કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના મોદી સરકાર પર પ્રહાર, સર્જિકલ સ્ટ્રાઇક અને કલમ 370 મુદ્દે ઉઠાવ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-23 18:51:59

મોદી સરકારે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પર સતત પ્રશ્નો ઉઠતા રહે છે. જમ્મુ અને કાશ્મિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલા ભારત જોડો આંદોલન દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા દિગ્વીજય સિંહે ફરી એક વખત સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


સર્જિકલ સ્ટ્રાઇક સરકારનું જુઠાણું


દિગ્વીજય સિંહે મોદી મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?


કલમ 370 નાબૂદી મુદ્દે પણ પ્રહાર


કોંગ્રેસી નેતા દિગ્વીજય સિંહે કલમ 370 મુદ્દે પણ સવાલો કર્યા હતા. જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 નાબૂદ થવાથી કોને ફાયદો થયો? સરકાર એવું કહેતી હતી કે આનાથી આતંકવાદ ખતમ થઈ જશે, હિંદુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ જ્યારથી કલમ 370 હટાવી દેવામાં આવી છે, આતંકવાદ વધ્યો છે. રોજે રોજ આતંકવાગી ઘટના બની રહી છે. પહેલાં આ આતંકવાદ ખીણ પૂરતો સીમિત હતો, પરંતુ હવે એ રાજૌરી, ડોડા સુધી પહોંચી ગયો છે.


કાશ્મીર ફાઇલ્સ નફરત ફેલાવનારી ફિલ્મ


દિગ્વીજય સિંહે લોકોને સંબોધતા કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મિરની સમસ્યાનો ઉકેલ લાવવા માગતી નથી. સરકાર જમ્મુ અને કાશ્મિરનો નિર્ણય કરવા માગતી નથી. તે આ સમસ્યાને સતત યથાવત રાખવા માગે છે, સરકાર ઈચ્છે છે કે કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાતી રહે. તેમણે લોકોને પણ સવાલ કર્યો હતો કે શું તમે ક્યારેય કોઈ વડાપ્રધાનને કોઈ ફિલ્મનો પ્રચાર કરતા જોયા છે? આપણા પીએમ મોદીએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.