સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે દિગ્વીજય સિંહ બરાબરના ફસાયા, રાહુલ ગાંધીએ પણ અંગત નિવેદન ગણાવ્યું


  • Published By :
  • Published Date : 2023-01-24 17:21:57

દિગ્વીજય સિંહ સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામાં હુમલા અગે નિવેદન આપીને બરાબરના ફસાઈ ગયા છે. આ નિવેદન બાદ ભાજપે દિગ્વીજય સિંહને નિશાન બનાવ્યા હતા, ભાજપે તે નિવેદનને બેજવાબદારીભર્યું ગણાવ્યું હતું. હવે કોંગ્રેસે પણ તે વિવાદથી ખુદને અલગ કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં દિગ્વીજય સિંહના નિવેદનને અંગત ગણાવ્યું છે. 


રાહુલ ગાંધીએ શું કહ્યું?


રાહુલ ગાંધી હાલમાં જમ્મુ અને કશ્મીરમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફ્રેન્સમાં પત્રકારોને વિવિધ મુદ્દા પર જવાબ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું  કે દિગ્વીજય સિંહે જે કહ્યું તેનાથી હું સહમત નથી. અમને સેના પર સંપુર્ણ ભરોસો છે. સેના જે કાંઈ પણ કરે છે, તે અંગે તેણે પુરાવા આપવાની જરૂર નથી, અને તે કોંગ્રેસે પાર્ટીનું સત્તાવાર સ્ટેટમેન્ટ નથી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ હવે જોવાનું છે કે દિગ્વીજય સિંહ શું જવાબ આપે છે?.


દિગ્વીજય સિંહે શું બફાટ કર્યો હતો?


દિગ્વીજય સિંહે મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.