સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે દિગ્વીજય સિંહ બરાબરના ફસાયા, રાહુલ ગાંધીએ પણ અંગત નિવેદન ગણાવ્યું


  • Published By :
  • Published Date : 2023-01-24 17:21:57

દિગ્વીજય સિંહ સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામાં હુમલા અગે નિવેદન આપીને બરાબરના ફસાઈ ગયા છે. આ નિવેદન બાદ ભાજપે દિગ્વીજય સિંહને નિશાન બનાવ્યા હતા, ભાજપે તે નિવેદનને બેજવાબદારીભર્યું ગણાવ્યું હતું. હવે કોંગ્રેસે પણ તે વિવાદથી ખુદને અલગ કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં દિગ્વીજય સિંહના નિવેદનને અંગત ગણાવ્યું છે. 


રાહુલ ગાંધીએ શું કહ્યું?


રાહુલ ગાંધી હાલમાં જમ્મુ અને કશ્મીરમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફ્રેન્સમાં પત્રકારોને વિવિધ મુદ્દા પર જવાબ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું  કે દિગ્વીજય સિંહે જે કહ્યું તેનાથી હું સહમત નથી. અમને સેના પર સંપુર્ણ ભરોસો છે. સેના જે કાંઈ પણ કરે છે, તે અંગે તેણે પુરાવા આપવાની જરૂર નથી, અને તે કોંગ્રેસે પાર્ટીનું સત્તાવાર સ્ટેટમેન્ટ નથી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ હવે જોવાનું છે કે દિગ્વીજય સિંહ શું જવાબ આપે છે?.


દિગ્વીજય સિંહે શું બફાટ કર્યો હતો?


દિગ્વીજય સિંહે મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.