આદિપુરૂષ ફિલ્મને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપી પ્રતિક્રિયા, ફિલ્મના ડાયલોગ તેમજ હનુમાનજી વિશે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:30:47

થોડા દિવસોથી ફિલ્મ આદિપુરૂષને લઈ છેડાયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક વિવાદો ફિલ્મ સાથે જોડાઈ રહ્યા છે. પહેલા વીએફએક્સને લઈ વિવાદ છેડાયો હતો, તે બાદ ક્રિતી સેનનને લઈ વિવાદ છેડાયો હતો. આ તો વાત થઈ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાની વાત. રિલીઝ બાદ વિવાદો વધતા ગયા. હનુમાનજીના ડાયલોગને કારણે દર્શકોમાં નારાજગી જોવા મળી હતી. ફિલ્મને લઈ થોડા સમય પહેલા મોરારી બાપુએ પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

 


હનુમાનજીના ડાયલોગ વિશે કહી આ વાત

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે થોડા દિવસ પહેલા એક એવી ફિલ્મ આવી, જેમાં હનુમાનજીને એવા બતાવ્યા છે કે વીર બજરંગી જ બચાવે. મેં તો ફિલ્મ પૂરી જોઈ નથી, હું તેમાં પડતો નથી, પરંતુ કોઈએ મને બતાવી. મને જોઈને ખૂબ હસવું આવ્યું. ડોયલોગ અંગે પણ તેમણે કહ્યું હતું કે હનુમાનજી ક્યાક હશે તો જેમણે ડાયલોગ લખ્યા છે તેઓ ફસાઈ જાય તો જય જય સીતારામ. તેમણે લખ્યું કે હનુમાનજી બોલે છે તેલ તેરે બાપ કા.... હનુમાનજી બોલવામાં થોડા કટૂ હતા, પરંતુ આટલા બધા પણ નહી. તે ખૂબ જ્ઞાની, બુદ્ધિશાળી છે, સૌમ્ય છે. તર્ક દેવામાં ખૂબ સારા છે, પણ આવા તર્ક પ્રસ્તુત ન કરો કે તર્ક જ ખરાબ થઈ જાય.     


વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો - મોરારી બાપુ 

તે પહેલા આદિપૂરુષ ફિલ્મ પર પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ પણ પ્રતિક્રિયા આપી હતી. મોરારી બાપુએ કહ્યું કે "આ વ્યાસપીઠપરથી વિનમ્રતાથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. મેં આ ફિલ્મ જોઇ નથી પરંતુ જ્યારે હું વ્યાસપીઠ પર બેઠો છું તો એ વિનય કરું છું કે, જ્યારે કોઇ રામાયણ વિશે કે પાત્ર વિશે ચલચિત્ર કે નાટક બનાવવા જઇ રહ્યાં છો. ત્યારે વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો. વિનમ્રતાથી કહીશ કે કમ સે કમ મોરારીબાપુને પૂછો. આપને કદાચ આ અંહકાર લાગી શકે છે પરંતુ મેં તેના પર 65 વર્ષથી કામ કર્યું છે અને હું આદર આપુ છું દિવંગત રામાનંદ સાગરને જ્યારે રામાયણ સિરિયલ બનાવી હતી ત્યારે બે વ્યક્તિના મત લીધા હતા. એક તો રામકિર્કરજી મહારાજ અને તલગાજરડાના મોરારી બાપુનો. મને છોડી દો, પરંતુ ત્રિભુવનિય ગ્રંથ આપ્યો છે તેવા તુલસીદાસના શાસ્ત્રની મદદ લો. વાલ્મિકિજીની રામાયણનો આધાર લો. તેમણે કહ્યું કે, રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી પરંતુ અચલ ચરિત્રનો ગ્રંથ છે."       




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.