Sony Sab પર આવતી ધર્મ યોદ્ધ ગરુડને રિપ્લેસ કરશે દિલ દિયા ગલ્લા સિરિયલ


  • Published By :
  • Published Date : 2022-11-24 15:48:00

સોની સબ પર વધુ એક સિરિયલ શરૂ થવા જઈ રહી છે. આ સિરિયલનું નામ છે દિલ દિયા ગલ્લા-દિલકી બાતેં છે જેમાં પંજાબી પરિવાર બતાવવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરના રોજ આ સિરિયલ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે. આ સિરિયલ ધર્મ યોદ્ધા ગરુડને રિપ્લેઝ કરવાની છે. આ સિરિયલમાં હર્ષદ અરોરા, કાવેરી પ્રિયમ સહિતના કલાકારો જોવા મળશે. સબ ટીવીએ આ સિરિયલનું ટીઝર પણ લોન્ચ કરી દીધું છે.

અમૃતાના રોલમાં જોવા મળશે કાવેરી પ્રિયમ

આ સિરિયલની વાત કરીએ તો આ સિરિયલમાં પંજાબી પરિવાર દર્શાવવામાં આવી છે. આખો પરિવાર વિદેશમાં રહેતો હોય તેવું બતાવામાં આવ્યું છે. આ સિરિયલમાં કાવેરી પ્રિયમ અમૃતાના રોલમાં જોવા મળી રહી છે. સિરિયલમાં એક પરિવાર બતાવામાં આવ્યો છે પરંતુ આ બે પરિવાર અલગ અલગ દેશોમાં રહે છે. બંને પરિવાર એક બીજા સાથે નથી બોલતા. ત્યારે બંને પરિવાર વચ્ચે સુલેહ કરાવવાની કોશિષ અમૃતા કરવાની છે. પંજાબમાં એવી અનેક ફેમિલી છે જે ભણવા વિદેશ જતા હોય છે. પરંતુ ભણતર પતાયા પછી પાછા નથી આવતા. આ સિરિયલ પણ આવી કહાની પર આધારિત છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી