સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે દિગ્વીજય સિંહ બરાબરના ફસાયા, રાહુલ ગાંધીએ પણ અંગત નિવેદન ગણાવ્યું


  • Published By :
  • Published Date : 2023-01-24 17:21:57

દિગ્વીજય સિંહ સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામાં હુમલા અગે નિવેદન આપીને બરાબરના ફસાઈ ગયા છે. આ નિવેદન બાદ ભાજપે દિગ્વીજય સિંહને નિશાન બનાવ્યા હતા, ભાજપે તે નિવેદનને બેજવાબદારીભર્યું ગણાવ્યું હતું. હવે કોંગ્રેસે પણ તે વિવાદથી ખુદને અલગ કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં દિગ્વીજય સિંહના નિવેદનને અંગત ગણાવ્યું છે. 


રાહુલ ગાંધીએ શું કહ્યું?


રાહુલ ગાંધી હાલમાં જમ્મુ અને કશ્મીરમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફ્રેન્સમાં પત્રકારોને વિવિધ મુદ્દા પર જવાબ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું  કે દિગ્વીજય સિંહે જે કહ્યું તેનાથી હું સહમત નથી. અમને સેના પર સંપુર્ણ ભરોસો છે. સેના જે કાંઈ પણ કરે છે, તે અંગે તેણે પુરાવા આપવાની જરૂર નથી, અને તે કોંગ્રેસે પાર્ટીનું સત્તાવાર સ્ટેટમેન્ટ નથી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ હવે જોવાનું છે કે દિગ્વીજય સિંહ શું જવાબ આપે છે?.


દિગ્વીજય સિંહે શું બફાટ કર્યો હતો?


દિગ્વીજય સિંહે મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.