ભારતમાં ડાયાબિટીસની બીમારીએ ચિંતા વધારી, 10 કરોડથી વધુ લોકો આવ્યા ઝપેટમાં, ICMRની રિપોર્ટમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-06-09 21:28:01

ભારતમાં ડાયાબિટીસની બીમારી મહામારીનું સ્વરૂપ લઈ રહી છે. દેશમાં 10 કરોડથી વધુ લોકો આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે. ICMRની સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે. આ સ્ટડીને બ્રિટનના મેડિકલ જર્નલ Lancetમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2019માં 7 કરોડ લોકો ડાયાબિટીસના દર્દીઓ હતાં, પરંતું હવે તે આંકડો 10 કરોડથી વધી ગયો છે. આમ છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં 44 ટકાનો આઘાતજનક વધારો થયો છે. દેશમાં ડાયાબિટીસનો સરેરાશ દર 11.4 ટકા છે.


16 ટકા લોકો પ્રિ-ડાયાબિટીસ સ્ટેજમાં


Lancetમાં પ્રકાશિત આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે ઓછામાં ઓછા 13.6 કરોડ એટલે કે કુલ વસ્તીના આશરે 15.3 ટકા લોકો પ્રિ-ડાયાબિટીસની સ્થિતિમાં છે.પ્રી-ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિમાં સામાન્ય કરતાં બ્લડ સુગર વધારે હોય છે, જોકે ટાઈપ-2 ડાયાબિટીસ કરતાં વધારે હોતુ નથી. જીવનશૈલીમાં ફેરફાર કર્યાં વગર પ્રી-ડાયાબિટીસ ધરાવતા પુખ્તો તથા બાળકોમાં ડાયાબિટીસની બીમારીનું ઊંચુ જોખમ સર્જાયુ છે. તેમાં પણ સૌથી વધારે ડાયાબિટીસનું પ્રમાણ ગોવા (26.4 ટકા), પુડુચેરી (26.3 ટકા) અને કેરલા (25.5 ટકા)માં છે. ગોવા, કેરળ, તમિલનાડુ તથા ચંડીગઢમાં ડાયાબિટીસના કેસની તુલનામાં પ્રી-ડાયાબિટીસના કેસ ઓછા છે. જ્યારે પુડુચેરી અને દિલ્હીમાં કેસની સ્થિતિ લગભગ એક સમાન છે.


પ્રિ-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી


આ સાથે જ આ સ્ટડીમાં આવી પણ માહિતી મળી છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર જેવા ઓછા પ્રસારવાળા રાજ્યોમાં ડાયાબિટીસના કેસમાં વિસ્ફોટ થવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આગામી કેટલાક વર્ષોમાં આ આંકડો અન્ય રાજ્યોમાં પણ વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે રાજ્યોમાં ડાયાબિટીસના દર્દીઓ ઓછા છે ત્યાં પણ પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે, પરંતુ ત્યાં પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ જેવા ડાયાબિટીસના ઓછા દર્દીઓ ધરાવતા રાજ્યોમાં પણ આ રોગના કેસ વધી શકે છે. આ રાજ્યોમાં પ્રિ-ડાયાબિટીસના કેસ પણ વધી રહ્યા છે. પ્રિ-ડાયાબિટીસ એ સ્ટેજ છે જ્યારે આ રોગ પછીથી ડાયાબિટીસ બની શકે છે, પરંતુ જો પ્રિ-ડાયાબિટીસ સ્ટેજમાં આ રોગને કાબૂમાં રાખવામાં આવે તો ડાયાબિટીસને અટકાવી શકાય છે.


1 લાખથી વધુ લોકો પર થયો સ્ટડી


1 લાખથી વધુ લોકો પર એક  સ્ટડી કરવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે દેશમાં ડાયાબિટીસનો વ્યાપ પહેલાની સરખામણીમાં વધ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ખાનપાનની ખોટી આદતોના કારણે ડાયાબિટીસનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. જો લોકો પોતાની જીવનશૈલીમાં સુધારો નહીં કરે તો ટૂંક સમયમાં જ દેશમાં ડાયાબિટીસ ખતરનાક રોગ તરીકે વધતો જશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.