Loksabha Election પહેલા Dhoni કરશે રાજકારણમાં એન્ટ્રી! BJP નેતાઓ સાથેની તસવીર સામે આવી


  • Published By :
  • Published Date : 2023-12-01 15:57:32

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો ઘણા છે. એવા પણ લોકો હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ, ધોનીની આ વખતની તસવીરો ઘણી રીતે ખાસ અને અલગ છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહની ભાજપના નેતાઓ સાથેની મુલાકાતની આ તસવીરો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને કારણે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે. 

महेंद्र सिंह धोनी ने बीजेपी नेताओं सीपी सिंह (दाहिनी ओर), राज्यसभा सांसद दीपक प्रकाश से (बाएं) मुलाकात की.

ધોનીએ ભાજપના નેતાઓ સાથે પડાવ્યો ફોટો અને થવા લાગી ચર્ચા 

સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે ધોની રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે તેવી વાત બજારમાં થવા લાગી છે. ફોટા અંગે મળતી માહિતી અનુસાર, પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ દીપક પ્રકાશ, રાંચીના ધારાસભ્ય સીપી સિંહ અને કાંકેના ધારાસભ્ય સમરી લાલ રાંચી એરપોર્ટ પર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યા હતા. જો કે આ બેઠક માત્ર સંયોગ હોવાનું કહેવાઈ રહ્યું છે. 


ધોની કરશે રાજકારણમાં એન્ટ્રી?

મળતી માહિતી અનુસાર એ ફોટો તે સમયનો જે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ રાંચી આવવાના હતા. અમિત શાહના આગમન સમયે ભાજપના નેતાઓ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે હાજર હતા. એ જ સમયે મહેન્દ્ર સિંહ ધોની પણ એરપોર્ટ પર હાજર હતા. આ ક્રમમાં તેમણે ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધોનીની ભાજપ નેતા સાથેની મુલાકાતના લોકો અનેક અર્થ કાઢી રહ્યા છે. લોકો કહે છે કે શું ધોની રાજકારણમાં આવશે? જો કે આ તસવીર સામે આવ્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ છે. ત્યારે તમે શું કહેશો આ ફોટા વિશે તે અમને કમેન્ટમાં જણાવો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.