Loksabha Election પહેલા Dhoni કરશે રાજકારણમાં એન્ટ્રી! BJP નેતાઓ સાથેની તસવીર સામે આવી


  • Published By :
  • Published Date : 2023-12-01 15:57:32

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો ઘણા છે. એવા પણ લોકો હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ, ધોનીની આ વખતની તસવીરો ઘણી રીતે ખાસ અને અલગ છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહની ભાજપના નેતાઓ સાથેની મુલાકાતની આ તસવીરો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને કારણે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે. 

महेंद्र सिंह धोनी ने बीजेपी नेताओं सीपी सिंह (दाहिनी ओर), राज्यसभा सांसद दीपक प्रकाश से (बाएं) मुलाकात की.

ધોનીએ ભાજપના નેતાઓ સાથે પડાવ્યો ફોટો અને થવા લાગી ચર્ચા 

સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે ધોની રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે તેવી વાત બજારમાં થવા લાગી છે. ફોટા અંગે મળતી માહિતી અનુસાર, પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ દીપક પ્રકાશ, રાંચીના ધારાસભ્ય સીપી સિંહ અને કાંકેના ધારાસભ્ય સમરી લાલ રાંચી એરપોર્ટ પર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યા હતા. જો કે આ બેઠક માત્ર સંયોગ હોવાનું કહેવાઈ રહ્યું છે. 


ધોની કરશે રાજકારણમાં એન્ટ્રી?

મળતી માહિતી અનુસાર એ ફોટો તે સમયનો જે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ રાંચી આવવાના હતા. અમિત શાહના આગમન સમયે ભાજપના નેતાઓ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે હાજર હતા. એ જ સમયે મહેન્દ્ર સિંહ ધોની પણ એરપોર્ટ પર હાજર હતા. આ ક્રમમાં તેમણે ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધોનીની ભાજપ નેતા સાથેની મુલાકાતના લોકો અનેક અર્થ કાઢી રહ્યા છે. લોકો કહે છે કે શું ધોની રાજકારણમાં આવશે? જો કે આ તસવીર સામે આવ્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ છે. ત્યારે તમે શું કહેશો આ ફોટા વિશે તે અમને કમેન્ટમાં જણાવો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે