Loksabha Election પહેલા Dhoni કરશે રાજકારણમાં એન્ટ્રી! BJP નેતાઓ સાથેની તસવીર સામે આવી


  • Published By :
  • Published Date : 2023-12-01 15:57:32

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો ઘણા છે. એવા પણ લોકો હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ, ધોનીની આ વખતની તસવીરો ઘણી રીતે ખાસ અને અલગ છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહની ભાજપના નેતાઓ સાથેની મુલાકાતની આ તસવીરો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને કારણે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે. 

महेंद्र सिंह धोनी ने बीजेपी नेताओं सीपी सिंह (दाहिनी ओर), राज्यसभा सांसद दीपक प्रकाश से (बाएं) मुलाकात की.

ધોનીએ ભાજપના નેતાઓ સાથે પડાવ્યો ફોટો અને થવા લાગી ચર્ચા 

સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે ધોની રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે તેવી વાત બજારમાં થવા લાગી છે. ફોટા અંગે મળતી માહિતી અનુસાર, પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ દીપક પ્રકાશ, રાંચીના ધારાસભ્ય સીપી સિંહ અને કાંકેના ધારાસભ્ય સમરી લાલ રાંચી એરપોર્ટ પર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યા હતા. જો કે આ બેઠક માત્ર સંયોગ હોવાનું કહેવાઈ રહ્યું છે. 


ધોની કરશે રાજકારણમાં એન્ટ્રી?

મળતી માહિતી અનુસાર એ ફોટો તે સમયનો જે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ રાંચી આવવાના હતા. અમિત શાહના આગમન સમયે ભાજપના નેતાઓ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે હાજર હતા. એ જ સમયે મહેન્દ્ર સિંહ ધોની પણ એરપોર્ટ પર હાજર હતા. આ ક્રમમાં તેમણે ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધોનીની ભાજપ નેતા સાથેની મુલાકાતના લોકો અનેક અર્થ કાઢી રહ્યા છે. લોકો કહે છે કે શું ધોની રાજકારણમાં આવશે? જો કે આ તસવીર સામે આવ્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ છે. ત્યારે તમે શું કહેશો આ ફોટા વિશે તે અમને કમેન્ટમાં જણાવો. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.