Sony Sab પર આવતી ધર્મ યોદ્ધ ગરુડને રિપ્લેસ કરશે દિલ દિયા ગલ્લા સિરિયલ


  • Published By :
  • Published Date : 2022-11-24 15:48:00

સોની સબ પર વધુ એક સિરિયલ શરૂ થવા જઈ રહી છે. આ સિરિયલનું નામ છે દિલ દિયા ગલ્લા-દિલકી બાતેં છે જેમાં પંજાબી પરિવાર બતાવવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરના રોજ આ સિરિયલ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે. આ સિરિયલ ધર્મ યોદ્ધા ગરુડને રિપ્લેઝ કરવાની છે. આ સિરિયલમાં હર્ષદ અરોરા, કાવેરી પ્રિયમ સહિતના કલાકારો જોવા મળશે. સબ ટીવીએ આ સિરિયલનું ટીઝર પણ લોન્ચ કરી દીધું છે.

અમૃતાના રોલમાં જોવા મળશે કાવેરી પ્રિયમ

આ સિરિયલની વાત કરીએ તો આ સિરિયલમાં પંજાબી પરિવાર દર્શાવવામાં આવી છે. આખો પરિવાર વિદેશમાં રહેતો હોય તેવું બતાવામાં આવ્યું છે. આ સિરિયલમાં કાવેરી પ્રિયમ અમૃતાના રોલમાં જોવા મળી રહી છે. સિરિયલમાં એક પરિવાર બતાવામાં આવ્યો છે પરંતુ આ બે પરિવાર અલગ અલગ દેશોમાં રહે છે. બંને પરિવાર એક બીજા સાથે નથી બોલતા. ત્યારે બંને પરિવાર વચ્ચે સુલેહ કરાવવાની કોશિષ અમૃતા કરવાની છે. પંજાબમાં એવી અનેક ફેમિલી છે જે ભણવા વિદેશ જતા હોય છે. પરંતુ ભણતર પતાયા પછી પાછા નથી આવતા. આ સિરિયલ પણ આવી કહાની પર આધારિત છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .