નીરજ ચોપરાએ ડાયમંડ લીગ જીતીને ઈતિહાસ રચ્યો, 88.44 મીટરના જેવલિન થ્રો સાથે ખિતાબ જીત્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 11:28:28

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વધુ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં પણ પોતાનું અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ છે. ઝ્યુરિચમાં આયોજિત ઇવેન્ટમાં, નીરજે 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રખ્યાત ખિતાબ જીત્યો.



ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ


નીરજે ગયા મહિનાના અંતે લોજન ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જ ફાઈનલ ગુરુવાર 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાઈ હતી, જ્યાં નીરજને ખિતાબનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સની ગેરહાજરીને કારણે નીરજની જીત વધુ નિશ્ચિત બની હતી. 


નીરજ માટે આ વર્ષ શુકનિયાળ 


નીરજે આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારબાદ તેણે સતત બે વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. નીરજે પહેલા પાવો નુર્મી ગેમ્સમાં 89.30m સાથે રેકોર્ડ બનાવ્યો હતો અને પછી ફરીથી સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94m સાથે રેકોર્ડ બનાવ્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.