સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે દિગ્વીજય સિંહ બરાબરના ફસાયા, રાહુલ ગાંધીએ પણ અંગત નિવેદન ગણાવ્યું


  • Published By :
  • Published Date : 2023-01-24 17:21:57

દિગ્વીજય સિંહ સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામાં હુમલા અગે નિવેદન આપીને બરાબરના ફસાઈ ગયા છે. આ નિવેદન બાદ ભાજપે દિગ્વીજય સિંહને નિશાન બનાવ્યા હતા, ભાજપે તે નિવેદનને બેજવાબદારીભર્યું ગણાવ્યું હતું. હવે કોંગ્રેસે પણ તે વિવાદથી ખુદને અલગ કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં દિગ્વીજય સિંહના નિવેદનને અંગત ગણાવ્યું છે. 


રાહુલ ગાંધીએ શું કહ્યું?


રાહુલ ગાંધી હાલમાં જમ્મુ અને કશ્મીરમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફ્રેન્સમાં પત્રકારોને વિવિધ મુદ્દા પર જવાબ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું  કે દિગ્વીજય સિંહે જે કહ્યું તેનાથી હું સહમત નથી. અમને સેના પર સંપુર્ણ ભરોસો છે. સેના જે કાંઈ પણ કરે છે, તે અંગે તેણે પુરાવા આપવાની જરૂર નથી, અને તે કોંગ્રેસે પાર્ટીનું સત્તાવાર સ્ટેટમેન્ટ નથી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ હવે જોવાનું છે કે દિગ્વીજય સિંહ શું જવાબ આપે છે?.


દિગ્વીજય સિંહે શું બફાટ કર્યો હતો?


દિગ્વીજય સિંહે મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.