નીરજ ચોપરાએ ડાયમંડ લીગ જીતીને ઈતિહાસ રચ્યો, 88.44 મીટરના જેવલિન થ્રો સાથે ખિતાબ જીત્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 11:28:28

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વધુ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં પણ પોતાનું અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ છે. ઝ્યુરિચમાં આયોજિત ઇવેન્ટમાં, નીરજે 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રખ્યાત ખિતાબ જીત્યો.



ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ


નીરજે ગયા મહિનાના અંતે લોજન ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જ ફાઈનલ ગુરુવાર 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાઈ હતી, જ્યાં નીરજને ખિતાબનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સની ગેરહાજરીને કારણે નીરજની જીત વધુ નિશ્ચિત બની હતી. 


નીરજ માટે આ વર્ષ શુકનિયાળ 


નીરજે આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારબાદ તેણે સતત બે વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. નીરજે પહેલા પાવો નુર્મી ગેમ્સમાં 89.30m સાથે રેકોર્ડ બનાવ્યો હતો અને પછી ફરીથી સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94m સાથે રેકોર્ડ બનાવ્યો હતો.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે