‘ધૂમ’ફેમ સંજય ગઢવીનું નિધન, મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકથી મોત, આજે સાંજે થશે અંતિમ સંસ્કાર


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-19 13:12:28

બોલિવુડના જાણીતા દિગ્દર્શક સંજય ગઢવીનું નિધન થયું છે. તેમણે આજે 19 નવેમ્બર, રવિવારે સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 57 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતી જાણકારી મુજબ, જ્યારે તે સવારે લોખંડવાલા બેકરોડમાં મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે પરસેવાથી તરબતર થઈ ગયા હતા. આ પછી, સંજય ગઢવીને તાકીદે નજીકની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા. સંજય ગઢવીના નિધનથી પરિવાર અને બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.


મૃતદેહ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં રખાયો


સુપરહિટ ફિલ્મ 'ધૂમ'ના દિગ્દર્શક સંજય ગઢવીના નિધનથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેમની આ દુનિયામાંથી વિદાય બોલિવૂડ માટે મોટી ખોટ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજય ગઢવીને મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ જ્યાં ફરવા ગયા હતા ત્યાંથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલનું અંતર માત્ર એકથી દોઢ કિલોમીટર હતું. ડિરેક્ટર સંજય ગઢવીના પાર્થિવ દેહ હાલમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે.


આજે સાંજે  થશે અંતિમ સંસ્કાર


કહેવામાં આવી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર આજે 19 નવેમ્બરની મોડી સાંજ સુધીમાં કરવામાં આવશે. તેમના નિધન બાદ અનેક જાણીતી હસ્તીઓ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહી છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. તેણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તે લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહેતા હતા. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી.


આ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન  


સમાચાર અનુસાર, શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. સંજય ગઢવીએ 'ધૂમ' અને 'ધૂમ 2'નું નિર્દેશન કર્યું હતું. તેમણે 'તેરે લિયે', 'કિડનેપ', 'મેરે યાર કી શાદી હૈ', 'ઓપરેશન પરિંદે' અને 'અજબ ગજબ લવ' જેવી શાનદાર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.