વાત કરીએ તો સ્કંદમાતા સિંહ પર સવારી કરે છે. પોતાની બંને ભૂજાઓમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે અને એક હાથથી માતાજી સ્કંદ ભગવાનનું રક્ષણ કરી રહ્યા છે અને બીજા હાથે ભક્તને આશીર્વાદ આપી રહ્યા છે. દરેક દેવીને સમર્પિત મંત્ર હોય છે. સ્કંદમાતાના મંત્રની વાત કરીએ તો આ મંત્રથી તેમની પૂજા કરવી જોઈએ - 



सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया|

शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी||




અર્થાત સિંહ પર સવારી કરનાર અને પોતાના હાથમાં પદ્મને ધારણ કરનાર સ્કંદમાતા અમારૂં કલ્યાણ કરો અને અમને યશ આપો.. જે ભક્ત આસ્થાથી માતાજીની પૂજા કરે છે તેની પર માતાજીની અસીમ કૃપા રહેતી હોય છે. એવું માનવામાં આવે છે કે માતાજીના સ્વરૂપની પૂજા કરતા પહેલા સ્કંદભગવાનની પૂજા કરવી જોઈએ.. પાંચમા નોરતા નૈવેદ્ય તરીકે કેળા અર્પણ કરવા જોઈએ. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.