Gujaratના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજની ધર્મરથયાત્રા તો બીજી તરફ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક....


  • Published By :
  • Published Date : 2024-04-24 13:21:49

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. લોકસભા ચૂંટણીને લઈ એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચારમાં લાગ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવામાં લાગ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર આ વિવાદને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે... 


અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના લોકો કાઢશે ધર્મરથયાત્રા 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં અનેક વખત ક્ષત્રિત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ રાજ્યના અલગ અલગ ભાગોમાંથી નિકાળવામાં આવી રહ્યા છે. ધર્મરથયાત્રાની સાથે સાથે ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા હાય હાય સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ઉપરાંત ભાજપના વિરોધમાં પણ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


હર્ષ સંઘવી કરી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન

એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે તો બીજી તરફ સરકાર દ્વારા આ વિરોધને શાંત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આ વિવાદને ડામવા માટે શાંત કરવા માટે હર્ષ સંઘવીએ અને રત્નાકર પ્રયાસોમાં લાગી ગયા છે. અલગ અલગ જગ્યાઓ પર તેઓ બેઠકો કરી રહ્યા છે અને આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે...  



બંધબારણે વિવાદને શાંત કરવા કરાઈ રહી છે કોશિશ

માત્ર થોડા દિવસોની અંદર આ બંને નેતાઓએ સાબરકાંઠામાં, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં બેઠકનું આયોજન કર્યું હતું ત્યારે આજે હિંમતનગર ખાતે બંધબારણે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે...હિંમતનગર ખાતે બેઠક પૂર્ણ થયા પછી આણંદમાં બેઠક કરવા માટે હર્ષ સંઘવી નિકળી ગયા છે. થોડા દિવસ પહેલા બંધબારણે મળેલી બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓને સમાજની વચ્ચે રહેવાની અપીલ કરી છે.. ભાજપને વોટ આપવામાં આવે તે માટે સમજાવટ કરવા માટે અપીલ કરી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ શાંત નથી થયો નથી ત્યારે તો ભાજપના અનેક નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધા...



સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે