ભારતમાં ડાયાબિટીસની બીમારીએ ચિંતા વધારી, 10 કરોડથી વધુ લોકો આવ્યા ઝપેટમાં, ICMRની રિપોર્ટમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-06-09 21:28:01

ભારતમાં ડાયાબિટીસની બીમારી મહામારીનું સ્વરૂપ લઈ રહી છે. દેશમાં 10 કરોડથી વધુ લોકો આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે. ICMRની સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે. આ સ્ટડીને બ્રિટનના મેડિકલ જર્નલ Lancetમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2019માં 7 કરોડ લોકો ડાયાબિટીસના દર્દીઓ હતાં, પરંતું હવે તે આંકડો 10 કરોડથી વધી ગયો છે. આમ છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં 44 ટકાનો આઘાતજનક વધારો થયો છે. દેશમાં ડાયાબિટીસનો સરેરાશ દર 11.4 ટકા છે.


16 ટકા લોકો પ્રિ-ડાયાબિટીસ સ્ટેજમાં


Lancetમાં પ્રકાશિત આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે ઓછામાં ઓછા 13.6 કરોડ એટલે કે કુલ વસ્તીના આશરે 15.3 ટકા લોકો પ્રિ-ડાયાબિટીસની સ્થિતિમાં છે.પ્રી-ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિમાં સામાન્ય કરતાં બ્લડ સુગર વધારે હોય છે, જોકે ટાઈપ-2 ડાયાબિટીસ કરતાં વધારે હોતુ નથી. જીવનશૈલીમાં ફેરફાર કર્યાં વગર પ્રી-ડાયાબિટીસ ધરાવતા પુખ્તો તથા બાળકોમાં ડાયાબિટીસની બીમારીનું ઊંચુ જોખમ સર્જાયુ છે. તેમાં પણ સૌથી વધારે ડાયાબિટીસનું પ્રમાણ ગોવા (26.4 ટકા), પુડુચેરી (26.3 ટકા) અને કેરલા (25.5 ટકા)માં છે. ગોવા, કેરળ, તમિલનાડુ તથા ચંડીગઢમાં ડાયાબિટીસના કેસની તુલનામાં પ્રી-ડાયાબિટીસના કેસ ઓછા છે. જ્યારે પુડુચેરી અને દિલ્હીમાં કેસની સ્થિતિ લગભગ એક સમાન છે.


પ્રિ-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી


આ સાથે જ આ સ્ટડીમાં આવી પણ માહિતી મળી છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર જેવા ઓછા પ્રસારવાળા રાજ્યોમાં ડાયાબિટીસના કેસમાં વિસ્ફોટ થવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આગામી કેટલાક વર્ષોમાં આ આંકડો અન્ય રાજ્યોમાં પણ વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે રાજ્યોમાં ડાયાબિટીસના દર્દીઓ ઓછા છે ત્યાં પણ પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે, પરંતુ ત્યાં પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ જેવા ડાયાબિટીસના ઓછા દર્દીઓ ધરાવતા રાજ્યોમાં પણ આ રોગના કેસ વધી શકે છે. આ રાજ્યોમાં પ્રિ-ડાયાબિટીસના કેસ પણ વધી રહ્યા છે. પ્રિ-ડાયાબિટીસ એ સ્ટેજ છે જ્યારે આ રોગ પછીથી ડાયાબિટીસ બની શકે છે, પરંતુ જો પ્રિ-ડાયાબિટીસ સ્ટેજમાં આ રોગને કાબૂમાં રાખવામાં આવે તો ડાયાબિટીસને અટકાવી શકાય છે.


1 લાખથી વધુ લોકો પર થયો સ્ટડી


1 લાખથી વધુ લોકો પર એક  સ્ટડી કરવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે દેશમાં ડાયાબિટીસનો વ્યાપ પહેલાની સરખામણીમાં વધ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ખાનપાનની ખોટી આદતોના કારણે ડાયાબિટીસનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. જો લોકો પોતાની જીવનશૈલીમાં સુધારો નહીં કરે તો ટૂંક સમયમાં જ દેશમાં ડાયાબિટીસ ખતરનાક રોગ તરીકે વધતો જશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.