Gujaratના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજની ધર્મરથયાત્રા તો બીજી તરફ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક....


  • Published By :
  • Published Date : 2024-04-24 13:21:49

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. લોકસભા ચૂંટણીને લઈ એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચારમાં લાગ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવામાં લાગ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર આ વિવાદને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે... 


અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના લોકો કાઢશે ધર્મરથયાત્રા 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં અનેક વખત ક્ષત્રિત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ રાજ્યના અલગ અલગ ભાગોમાંથી નિકાળવામાં આવી રહ્યા છે. ધર્મરથયાત્રાની સાથે સાથે ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા હાય હાય સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ઉપરાંત ભાજપના વિરોધમાં પણ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


હર્ષ સંઘવી કરી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન

એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે તો બીજી તરફ સરકાર દ્વારા આ વિરોધને શાંત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આ વિવાદને ડામવા માટે શાંત કરવા માટે હર્ષ સંઘવીએ અને રત્નાકર પ્રયાસોમાં લાગી ગયા છે. અલગ અલગ જગ્યાઓ પર તેઓ બેઠકો કરી રહ્યા છે અને આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે...  



બંધબારણે વિવાદને શાંત કરવા કરાઈ રહી છે કોશિશ

માત્ર થોડા દિવસોની અંદર આ બંને નેતાઓએ સાબરકાંઠામાં, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં બેઠકનું આયોજન કર્યું હતું ત્યારે આજે હિંમતનગર ખાતે બંધબારણે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે...હિંમતનગર ખાતે બેઠક પૂર્ણ થયા પછી આણંદમાં બેઠક કરવા માટે હર્ષ સંઘવી નિકળી ગયા છે. થોડા દિવસ પહેલા બંધબારણે મળેલી બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓને સમાજની વચ્ચે રહેવાની અપીલ કરી છે.. ભાજપને વોટ આપવામાં આવે તે માટે સમજાવટ કરવા માટે અપીલ કરી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ શાંત નથી થયો નથી ત્યારે તો ભાજપના અનેક નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધા...



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.