Gujaratના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજની ધર્મરથયાત્રા તો બીજી તરફ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-24 13:21:49

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. લોકસભા ચૂંટણીને લઈ એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચારમાં લાગ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવામાં લાગ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર આ વિવાદને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે... 


અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના લોકો કાઢશે ધર્મરથયાત્રા 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં અનેક વખત ક્ષત્રિત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ રાજ્યના અલગ અલગ ભાગોમાંથી નિકાળવામાં આવી રહ્યા છે. ધર્મરથયાત્રાની સાથે સાથે ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા હાય હાય સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ઉપરાંત ભાજપના વિરોધમાં પણ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


હર્ષ સંઘવી કરી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન

એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે તો બીજી તરફ સરકાર દ્વારા આ વિરોધને શાંત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આ વિવાદને ડામવા માટે શાંત કરવા માટે હર્ષ સંઘવીએ અને રત્નાકર પ્રયાસોમાં લાગી ગયા છે. અલગ અલગ જગ્યાઓ પર તેઓ બેઠકો કરી રહ્યા છે અને આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે...  



બંધબારણે વિવાદને શાંત કરવા કરાઈ રહી છે કોશિશ

માત્ર થોડા દિવસોની અંદર આ બંને નેતાઓએ સાબરકાંઠામાં, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં બેઠકનું આયોજન કર્યું હતું ત્યારે આજે હિંમતનગર ખાતે બંધબારણે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે...હિંમતનગર ખાતે બેઠક પૂર્ણ થયા પછી આણંદમાં બેઠક કરવા માટે હર્ષ સંઘવી નિકળી ગયા છે. થોડા દિવસ પહેલા બંધબારણે મળેલી બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓને સમાજની વચ્ચે રહેવાની અપીલ કરી છે.. ભાજપને વોટ આપવામાં આવે તે માટે સમજાવટ કરવા માટે અપીલ કરી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ શાંત નથી થયો નથી ત્યારે તો ભાજપના અનેક નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધા...



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.