નીરજ ચોપરાએ ડાયમંડ લીગ જીતીને ઈતિહાસ રચ્યો, 88.44 મીટરના જેવલિન થ્રો સાથે ખિતાબ જીત્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 11:28:28

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વધુ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં પણ પોતાનું અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ છે. ઝ્યુરિચમાં આયોજિત ઇવેન્ટમાં, નીરજે 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રખ્યાત ખિતાબ જીત્યો.



ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ


નીરજે ગયા મહિનાના અંતે લોજન ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જ ફાઈનલ ગુરુવાર 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાઈ હતી, જ્યાં નીરજને ખિતાબનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સની ગેરહાજરીને કારણે નીરજની જીત વધુ નિશ્ચિત બની હતી. 


નીરજ માટે આ વર્ષ શુકનિયાળ 


નીરજે આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારબાદ તેણે સતત બે વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. નીરજે પહેલા પાવો નુર્મી ગેમ્સમાં 89.30m સાથે રેકોર્ડ બનાવ્યો હતો અને પછી ફરીથી સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94m સાથે રેકોર્ડ બનાવ્યો હતો.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.