કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના મોદી સરકાર પર પ્રહાર, સર્જિકલ સ્ટ્રાઇક અને કલમ 370 મુદ્દે ઉઠાવ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-23 18:51:59

મોદી સરકારે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પર સતત પ્રશ્નો ઉઠતા રહે છે. જમ્મુ અને કાશ્મિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલા ભારત જોડો આંદોલન દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા દિગ્વીજય સિંહે ફરી એક વખત સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


સર્જિકલ સ્ટ્રાઇક સરકારનું જુઠાણું


દિગ્વીજય સિંહે મોદી મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?


કલમ 370 નાબૂદી મુદ્દે પણ પ્રહાર


કોંગ્રેસી નેતા દિગ્વીજય સિંહે કલમ 370 મુદ્દે પણ સવાલો કર્યા હતા. જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 નાબૂદ થવાથી કોને ફાયદો થયો? સરકાર એવું કહેતી હતી કે આનાથી આતંકવાદ ખતમ થઈ જશે, હિંદુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ જ્યારથી કલમ 370 હટાવી દેવામાં આવી છે, આતંકવાદ વધ્યો છે. રોજે રોજ આતંકવાગી ઘટના બની રહી છે. પહેલાં આ આતંકવાદ ખીણ પૂરતો સીમિત હતો, પરંતુ હવે એ રાજૌરી, ડોડા સુધી પહોંચી ગયો છે.


કાશ્મીર ફાઇલ્સ નફરત ફેલાવનારી ફિલ્મ


દિગ્વીજય સિંહે લોકોને સંબોધતા કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મિરની સમસ્યાનો ઉકેલ લાવવા માગતી નથી. સરકાર જમ્મુ અને કાશ્મિરનો નિર્ણય કરવા માગતી નથી. તે આ સમસ્યાને સતત યથાવત રાખવા માગે છે, સરકાર ઈચ્છે છે કે કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાતી રહે. તેમણે લોકોને પણ સવાલ કર્યો હતો કે શું તમે ક્યારેય કોઈ વડાપ્રધાનને કોઈ ફિલ્મનો પ્રચાર કરતા જોયા છે? આપણા પીએમ મોદીએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.