કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના મોદી સરકાર પર પ્રહાર, સર્જિકલ સ્ટ્રાઇક અને કલમ 370 મુદ્દે ઉઠાવ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-23 18:51:59

મોદી સરકારે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પર સતત પ્રશ્નો ઉઠતા રહે છે. જમ્મુ અને કાશ્મિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલા ભારત જોડો આંદોલન દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા દિગ્વીજય સિંહે ફરી એક વખત સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


સર્જિકલ સ્ટ્રાઇક સરકારનું જુઠાણું


દિગ્વીજય સિંહે મોદી મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?


કલમ 370 નાબૂદી મુદ્દે પણ પ્રહાર


કોંગ્રેસી નેતા દિગ્વીજય સિંહે કલમ 370 મુદ્દે પણ સવાલો કર્યા હતા. જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 નાબૂદ થવાથી કોને ફાયદો થયો? સરકાર એવું કહેતી હતી કે આનાથી આતંકવાદ ખતમ થઈ જશે, હિંદુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ જ્યારથી કલમ 370 હટાવી દેવામાં આવી છે, આતંકવાદ વધ્યો છે. રોજે રોજ આતંકવાગી ઘટના બની રહી છે. પહેલાં આ આતંકવાદ ખીણ પૂરતો સીમિત હતો, પરંતુ હવે એ રાજૌરી, ડોડા સુધી પહોંચી ગયો છે.


કાશ્મીર ફાઇલ્સ નફરત ફેલાવનારી ફિલ્મ


દિગ્વીજય સિંહે લોકોને સંબોધતા કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મિરની સમસ્યાનો ઉકેલ લાવવા માગતી નથી. સરકાર જમ્મુ અને કાશ્મિરનો નિર્ણય કરવા માગતી નથી. તે આ સમસ્યાને સતત યથાવત રાખવા માગે છે, સરકાર ઈચ્છે છે કે કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાતી રહે. તેમણે લોકોને પણ સવાલ કર્યો હતો કે શું તમે ક્યારેય કોઈ વડાપ્રધાનને કોઈ ફિલ્મનો પ્રચાર કરતા જોયા છે? આપણા પીએમ મોદીએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.