આદિપુરૂષ ફિલ્મને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપી પ્રતિક્રિયા, ફિલ્મના ડાયલોગ તેમજ હનુમાનજી વિશે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:30:47

થોડા દિવસોથી ફિલ્મ આદિપુરૂષને લઈ છેડાયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક વિવાદો ફિલ્મ સાથે જોડાઈ રહ્યા છે. પહેલા વીએફએક્સને લઈ વિવાદ છેડાયો હતો, તે બાદ ક્રિતી સેનનને લઈ વિવાદ છેડાયો હતો. આ તો વાત થઈ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાની વાત. રિલીઝ બાદ વિવાદો વધતા ગયા. હનુમાનજીના ડાયલોગને કારણે દર્શકોમાં નારાજગી જોવા મળી હતી. ફિલ્મને લઈ થોડા સમય પહેલા મોરારી બાપુએ પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

 


હનુમાનજીના ડાયલોગ વિશે કહી આ વાત

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે થોડા દિવસ પહેલા એક એવી ફિલ્મ આવી, જેમાં હનુમાનજીને એવા બતાવ્યા છે કે વીર બજરંગી જ બચાવે. મેં તો ફિલ્મ પૂરી જોઈ નથી, હું તેમાં પડતો નથી, પરંતુ કોઈએ મને બતાવી. મને જોઈને ખૂબ હસવું આવ્યું. ડોયલોગ અંગે પણ તેમણે કહ્યું હતું કે હનુમાનજી ક્યાક હશે તો જેમણે ડાયલોગ લખ્યા છે તેઓ ફસાઈ જાય તો જય જય સીતારામ. તેમણે લખ્યું કે હનુમાનજી બોલે છે તેલ તેરે બાપ કા.... હનુમાનજી બોલવામાં થોડા કટૂ હતા, પરંતુ આટલા બધા પણ નહી. તે ખૂબ જ્ઞાની, બુદ્ધિશાળી છે, સૌમ્ય છે. તર્ક દેવામાં ખૂબ સારા છે, પણ આવા તર્ક પ્રસ્તુત ન કરો કે તર્ક જ ખરાબ થઈ જાય.     


વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો - મોરારી બાપુ 

તે પહેલા આદિપૂરુષ ફિલ્મ પર પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ પણ પ્રતિક્રિયા આપી હતી. મોરારી બાપુએ કહ્યું કે "આ વ્યાસપીઠપરથી વિનમ્રતાથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. મેં આ ફિલ્મ જોઇ નથી પરંતુ જ્યારે હું વ્યાસપીઠ પર બેઠો છું તો એ વિનય કરું છું કે, જ્યારે કોઇ રામાયણ વિશે કે પાત્ર વિશે ચલચિત્ર કે નાટક બનાવવા જઇ રહ્યાં છો. ત્યારે વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો. વિનમ્રતાથી કહીશ કે કમ સે કમ મોરારીબાપુને પૂછો. આપને કદાચ આ અંહકાર લાગી શકે છે પરંતુ મેં તેના પર 65 વર્ષથી કામ કર્યું છે અને હું આદર આપુ છું દિવંગત રામાનંદ સાગરને જ્યારે રામાયણ સિરિયલ બનાવી હતી ત્યારે બે વ્યક્તિના મત લીધા હતા. એક તો રામકિર્કરજી મહારાજ અને તલગાજરડાના મોરારી બાપુનો. મને છોડી દો, પરંતુ ત્રિભુવનિય ગ્રંથ આપ્યો છે તેવા તુલસીદાસના શાસ્ત્રની મદદ લો. વાલ્મિકિજીની રામાયણનો આધાર લો. તેમણે કહ્યું કે, રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી પરંતુ અચલ ચરિત્રનો ગ્રંથ છે."       




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી