Gujaratના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજની ધર્મરથયાત્રા તો બીજી તરફ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક....


  • Published By :
  • Published Date : 2024-04-24 13:21:49

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. લોકસભા ચૂંટણીને લઈ એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચારમાં લાગ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવામાં લાગ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર આ વિવાદને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે... 


અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના લોકો કાઢશે ધર્મરથયાત્રા 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં અનેક વખત ક્ષત્રિત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ રાજ્યના અલગ અલગ ભાગોમાંથી નિકાળવામાં આવી રહ્યા છે. ધર્મરથયાત્રાની સાથે સાથે ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા હાય હાય સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ઉપરાંત ભાજપના વિરોધમાં પણ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


હર્ષ સંઘવી કરી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન

એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે તો બીજી તરફ સરકાર દ્વારા આ વિરોધને શાંત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આ વિવાદને ડામવા માટે શાંત કરવા માટે હર્ષ સંઘવીએ અને રત્નાકર પ્રયાસોમાં લાગી ગયા છે. અલગ અલગ જગ્યાઓ પર તેઓ બેઠકો કરી રહ્યા છે અને આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે...  



બંધબારણે વિવાદને શાંત કરવા કરાઈ રહી છે કોશિશ

માત્ર થોડા દિવસોની અંદર આ બંને નેતાઓએ સાબરકાંઠામાં, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં બેઠકનું આયોજન કર્યું હતું ત્યારે આજે હિંમતનગર ખાતે બંધબારણે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે...હિંમતનગર ખાતે બેઠક પૂર્ણ થયા પછી આણંદમાં બેઠક કરવા માટે હર્ષ સંઘવી નિકળી ગયા છે. થોડા દિવસ પહેલા બંધબારણે મળેલી બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓને સમાજની વચ્ચે રહેવાની અપીલ કરી છે.. ભાજપને વોટ આપવામાં આવે તે માટે સમજાવટ કરવા માટે અપીલ કરી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ શાંત નથી થયો નથી ત્યારે તો ભાજપના અનેક નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધા...



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે