Loksabha Election પહેલા Dhoni કરશે રાજકારણમાં એન્ટ્રી! BJP નેતાઓ સાથેની તસવીર સામે આવી


  • Published By :
  • Published Date : 2023-12-01 15:57:32

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો ઘણા છે. એવા પણ લોકો હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ, ધોનીની આ વખતની તસવીરો ઘણી રીતે ખાસ અને અલગ છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહની ભાજપના નેતાઓ સાથેની મુલાકાતની આ તસવીરો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને કારણે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે. 

महेंद्र सिंह धोनी ने बीजेपी नेताओं सीपी सिंह (दाहिनी ओर), राज्यसभा सांसद दीपक प्रकाश से (बाएं) मुलाकात की.

ધોનીએ ભાજપના નેતાઓ સાથે પડાવ્યો ફોટો અને થવા લાગી ચર્ચા 

સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે ધોની રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે તેવી વાત બજારમાં થવા લાગી છે. ફોટા અંગે મળતી માહિતી અનુસાર, પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ દીપક પ્રકાશ, રાંચીના ધારાસભ્ય સીપી સિંહ અને કાંકેના ધારાસભ્ય સમરી લાલ રાંચી એરપોર્ટ પર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યા હતા. જો કે આ બેઠક માત્ર સંયોગ હોવાનું કહેવાઈ રહ્યું છે. 


ધોની કરશે રાજકારણમાં એન્ટ્રી?

મળતી માહિતી અનુસાર એ ફોટો તે સમયનો જે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ રાંચી આવવાના હતા. અમિત શાહના આગમન સમયે ભાજપના નેતાઓ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે હાજર હતા. એ જ સમયે મહેન્દ્ર સિંહ ધોની પણ એરપોર્ટ પર હાજર હતા. આ ક્રમમાં તેમણે ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધોનીની ભાજપ નેતા સાથેની મુલાકાતના લોકો અનેક અર્થ કાઢી રહ્યા છે. લોકો કહે છે કે શું ધોની રાજકારણમાં આવશે? જો કે આ તસવીર સામે આવ્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ છે. ત્યારે તમે શું કહેશો આ ફોટા વિશે તે અમને કમેન્ટમાં જણાવો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.